પીપીપી ૧૪ હીંગલાજનગર, પ્રધાનમંત્રી આવાસ યોજના અને આદિત્ય હાઈટસ બિલ્ડીંગમાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ અને તાલીમ અપાઇ

હિન્દ ન્યુઝ, રાજકોટ         રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે (૧) તા.૦૯/૦૩/૨૦૨૩ ના રોજ પીપીપી ૧૪ હીંગલાજનગર, પ્રધાનમંત્રી આવાસ યોજના, અમીન માર્ગ, રાજકોટ અને (૨) આદિત્ય હાઈટસ, સાધુ વાસવાણી રોડ, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત…

Read More

ટાઉન પ્લાનીંગ શાખા તથા એ.એન.સી.ડી. વિભાગ દ્વારા શહેરના જુદા-જુદા વોર્ડ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ            રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા તથા એન.એન.સી.ડી. વિભાગ દ્વારા આજ તા.૧૦/૦૩/૨૦૨૩ ના રોજ ડીમોલીશન કરવામાં આવેલ છે. શહેરના વેસ્ટ, સેન્ટ્રલ તેમજ ઇસ્ટ ઝોનના વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકાની માલિકીની, રસ્તા પૈકી તેમજ વોંકળા પૈકીની જમીનમાં ગેરકાયદેસર દબાણ/પેશકદમી કરવામાં આવતાં અત્રેથી તા.૧૭/૨/૨૦૨૩ ના રોજ પત્ર પાઠવી સદરહુ ગેરકાયદેસર દબાણ દુર કરી,  જમીન ખુલ્લી કરવા જણાવવામાં આવેલ, તેમ છતાં આસામીઓ દ્વારા આ દબાણ દુર કરવામાં ન આવતાં આજ તા.૧૦/૩/૨૦૨૩ના રોજ નીચેની વિગતેના કુલ ૬ સ્થળોએ ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુર કરી, રાજકોટ મહાનગરપાલિકાની માલિકીની, રસ્તા પૈકી તેમજ વોંકળા…

Read More

સરકારની મદદથી મારા પરિવારને પાકી છત મળતા અમારી તમામ સમસ્યા હલ થઇ ગઇ – હિરજીભાઇ સુમારભાઇ, પાન્ધ્રો- ડો.આંબેડકર આવાસ યોજનાના લાભાર્થી

હિન્દ ન્યુઝ, ભુજ         મારો ૮ જણનો પરીવાર વર્ષોથી કાચા મકાનમાં રહેતો હતો. જે અત્યંત જર્જરીત હોવાથી ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિ હતી. પરંતુ સરકાર દ્વારા ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ સહાય આપવામાં આવતા અમને પાકી છત નસીબ થઇ છે. જેનો આનંદ આખા પરીવારમાં છે તેવું પાન્ધ્રોમાં રહેતા આવાસ યોજનાના લાભાર્થી હિરજીભાઇ સુમારભાઇએ જણાવ્યું હતું .         હિરજીભાઇ જણાવે છે કે, મારા પરીવારમાં મારી બિમાર પત્ની સહિત ૫ દિકરી અને એક દિકરો છે. તેના ભરણ-પોષણની જવાબદારી તથા દિકરીઓને પરણાવવાની ચિંતા વચ્ચે પાકું મકાન બનાવવું મારા માટે અશકય હતું. જેના કારણે કાચા મકાનમાં…

Read More

કચ્છના ખમીરવંતા અને આત્મનિર્ભર નારી ગોમતીબેન આહિર

હિન્દ ન્યુઝ, સુરત            કચ્છી ભરતકામે દેશવિદેશમાં આગવી ઓળખ મેળવી છે. કચ્છની હસ્તકલા, ભરતકામથી હજારો મહિલાઓને પગભર બની છે, ત્યારે વાત કરવી છે એવી એક ખમીરવંત અને આત્મનિર્ભર કચ્છી નારીની કે જેમણે કચ્છી એમ્બ્રોઈડરીની વિવિધ વસ્તુની બનાવટનો બિઝનેસ શરૂ કરી ૪૦૦ મહિલાને રોજગારી આપી પગભર બનાવી છે. બે ધોરણ સુધી ભણેલા ગોમતીબેને કોઠાસૂઝથી સ્વરોજગાર શરૂ કર્યો અને આજે તેમની કચ્છી એમ્બ્રોઈડરી કલાના વિદેશમાં પણ ચાહકો છે. તેમના દ્વારા હાથવણાટથી બનાવેલા કુર્તો, ચણિયા ચોલી, વોલપીસ, કુશન કવર, રજાઈ, પર્સ, પીલો કવર સહિતની ચીજોના દેશ-વિદેશમાંથી ઓર્ડરો મળી રહ્યા…

Read More

વાજપાય બેંકેબલ યોજના થકી ચંદનબેન અને રાજેશભાઈના સુખના દિવસો શરુ, આર્થિક મુંજવણ થઈ દુર

હિન્દ ન્યુઝ, મહીસાગર         ગુજરાત રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના યુવાન-યુવતીઓ, દિવ્યાંગોને સ્વરોજગારીની તક મળે તે માટે શ્રી બાજપાઈ બે‍ન્‍કેબલ યોજના તેઓને લોન સ્પરુપે પ્રોત્સાહન આપે છે. યોજનાનો મુખ્ય ઉદેશ્ય નાગરિકો પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરે અને તેઓ આત્મનિર્ભર બને તે માટે ખૂબ ઓછા દરે લોન મળે તેવો છે. VBY યોજના હેઠળ જરુરિયાતમંદને ઉદ્યોગ, સેવા અને વેપારક્ષેત્રે લોન અને તેના પર સબસીડી પણ મળવાપાત્ર છે. આજે ગુજરાત સરકારના સકારાત્મક અને ત્વરિત નિર્ણયના અભિગમને કારણે સમગ્ર રાજ્યમાંથી અનેક લોકોએ આ યોજનાનો લાભ લીધો છે અને અલગ-અલગ ક્ષેત્રે સફળતાના…

