હિન્દ ન્યુઝ, જસદણ જસદણ સુપ્રસિદ્ધિ ડુંગરપુર હનુમાન ની જગ્યામાં 62મી શ્રી રામચરિત માનસ નવાન્હ જ્ઞાયગન નુ પુનિત આયોજન કરવામા આવ્યું છે જેની પોથી યાત્રા તા 28/3/2023ના રોજ સવારે 9:00 વાગે મોટા રામજી મંદિર થી નિકળીને ડુંગરપુર હનુમાનની જગ્યામા જસે જેમાં કથાના મુખ્ય યજમાન શ્રી ડુંગરપુર હનુમાન મહારાજજી બિરાજશે કથા પ્રારંભ તા.28/3/2023 ને મંગળવાર સાતમ થી 6/4/2023 ને ગુરુવાર પૂનમ સુઘી આ જ્ઞાનયજ્ઞ દરમ્યાન પ્રભુ શ્રી રામ નામના ગુણગાન શાસ્ત્રી આશિષપ્રસાદ જોશી બિરાજી પોતાની સંગીતમય શૈલીમા કથાનુ રસપાન કરાવશે કથાનો સમય સવારે 9થી12 અને બપોરે 3થી 6…
Read MoreMonth: March 2023
સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજીત “અમૃત પેય ઉકાળા” – કેમ્પ
હિન્દ ન્યુઝ, ભુજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, પોલીસ પરેડ ગ્રાઉન્ડની સામે, સરપટ નાકા, ભુજ – કચ્છ. સમય : સવારે ૯=૦૦ થી ૧૨=૦૦ સુધી તથા સાંજે ૪=૦૦ થી ૬=૦૦ સુધી. દરરોજ તેમજ આશાપુરા મંદિર, સોનીવાડ, ભુજ – કચ્છ. ખાતે સમય : સવારે ૯=૦૦ થી ૧૨=૦૦ સુધી તા. ૨૭/૦૩/૨૦૨૩ થી તા. ૦૧/૦૪/૨૦૨૩ સુધી તેમજ એસ.ટી. ડેપો, ભુજ – કચ્છ. સમય : સવારે ૯=૦૦ થી ૧૨=૦૦ સુધી. તા. ૨૭/૦૩/૨૦૨૩ થી તા. ૦૧/૦૪/૨૦૨૩ સુધી સિઝનલ ફ્લુ તેમજ કોરાના સંક્રમિત રોગો સામે રક્ષણ મેળવવા તથા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અતિ ઉત્તમ એવા “ સ્વાસ્થ્ય વર્ધક અમૃત પેય ઉકાળો“, જેનું નિ:શુલ્ક ઉપરોકત સમયે પીવડાવવાનું આયોજન કરવામાં આવેલ છે. તો આનો લાભ લેવા વૈદ્ય પંચકર્મ વર્ગ…
Read Moreનાગરિક સંરક્ષણ દળના માનદ વોર્ડન સભ્યો જોગ
હિન્દ ન્યુઝ, ભુજ નાગરિક સંરક્ષણ દળ ભુજમાં માનદ સભ્ય તરીકે વર્ષ ૨૦૧૭ તેમજ તે પહેલાના અને વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૦ સુધી નિમણુંક પામેલા માનદ વોર્ડન સભ્યો દળમાં સેવા ચાલુ રાખવા માંગતા હોય તેઓએ હુકમ રિન્યુ કરવા માટે નાગરિક સંરક્ષણ કચેરી, ભુજની કચેરી સમય દરમિયાન ફોન નં.૦૨૮૩૨-૨૩૦૬૦૩ ઉપર સંપર્ક કરી રીન્યુ માટે જરૂરી આધાર પુરાવા સાથે મોડામાં મોડી ૧૫મી એપ્રિલ-૨૦૨૩ સુધી અરજી આપવાની રહેશે. ત્યારબાદ બાકી રહેતા માનદ વોર્ડન સભ્યોને નિષ્ક્રીય ગણી નિયમોનુસાર સભ્ય પદ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું તાલીમ અધિકારી, નાગરિક સંરક્ષણ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.
