હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.૧૭/૦૩/ર૦રર ના રોજ વોર્ડ નં. ૮, ૧૧ તથા ૧૨માં થયેલ ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ. જેની વિગતો નીચે મુજબ છે. ક્રમ વોર્ડ નામ વિસ્તાર દબાણની વિગત ચો.મી. ૧ ૮ શ્રી દિલીપભાઈ કપુપરા પંચવટી નગર શેરી નં.-૧, અતિથી ચોક પાસે, પ્રજાપતિની વાડીની સામે, મકાનમાં આગળના માર્જીનનો ભાગ ૯૦.૦૦ ૨ ૧૧ શ્રી સુરેશભાઈ ભટ્ટી ૪૦’ સિમેન્ટ રોડ, આદર્શ એવન્યુની સામે, મવડી ૮-દુકાન વાણીજ્ય ૮૦.૦૦ આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા વેસ્ટ ઝોનના આસી. ટાઉન પ્લાનર એમ. આર. મકવાણા, શ્રી આર. એમ.…
Read MoreDay: March 17, 2023
વેરાવળની ભીડિયા કન્યાશાળામાં માસિક ધર્મની સમસ્યાના નિવારણ અંગે યોજાયો સેમીનાર
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વેરાવળ–પાટણ સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નં. ૪ ભીડિયામાં આવેલ સરકારી કન્યાશાળામાં છોકરીઓ માટે માસિક ધર્મની સમસ્યા તેમજ માન્યતાઓ વિષય પર સેમિનાર યોજાયો હતો. આ સેમિનારનાં મુખ્ય વક્તા આદિત્ય બિરલા હોસ્પિટલનાં ખ્યાતનામ ગાયનેક સર્જન ડૉ. ફોરમ પારેખ (એમ. ડી.) દ્વારા બહેનોની માસિક ધર્મની સમસ્યા તેમજ માન્યતાઓ અંગે સચોટ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ માસિક ધર્મની સમસ્યાના નિવારણ માટેના ઉપાય અંગે વિસ્તૃત જાણકારી આપવાની સાથે માસિક ધર્મ સાથે જોડાયેલ ઘણી ગેરમાન્યતાઓ અને અંધશ્રધ્ધા દૂર કરવા માટેના ઉપયોગી સમજણ આપવામાં આવી હતી. જેમાં વોર્ડ નં. ૪ ના…
Read Moreગીર સોમનાથના સુત્રાપાડામાં રોડની કામગીરી માટે ડાયવર્ઝન
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ફાટકથી સુત્રાપાડા જી.એચ.સી.એલ. રોડની કામગીરી કરવા માટે ૭.૦ કિ.મી. રોડ સંપૂર્ણપણે બંધ કરી વૈકલ્પીક રૂટ પર ટ્રાફિક ડાયવર્ટ કરવા જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જી.ગોહિલ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. આ જાહેરનામાં મુજબ સુત્રાપાડા ફાટકથી સુત્રાપાડા જી.એચ.સી.એલ. સુધીનો રસ્તો સંપૂર્ણપણે બંધ કરી આ રસ્તા પરનો વાહન વ્યવહાર નીચે મુજબના વૈકલ્પીક રૂટ પર ડાયવર્ટ કરાયા જેમા રૂટ નં.૧) બીજ ગામથી નદીમાં થઈ નેશનલ હાઈવે તેમજ રૂટ નં.૨) બીજ–હરણાસા-ખાલેજનો પા–વિક્રમેશ્વર મંદિરથી નેશનલ હાઈવ તેમજ રૂટ નં.૩) લાટી-હરણાસા– ખાલેજનો પા–વિક્રમેશ્વર મંદિરથી નેશનલ હાઈવે તેમજ રૂટ નં.૪) પા–વિક્રમેશ્વર મંદિરથી…
Read Moreજસદણ સુરત સ્લીપર લક્ઝરી એસટી બસ સેવાનો પ્રારંભ
હિન્દ ન્યુઝ, જસદણ તા.14.3.2023 ના રોજ જસદણ એસટી ડેપોમાં જસદણ થી સુરત જવા માટે નવી બે સ્લીપર એસટી બસ મૂકવામાં આવેલ આ નવી બસ ને ઓમ શાંતિ સંસ્થા દીદી દ્વારા પૂજન વિધિ કરવામાં આવેલ તેમજ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન અને જિલ્લા ભાજપના આગેવાન પંકજભાઈ ચાવ દ્વારા લીલી ઝંડી આપી હતી ને એસટી ડેપો મેનેજર સાહેબ પીયુ મીર દ્વારા શ્રીફળ વધેરી ગાડીને રવાના કરવામાં આવેલ ત્યારે એસટી સ્ટાફ ગણ કર્મચારી મંડળના પ્રમુખ દિલીપભાઈ ગીડા, મજૂર મહાજન ના પ્રમુખ ભરતભાઈ તેરૈયા, મજુર સંઘના પ્રમુખ અનવરભાઈ પઠાણ સાથે એસટી વિભાગના ડ્રાઇવર કંડકટર, હેલ્પર…