Read More

૧૩મીના કચ્છમાં છુટા છવાયા વરસાદની આગાહી

ખેતપેદાશોને સલામત સ્થળે ખસેડી લેવા અનુરોધ હિન્દ ન્યુઝ, ભુજ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતેથી તા. ૦૯/૦૩/૨૦૨૩ ના રોજ મળેલ સંદેશ આધારે અને તા. ૦૯/૦૩/૨૦૨૩ ની હવામાન વિભાગ ની આગાહી અનુસાર કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થવાની આગાહી છે. વાદળછાયું વાતાવરણ વચ્ચે આગામી તા.૧૩/૦૩/૨૦૨૩ ના રોજ દિન-૧ દરમિયાન છુટા છવાયા વરસાદની આગાહી હોઈ શાકભાજી તેમજ બાગાયતી પાકોને ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશો તથા ઘાસચારાને સલામત સ્થળે ખસેડવા અનુરોધ કરાયો છે. આ ઉપરાંત એ.પી.એમ.સી અથવા ખરીદ કેન્દ્ર તેમજ અન્ય ગોડાઉનો ખાતે ખેત-જણસોના જથ્થાને સલામત સ્થળે રાખવા તેમજ ખેત-જણસોના…

Read More

ભાવનગરમાં નાબાર્ડ દ્વારા તા. ૧૧ અને ૧૨ માર્ચના રોજ ગોહિલવાડ સખી કલા ઉત્સવ ૨૦૨૩ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરમાં વિશ્વ મહિલા દિવસ તેમજ હોળીના પાવન પર્વ નિમિત્તે નાબાર્ડ દ્વારા આયોજિત ગોહિલવાડ સખી કલા ઉત્સવ ૨૦૨૩ નો તા ૧૧ અને ૧૨ માર્ચ ના રોજ સવારે ૧૦ થી રાત્રે ૯ કલાક દરમિયાન જવાહર મેદાન, રિલાયન્સ મોલની સામે, ભાવનગર ખાતે યોજાશે. ગોહિલવાડ સખી કલા ઉત્સવમાં ખેડૂત ઉત્પાદક, સંગઠનો, સખી મંડળો, ગ્રામ્ય કારીગરો દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું પ્રદર્શન વેચાણ હાટ ઉભા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે હસ્તકલા, ભરતકામ, મોતીકામ, માટીકામ, જ્વેલરી તેમજ ગૃહ શુંસોભનની અનેક ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે આ કલા ઉત્સવમાં પ્રવેશ નિશુલ્ક રહેશે.

Read More

ગારિયાધારના શિક્ષકની અનોખી સિદ્ધિ : નેશનલ ઇન્સ્પીરેશન એવાર્ડ ૨૦૨૩ થી સન્માનિત કરાયા

હિન્દ ન્યુઝ, ભાવનગર ગારિયાધારની એમ ડી પટેલ હાઈસ્કૂલના શિક્ષક ડી.બી.મેર ને નેશનલ ઇન્સ્પીરેશન એવાર્ડ ૨૦૨૩ થી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતમાંથી માત્ર બે શિક્ષકોની પસંદગી કરવામાં આવી એમ એમની પસંદગી થતાં ખુશીની લાગણી અનુભવી રહ્યા છે. હમારી ઉડાન આપનો કે લિયે સેવા સંસ્થાન રાજસ્થાન દ્વારા દેશના અલગ અલગ રાજ્યની ઉત્કૃષ્ટ પ્રતિભાઓને સન્માનિત કરે છે ગુજરાતના મહેસાણા જિલ્લાના કડામાં દેશના પંદર રાજ્યની વિવિધ પ્રતિભાવંત વ્યક્તિઓને એવોર્ડ દ્વારા સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગારિયાધાર તાલુકાની એમ ડી પટેલ હાઈસ્કૂલ ના શિક્ષક અને એન એસ. એસ. (રાષ્ટ્રીય સેવા યોજના) ના પ્રોગ્રામ…

Read More

ભાવનગર જિલ્લામાં તા. ૧૪ થી તા. ૧૯ માર્ચ સુધી અલગ અલગ સ્થળોએ આયુષ મેળાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકારશ્રી તથા નિયામકશ્રી આયુષ ની કચેરી ગાંધીનગર નાં આદેશથી જિલ્લા પંચાયત ભાવનગર તથા તાપીબાઈ આયુર્વેદ હોસ્પિટલ અને તળાજા આયુર્વેદ હોસ્પિટલનાં સંયુકત ઉપક્રમે જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી ના માર્ગદર્શન હેઠળ વિના મૂલ્યે કુલ પાંચ આયુષ મેળાનું આયોજન કરેલ છે. આયુષ મેળા તા. ૧૪-૩-૨૩ ને મંગળવારે સરકારી આયુર્વેદ હોસ્પીટલ-તળાજા, તા. ૧૫-૩-૨૦૨૩ ને બુધવારે ટાઉનહોલ – સીહોર, તા. ૧૬-૩-૨૦૨૩ ને ગુરુવારે સી.એચ.સી. ધોધા, તા. ૧૮-૩-૨૦૨૩ ને શનિવારે પી.એચ.સી. ફરીયાદકા, તા.ભાવનગર, તા. ૧૯-૩-૨૦૨૩ ને રવિવારે જે.બી. ગુજરાતી કે. શાળા નં -૨, વલ્લાભીપુર ખાતે…

Read More