Read Moreગાંધીનગરમાં 30મી માર્ચ – 1લી એપ્રિલ, 2023 દરમિયાન પ્રથમ G20 ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રૂપ (DRR WG)ની બેઠક
હિન્દ ન્યુઝ, ભુજ (અમદાવાદ) ભારતના G20 પ્રેસિડેન્સી હેઠળ પ્રથમ G20 ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રૂપ (DRR WG)ની બેઠક 30મી માર્ચથી 1લી એપ્રિલ, 2023 સુધી ગુજરાતના ગાંધીનગરમાં યોજાવાની છે. G20 ટ્રોઇકા, જેમાં ત્રણ વિકાસશીલ અને ઉભરતી અર્થવ્યવસ્થાઓનો સમાવેશ થાય છે – ઈન્ડોનેશિયા, ભારત અને બ્રાઝિલ – સેન્ડાઈ ફ્રેમવર્ક ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન દ્વારા નિર્ધારિત લક્ષ્યોને હાંસલ કરવાના પ્રયત્નોને ઉત્પ્રેરિત કરવાની જરૂરિયાતની આસપાસ એકસાથે આવ્યા. આ બેઠકમાં G20 સભ્ય દેશો, આમંત્રિત દેશો અને વિવિધ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સંગઠનોના 80 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. માનનીય પ્રધાનમંત્રી અને ભારત…
Read Moreમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં “સાથ સહકાર અને સેવાના ૧૦૦ દિવસ” કાર્યક્રમ સ્વર્ણિમ સંકુલ ખાતે ઉજવાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત રાજ્યના ૧૮ માં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે ૧૨ મી ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ શપથ લીધા હતા. ગુજરાતમાં ભુપેન્દ્રભાઈ પટેલની સીએમ તરીકે આ સતત બીજી ટર્મ છે. આ સાથે આજે ભુપેન્દ્રભાઈ પટેલ સરકારના ૧૦૦ દિવસ પૂર્ણ થયા છે. આજે ગાંધીનગર ખાતે ભુપેન્દ્રભાઈ પટેલની સરકારના ૧૦૦ ની ઉજવણી કરવામાં આવી હતી. સાથ, સહકાર અને સેવાના ૧૦૦ દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંબોધન કરી સરકારની કામગીરીને વખાણી હતી. આ સાથે રાજ્યમાં લોકોના આરોગ્ય કવચ તેમજ સરહદ સુરક્ષા સાથે આતંરીક સુરક્ષા અંગે પણ વાત કરી હતી. નાનામાં નાનો વ્યક્તિ…
Read Moreપૂજ્ય મોટાના આશીર્વાદ લેવા જરૂર આવીશ…પણ પુરસ્કાર માટે માફ કરશો
હિન્દ ન્યુઝ, ભાવનગર સંસ્કૃત ભાષા સાથે એમ.એ. બી.એડ., સંસ્કૃત ભાષાના વિદ્યાવાન અને સંસ્કૃતમાં શાસ્ત્રી અને આચાર્ય, શિક્ષાશાસ્ત્રી એવી ઉપાધિઓ પ્રાપ્ત કરનાર અને શ્રી સોલા ભાગવત વિદ્યાપીઠ (ગુરુકુળ પરંપરા)માં શિક્ષિત અને દીક્ષિત અને પોલીસમાં પહેલી ભરતી લોકરક્ષક તરીકે અને આજે સુરત ચોકબજાર પોલીસ સ્ટેશનમાં પી.સી.આર. વાનમાં જાહેર જનતાની સેવામાં કાર્યરત એવા પોલીસ કોન્સ્ટેબલ ચિંતનભાઈ રાજ્યગુરુએ એક વૃદ્ધ સજજન નાગરિક જે કૉઝવેમાં ડૂબી રહ્યા હતા, તેઓને બચાવવા માટે જાતે જ કોઝવેમાં કૂદી પડ્યા અને આખરે વૃદ્ધજનને બચાવી લીધા. ત્યારબાદ વૃદ્ધ સજજનના પૂરા પરિવાર જનોએ ભેગા મળી ચિંતનભાઈનું કુમકુમ અને અખંડ અક્ષતથી તિલક…