Read Moreઉમરાળા માનવ સેવા હોસ્પિટલ ખાતે ટીબીનાં દર્દીઓને પોષણકિટનું વિતરણ કરાયું
હિન્દ ન્યુઝ, ભાવનગર ઉમરાળા તાલુકાનાં ટીમ્બી ગામે આવેલ માનવસેવા હોસ્પીટલ ખાતે ટીબી ના દર્દી ને ઉમરાળા તાલુકામાં ૩૩ પોષણ કીટનું વિતરણ વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેમાં GIDC પુર્વ નિયામક પેથાભાઈ ડી.આહીર, તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેદ્રભાઈ લખાણી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ સુઝાનસિંહ એમ.ગોહિલ, ઉમરાળા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ પી.આહિર, તાલુકા ભાજપ મહામંત્રી ભરતભાઈ ટાંક, રોહિતભાઈ બગદરીયા, ટીમ્બી હોસ્પીટલના ટ્રસ્ટ્રી બી.એલ.રાજપરા અને પરેશભાઈ ડોડીયા તેમજ ટીમ્બી હોસ્પીટલના ડો.રાજપુરા તેમજ તાલુકા હેલ્થ ઓફીસર ડો.પી.એ.પઠાણ હાજર રહેલ.
Read Moreભાવનગર જિલ્લાના નોકરીદાતાઓ અનુબંધમ પોર્ટલ પર નોંધણી કરી શકાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સરકારનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી તકો મળે તેમજ નોકરીદાતાઓને કૂશળ માનવબળ મળી રહે તે હેતુસર અનુબંધમ પોર્ટલ: www.anubandham.gujarat.gov.in તેમજ એપ શરૂ કરવામાં આવેલ છે. જાહેરક્ષેત્ર અને ખાનગીક્ષેત્રનાં નોકરીદાતાઓ એટલે કે કંપની/સંસ્થા/યુનિટ/એકમ/કચેરી પોતાની કક્ષાએ ઈન્ટરનેટનાં માધ્યમથી અનુબંધમ પોર્ટલની મુલાકાત લઈ સરળ સ્ટેપને અનુસરી જાતે જ નોકરીદાતા તરીકે નોંધણી કરાવી શકે છે. જે જાહેરક્ષેત્ર અને ખાનગીક્ષેત્રનાં એકમની નોંધણી રોજગાર કચેરી ખાતે રોજગાર બજાર માહિતી એકમ હેઠળ કરાવેલ હોય તેને પણ અનુબંધમ પોર્ટલ પર નોંધણી કરવાની રહે છે. આ પોર્ટલ પર વિવિધ શૈક્ષણિક…
Read Moreસ્વામી વિવેકાનંદ સ્વિમિંગ પૂલ ખાતે ક્લોરીન ગેસ લીકેજ માટેની મોકડ્રીલ યોજાઈ
હિન્દ ન્યુઝ, રાજકોટ તા. ૧૬/૦૩/૨૦૨૩ ગુરૂવારના રોજ સવારે 11:00 કલાકે સ્વામી વિવેકાનંદ સ્વીમીંગ પૂલ ખાતે ક્લોરીનનાં સલામત ઉપયોગ માટે વોટર વર્કસ(પ્રોજેકટ) શાખા દ્વારા મોકડ્રીલ યોજવામાં આવેલ. જેમાં કેમિસ્ટ કે.કે.વ્યાસ, ના.કા.ઈ. કે.એલ.જોષી, મ.ઈ. ડી.બી.મોરી, ક્લોરીન એટેંડન્ટ દિપાલીબેન આર. બોરીચા, વર્ક આસીસટન્ટ એ.કે.તરાવીયા તથા ઓપરેટરીંગ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ. ફાયરબ્રીગેડ તથા સંલગ્ન અધિકારીઓને જાણ કરતા કેમિસ્ટ અજયસિંહ જાડેજા, એચ.સી.નાગપરા તથા ફાયરબ્રીગેડના સ્ટેશન ઓફિસર આર.એ.જોબન, ફાયરમેન આર.સી.થોરીયા, ધ્રુવ એચ. .ત્રિવેદી વિ. તુરંત સ્થળ પર પહોચી સ્વિમિંગ પૂલ પર લીકેજ બંધ કરી પરીસ્થિતી પર કાબુ મેળવેલ. સમગ્ર ધટના…
Read More