ભાવનગર જિલ્લા માહિતી કચેરી ખાતે “કારકિર્દી માર્ગદર્શન -૨૦૨૩” ઉપલબ્ધ

હિન્દ ન્યુઝ,  ભાવનગર

ઘો-૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી વિશે યોગ્ય માર્ગદર્શન મળી રહે અને આગળ અભ્યાસર્થે પોતાના અનુરૂપ યોગ્ય દિશા પસંદ કરી શકે તે બાબતે મદદરૂપ થતું અતિ ઉપયોગી પુસ્તક “કારકિર્દી માર્ગદર્શન-૨૦૨૩” ભાવનગર જિલ્લા માહિતી કચેરી ખાતે વેચાણ અર્થે ઉપલબ્ધ છે.

વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે તે માટે જરૂરી કારકિર્દી માર્ગદર્શનને લગતું પુસ્તક અતિ ઉપયોગી છે વિદ્યાર્થીઓ ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે તે માટે ખાસ તૈયાર કરવામાં આવેલા કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૩માં ઘોરણ-૧૦ અને ઘોરણ-૧૨ પછીના વિવિધ ક્ષેત્રોના અભ્યાસક્રમો, મોટીવેશનલ લેખોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલો છે જેનો મહત્તમ વાલીઓ તથા વિદ્યાર્થીઓને લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. જે કચેરી સમય દરમ્યાન ખરીદી શકાશે. આ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૩ પુસ્તકની કિંમત રૂ.૨૦ નિર્ધારિત કરવામાં આવેલ છે.

Related posts

Leave a Comment