આંતર રાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીનાં ભાગરૂપે સિનિયર સીટીઝન બહેનોની રમતોનું આયોજન હાથ ધરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૮ મી માર્ચનાં દિવસે આંતર રાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે. આંતર રાષ્ટ્રીય મહિલા દિન ઉજવાનો હેતુ વિશ્વની તમામ મહિલાઓમાં નારી ઉત્કર્ષ માટે લોક અગૃતિ લાવવાનો અને શિક્ષણની સાથે સાથે તેમાં રમતો રસ તેમના સ્વાસ્થયમાં પણ સુધારો લાવી શકે તે હેતુથી આઝાદી કા અમૃત મહોત્સવ, G-20 અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત સંચાલિત જીલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત સિનિયર સીટીઝન બહેનોની ચાર રમતો એથ્લેટિક, યોગાસન, ચેસ અને રસ્સાખેંચની રમતોનું આયોજન તા.૧૭/૦૩/૨૦૩ ના રોજ સરદાર પટેલ રમત…

Read More

ફરિયાદકા ખાતે યોજાયેલ આયુષ મેળામાં આરોગ્યતંત્રની કામગીરીને બિરદાવતા જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના ફરીયાદકા ખાતે તા ૧૮ માર્ચ ના રોજ આયુષ મેળો યોજાયો હતો. આ આયુષ મેળામાં ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલે સમગ્ર આરોગ્યતંત્ર દ્વારા કોરોના કાળમાં કરેલ કામગીરીને બિરદાવી હતી. તેમને આર્યુવેદિક વિભાગ, તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, દરેક સબ સેન્ટર નાં તમામ કર્મચારી એ જીવના જોખમે કાર્ય કર્યું તેની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે આરોગ્ય સમિતિ ચેરમેન વિક્રમ ભાઇ ડાભી દ્વારા યોગ આર્યુવેદના ફાયદાની સમજણ આપી હતી.

Read More

રાજ્ય સરકાર/ પંચાયતના પેન્શનરોની આવકવેરા કપાત કરવા અંગે સુચન

હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા તિજોરી કચેરી, ભાવનગર ખાતેથી IRLA સ્કીમ હેઠળ પેન્શન મેળવતા પેન્શનરોએ પ્રવર્તમાન નિયમો મુજબ આગામી નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ થી આવકવેરા કાયદા હેઠળ OLD રકમ REGIME અનુસાર (રૂ.૫,૦૦,૦૦૦/- તથા નિયમોનુસાર રોકાણો બાદની રકમ) તથા NEW REGIME અનુસાર (રૂ.૭,૫૦,૦૦૦/-) કરતા વધુ વાર્ષિક આવક થતી હોય તેઓના પેન્શનમાંથી આવકવેરાની કપાત કરવાની થતી હોય તો OLD REGIME અથવા NEW REGIME અંગેનો વિકલ્પ આપવાનો રહે છે. જે પેન્શનરઓ OLD REGIME નો વિકલ્પ સ્વીકારવા માગતા હોય તેઓએ જ અત્રેની કચેરીને લેખિતમાં મોડામાં મોડુ તા.૩૦/૦૪/૨૦૨૩ સુધીમાં વિકલ્પ આપવાનો રહેશે. જે પેન્શનર દ્વારા OLD REGIME…

Read More

ભાવનગરમાં રીજીયોનલ સાયન્સ સેન્ટર દ્વારા તા. 21 માર્ચના ‘વિશ્વ કવિતા દિવસ’ ની ઉજવણી કરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર નારી ગામ પાસે, સ્થિત રીજીયોનલ સાયન્સ સેન્ટર(આર.એસ.સી) દ્વારા તા. ૨૧ માર્ચ ૨૦૨૩ ના રોજ ‘વિશ્વ કવિતા દિવસ ’ ની ઉજવણી થવા જઈ રહી છે. આ કાર્યક્રમ નો મુખ્ય હેતુ લોકો માં વિજ્ઞાન પ્રત્યે જાગૃતતા લાવવાનો અને ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિતે વિજ્ઞાન ને અલગ રીતે રજુ કરવા આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ ની થીમ STEM (Science, Technology, Engineering, Mathematics) એટલે કે વિજ્ઞાન વિષયો પર આધારિત છે જેમાં યુવા કવિઓ પોતાને અનુકુળ ભાષા (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી) માં પોતાની કૃતિ/કવિતા રજુ કરી શકશે. કવિતા પ્રેમી…

Read More

રાજ્યના ખેડૂતો માટે અત્યંત ચિંતિત આ સરકાર ખેડૂતોને સમયસર જરૂરી રાહત મળી રહે તે માટે સંકલ્પબદ્ધ : ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ

હિન્દ ન્યુઝ, ભુજ વિધાનસભા ગૃહમાં ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજ બિલમાં અપાતી સબસીડી સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચાલતી આ સરકાર રાજ્યના ખેડૂતો માટે અત્યંત ચિંતિત છે. ખેડૂતોના પ્રશ્નો અને તેના સમાધાન ઉપરાંત તેમને યોગ્ય રાહત આપવા સતત કાળજીપૂર્વક નિર્ણયો કરતી આ સરકાર દ્વારા રાજ્યના ખેતીવાડી ગ્રાહકોને વીજબીલમાં સંતોષકારક સબસીડી આપવામાં આવી રહી છે. રાજ્યના ત્રણ જિલ્લાઓ જામનગર, સુરત અને કચ્છના ૪,૫૭,૩૨૯ ખેતીવાડી વીજ ગ્રાહકોને કુલ રૂ.૧૭૬૨.૮૦ કરોડની સબસીડી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે. જામનગર જિલ્લાના ખેતીવાડી વીજ…

