ડુંગરપુર હનુમાન ની જગ્યામાં રામચરિત માનસ સહપ્તાનું આયોજન કરવામા આવ્યું

હિન્દ ન્યુઝ, જસદણ

        જસદણ સુપ્રસિદ્ધિ ડુંગરપુર હનુમાન ની જગ્યામાં 62મી શ્રી રામચરિત માનસ નવાન્હ જ્ઞાયગન નુ પુનિત આયોજન કરવામા આવ્યું છે જેની પોથી યાત્રા તા 28/3/2023ના રોજ સવારે 9:00 વાગે મોટા રામજી મંદિર થી નિકળીને ડુંગરપુર હનુમાનની જગ્યામા જસે જેમાં કથાના મુખ્ય યજમાન શ્રી ડુંગરપુર હનુમાન મહારાજજી બિરાજશે કથા પ્રારંભ તા.28/3/2023 ને મંગળવાર સાતમ થી 6/4/2023 ને ગુરુવાર પૂનમ સુઘી આ જ્ઞાનયજ્ઞ દરમ્યાન પ્રભુ શ્રી રામ નામના ગુણગાન શાસ્ત્રી આશિષપ્રસાદ જોશી બિરાજી પોતાની સંગીતમય શૈલીમા કથાનુ રસપાન કરાવશે કથાનો સમય સવારે 9થી12 અને બપોરે 3થી 6 રહસે આ કથા દરમીયાન તા 30/3/2023ના રોજ બપોરે 12વાગે રામ જન્મોત્સવ ઉજવવામાં આવશે તો આ સંગીતમય કથાનુ રસપાન કરવા પધારવા ડુંગરપુર હનુમાન જગ્યાના મહંત દ્વારા જસદણની ધર્મપ્રિય જનતાને હાર્દીક નિમંત્રણ આપવામાં આવે છે

તાલુકા બ્યુરો ચીફ : વિજય ચાંવ

Related posts

Leave a Comment