Read Moreતાલુકા કક્ષાનો સ્વાગત નિવારણ કાર્યક્રમ તા.૨૬/૦૪/૨૦૨૩ નાં રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર તાલુકા કક્ષાનો એપ્રિલ-૨૦૨૩ નો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૬/૦૪/૨૦૨૩ નાં રોજ સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજાનાર છે. જેમા જિલ્લા કલેક્ટર મહુવા ખાતે, જિલ્લા વિકાસ અધિકારી પાલીતાણા તાલુકા ખાતે તેમજ પોલીસ અધિક્ષક ઉમરાળા તાલુકાનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમજ અન્ય તાલુકા સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ નાં અધિકારીઓ સંચાલન કરશે અને લોકોનાં પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. આ તાલુકા કક્ષાનાં સ્વાગત કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત અંગેની અરજીઓ સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ તથા ગ્રામ્ય કક્ષાએ સંબંધિત તલાટી કમ મંત્રીશ્રીને રજુ કરવા…
Read Moreભાવનગરમાં જિલ્લા કક્ષાનો સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૭ એપ્રિલનાં રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા કક્ષાનો એપ્રિલ-૨૦૨૩નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૭/૦૪/૨૦૨૩ નાં રોજ ૧૧:00 કલાકે કલેકટર કચેરી ભાવનગર ખાતે યોજાનાર છે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવી એક વિષયની એક અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા સાથે રજૂ કરી શકશે અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૪/૨૦૨૩ સુધીમાં રજાનાં દિવસો સિવાય રોજ સવારના ૧૧:૦૦ કલાક થી ૬:૧૦ કલાક સુધી કલેકટર કચેરી, રજીસ્ટ્રી શાખા ખાતે સ્વીકારવામાં આવશે. આ ફરીયાદ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ…
Read Moreએક વર્ષથી ઉપરનાં જન્મ/મરણનાં બનાવોની નોંઘણી માટેની જોગવાઇ અંગેનું જાહેરનામું બહાર પાડટા સબ ડીવિઝનલ મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર જન્મ અને મરણ નોંધણી કાયદો ૧૯૬૯ ની કલમ(૩)૧૩ થી એક વર્ષથી ઉપરનાં જન્મ/મરણનાં બનાવોની નોંઘણી માટે જન્મ અથવા મરણનાં ખરાપણાની ખાતરી કર્યા પછી નોંઘણી માટેની જોગવાઇ અન્વયે સરકારશ્રીનાં આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ, ગાંધીનગરમાં તા.૩૦/૦૮/૨૦૧૬ ના પત્રથી રાજ્ય સરકાર દ્વારા “આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો” યોજના હેઠળ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ- પ્રાંત અધિકારીને એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટની સત્તા આપવામાં આવેલ. જે અન્વયે અરજદારો દ્વારા જન્મ/મરણની વિલંબિત નોંઘણી માટે જન્મ અને મરણ નોંધણી કાયદો ૧૯૬૯- ની કલમ- ૧૩ ની પેટા કલમ-(૩) થી એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ તરીકે હુકમ કરવાની સત્તા એનાયત કરવામાં આવેલ…
Read Moreઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન અને હાઇરાઇઝ બિલ્ડીંગ ધ કોર્ટ યાર્ડમાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૨૯/૦૩/૨૦૨૩ નાં રોજ (૧) ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન, રાજકોટ ડેપો, બજરંગ વાડી પોલીસ ચોકી પાસે, જામનગર રોડ, રાજકોટ (૨) ધ કોર્ટ યાર્ડ, જીવરાજ પાર્ક, મવડી, રાજકોટ ખાતે ચીફ ફાયર ઓફીસરશ્રી આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા…
Read More