Read More

અંજાર અને ગાંધીધામ તાલુકાની વિડી જૂથ પાણી પુરવઠા યોજના એપ્રિલ ૨૦૨૪ સુધી પૂર્ણ કરાશે : પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

હિન્દ ન્યુઝ, ભુજ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી ઘર આંગણે જ મળી રહે એ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન કર્યું છે. રાજ્યના સૌથી મોટા કચ્છ જિલ્લાને પણ નર્મદાના નીર પહોંચતા કર્યા છે ત્યારે અંજાર અને ગાંધીધામ તાલુકાની રૂ. ૩૯૮૬.૧૭ લાખના ખર્ચે તૈયાર થનાર વિડી જૂથ પાણી પુરવઠા યોજના આગામી એપ્રિલ-૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરીને પીવાનું પાણી પહોંચાડાશે. આજે વિધાનસભા ખાતે અંજાર-ગાંધીધામ તાલુકાના વિડી જૂથ પાણી પુરવઠા યોજનાના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી બાળવળીયાએ ઉમેર્યું કે, કચ્છ જિલ્લામાં વિવિધ પાણી પુરવઠા યોજનાઓ તથા…

Read More

કેસુડા ટ્રેઇલમાં થાય છે વન, પુષ્પ અને રંગોની આલ્હાદક સોબત

હિન્દ ન્યુઝ, અમદાવાદ વહેલી પરોઢમાં તમે એક તરોતાજા પુષ્પ જૂઓ તો તમને કેવી લાગણી અનુભવાય ? પુષ્પની સુગંધ અને તેનો રંગ તમને નાવિન્ય ઊર્જા તો આપશે જ, સાથે તેનો રંગ માનસ પટલ ઉપર ઉંડી અસર પણ કરશે. આ વાત મનોવૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી છે અને રંગોની માનસ ઉપર કેવી અસર થાય છે ? તેની અનુભૂતિ તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટૂરમાં કરી શકો છે. કેસુડાના ફૂલથી લથબથ થયેલી વિંધ્યાચલની પર્વત માળાના પૂર્ણબિંદુ એવા કેવડિયા ખાતે ખાખરાના વૃક્ષો ઉપર લૂમેઝૂમે લાગેલો કેસુડો તમને જાપાનના ચેરી બ્લોસમ ઋતુની યાદ કરાવી આપે…

Read More

એકતા નગર ખાતે લીમડી રૂટની નજરે કેસૂડા ટ્રેલ !

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે જાવ તો, કેસૂડા ટ્રેલની રોમાંચક યાત્રા કરવાનું ના ભૂલતા! હિન્દ ન્યુઝ, અમદાવાદ કેસૂડો ! – ભાગ્યે જ કોઈ હશે જે આ નામથી અજાણ હશે. સંસ્કૃતમાં કિંશુક તરીકે ઓળખાતું આ વૃક્ષ ખાખરો અને પલાશ જેવા નામોથી પણ પ્રચલિત છે. ગરમીની શરૂઆત અને વસંતઋતુના આગમનની સાથે જ ચારે બાજુ પાનખર ઋતુમાં સૂકાયેલા વૃક્ષો કેસૂડાના કેસરી રંગથી ચિતરાઈ જાય છે. ત્યારે કેસરિયા રંગથી છવાયેલો કેસૂડો અદ્ભુત દેખાય છે. આવા જ મનોહર દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે, એકતા નગરના જંગલોમાં. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓને અહીંના વિવિધ પ્રવાસન…

Read More

ઇડરના જહીરપુરા ખાતે પશુ હેલ્પલાઇન ૧૯૬૨ દ્વારા ગાયની નિ: શુલ્ક સારવાર કરાઇ

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના જહીરપુરા ગામે વાવાઝોડા દરમિયાન પતરુ ઉડતા ઇજા પામેલ ગાયની પશુ હેલ્પલાઇન ૧૯૬૨ દ્વારા નિશુલ્ક સારવાર કરાઇ હતી. ઇડર તાલુકાના જહીરપુરા ગામના વતની આગ્લોડીયા મોહસીનઅલી અકબરઅલીના તબેલાની ખુલ્લી જગ્યામાં પશુને રાખ્યા હતા. અચાનક વાવાઝોડું આવતા પતરુ ઉડવાના કારણે ગાયના પાછળના ભાગના જમણા પગે ગંભીર ઇજા થઈ હતી. તેની જાણ દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાં ડૉ.એઝાજ મેમણને કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ચકાસણી કરતા ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું. જેમાં ડૉ. એઝાજ મેમણ અને ડ્રેસર બલભદ્રસિંહ દ્વારા ૩ કલાકની ભારે જહેમત…

Read More

વડનગર ખાતે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજીત રક્તદાન કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, મહેસાણા મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગર જનરલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન એટલે જીવતદાનના મંત્ર સાથે અંતરિયાળ વિસ્તારમાં રક્તની અછત ન સર્જાય તેમજ માતા મરણ અને બાળ મરણનું પ્રમાણ ઘટે તેવા શુભ આશયથી વડનગરમાં હોસ્પિટલ આયોજીત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેકટર એમ નાગરાજને જણાવ્યું હતું કે રક્તદાન કરવાથી અનેક નાગરિકોના જીવન બચાવની સાથે માનવતા પૂર્ણ કાર્યમાં ફાળો આપ્યાનો આનંદ મળે છે. તેમણે ઉમેર્યું હતુ કે વડનગર સહિત આજુબાજુના અંતરીયાળ વિસ્તારમાં રક્તની અછત દુર કરવા તંત્રએ અનોખી પહેલ કરી છે. તેમણે જણાવ્યું…

Read More