જસદણમા રામનવમીની ભવ્ય શભાયાત્રા યોજાય

હિન્દ ન્યુઝ, જસદણ

જસદણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તથા રામ જન્મ ઉત્સવ સમિતિ દ્વારા રામ નવમી નિમિતે ભવ્ય શોભયાત્રા યોજવામા આવી હતી. જેમા શોભાયાત્રાનુ પ્રસ્થાન જસદણ સ્ટેટ સત્યજીત કુમાર ખાચરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા જસદણ ગાયત્રી મંદિર થી નીકળી જસદણ શહેરનાં રાજમાર્ગો પરથી પસાર થઈ વજસુરપરા રોકડીયા હનુમાન મંદિરે પૂર્ણ થઇ હતી શોભાયાત્રામાં જસદણ તેમજ તાલુકામાંથી ખૂબ મોટી સંખ્યમાં રામ ભક્તો જોડાયા હતા તેમજ ડીજે ના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને જય શ્રી રામ ના નાદ ગુંજી ઉઠ્યા હતા સમગ્ર શહેર રામ મય બની ગયુ હતુ.

શોભાયાત્રા રૂટ પર વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા ઠંડા પાણી, સરબત વ્યવસ્થા કરવામાં આવી રહી આ શોભાયાત્રા માં સાધુ સંતો તેમજ સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો રમાબેન મકવાણા, નરેશભાઈ દરેડ, વિજયભાઈ રાઠોડ, પંકજભાઇ ચાંવ, પ્રેમજીભાઈ રાજપરા, અમરસિહભાઈ રાઠોડ સહિત અન્ય અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા શોભાયાત્રાને સફળ બનાવવના માટે રામજન્મ ઉસ્તવ સમિતિ દ્વારા ભારે જહેમત ઊઠાવી હતી.

તાલુકા બ્યુરો ચીફ : વિજય ચાંવ

Related posts

Leave a Comment