હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર ખાતે ભાવનગર રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ દ્વારા છેલ્લા બે વર્ષથી શરૂ કરવામાં આવેલ લોન ટેનિસ ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગે શિક્ષણ મંત્રીએ જાહેરાત કરતાં જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા આગામી દિવસોમાં રમતગમતને પ્રોત્સાહન આપવા વિવિધ રમતો માટે ટુર્નામેન્ટ અને કપનું આયોજન કરવામાં આવશે. આ કપ શિક્ષણ વિભાગના પ્રોત્સાહન સાથે યુનિવર્સિટીઓ અને ખાનગી યુનિવર્સિટીઓના અભ્યાસ કરતાં હોય કે અભ્યાસ ન કરતાં હોય તેવાં વિદ્યાર્થીઓ વચ્ચે પણ રમતગમતની સ્પર્ધા થાય અને રમતગમતને પ્રોત્સાહન અને…
Read MoreMonth: June 2022
ગામમાં સ્વિમિંગ પૂલ ન હોવાથી ચેકડેમમાં પ્રેક્ટિસ કરીને ભાવનગરના પાલીતાણાની સ્કૂલના બાળકો સ્વિમિંગ સ્કૂલમાં આધુનિક તાલીમ માટે પસંદગી પામ્યા
હિન્દ ન્યુઝ, ભાવનગર આપણે ત્યાં કહેવત છે કે, ‘મન હોય તો માળવે જવાય’ આ કહેવતને ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ.શાળાના બાળકોએ ખરા અર્થમાં સાકાર કરી બતાવી છે. ગામમાં સ્વિમિંગ-પુલની સગવડ ન હોવાથી ગામમાં આવેલાં ચેકડેમમાં નિરંતર પ્રેક્ટિસ કરીને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત સ્વિમિંગ શાળામાં પ્રવેશ મેળવીને પોતાનું કૌવત બતાવ્યું છે. શાળાના આચાર્ય અને બાળકોના કોચ બી.એ.વાળાના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા મુકામે યોજાયેલ રાજય કક્ષાની તરણ સ્પર્ધામાં ભાગ લઈને રાજ્ય કક્ષાના બાળકો વચ્ચે આ સિદ્ધિ મેળવી છે.. જેમાં સ્વીમીંગની વિવિધ ઇવેન્ટ ફ્રી સ્ટાઇલ, બેક સ્ટ્રોક, બટર ફલાય,…
Read Moreસરકારી શાળાના બાળકોને શિક્ષણની સાથે સાથે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોનું પણ અપાશે જ્ઞાન
હિન્દ ન્યુઝ, ભાવનગર • દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત રાજયની અંતરિયાળ વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાના બાળકોને એક્સપોઝર વીઝીટના ભાગરૂપે ગુજરાતના ઐતહાસિક તથા સાંસ્કૃતિક સ્થળોનો પ્રવાસ કરાવાશે • આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વડનગરના ભવ્ય ઐતિહાસિક તથા સાંસ્કૃતિક વારસાનો બહોળો પ્રચાર અને પ્રસાર કરવામાં આવશે • બાળકોને વડનગરના ઐતિહાસિક સ્મારકો જેવા કે કીર્તિ તોરણ, તાનારીરી સ્મારક, હાટકેશ્વર મંદિર, શર્મિષ્ઠા તળાવ તથા સતલાસણાનું તારંગાહીલ, મોઢેરાનું સુર્યમંદિર, સિધ્ધપુરનું બિંદુ સરોવર, પાટણની રાણકીવાવ જેવા સ્થાપત્યોની માહિતી આપવામાં આવશે • શાળાના બાળકોના આ સ્થળોની મુલાકાત માટેનો પ્રવાસ ખર્ચ તેમજ ચા-નાસ્તો, ભોજન તથા નિવાસ તેમજ અન્ય આનુષાંગિક…
Read Moreગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પ્રદાન કરવા ૨૭ જેટલાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ૧૫ માં નાણાપંચ અંતર્ગત આધુનિક સાધનો અર્પણ કરતાં ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ
હિન્દ ન્યુઝ, ભાવનગર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પ્રદાન કરવા માટે, માતા મૃત્યુ અને બાળ મૃત્યુ દર ઘટાડવા માટે, હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શનનું પ્રમાણ ઘટાડવા માટે કટિબદ્ધ છે. પંચવર્ષીય યોજના અંતર્ગત ૧૫ માં નાણાપંચની ગ્રાન્ટમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ આરોગ્ય સુવિધાઓ ગુણવત્તાસભર અને અત્યાધુનિક સેવાઓ છેવાડાના માનવીને મળી રહે તે માટે આ વર્ષે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ અને આરોગ્ય સમિતિના ચેરમેન વિક્રમભાઇ ડાભીની પ્રેરણાથી અને જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવાના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.કે. તાવિયાડના પ્રયત્નોથી ૨૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને…
Read Moreભાવનગર જિલ્લાના મહુવા ખાતે આગામી તા.૧૪ ના રોજ કેન્દ્ર સરકારના ૮ વર્ષ પૂર્ણ થવાના અવસરે સેવા- સુશાસન કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યૂઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં આગામી તા.૧૪ જુન, મંગળવારે કેન્દ્ર સરકારનાં ૮ વર્ષ પૂર્ણ થવા અવસરે સેવા- સુશાસન કાર્યક્રમ મહુવા એ.પી.એમ.સી. ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ રાજ્યમંત્રી આર.સી.મકવાણાનાં અધ્યક્ષ સ્થાને યોજાશે. જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કાર્યક્રમની પૂર્વતૈયારી માટે જિલ્લા સેવા સદન ખાતેના વિડિયો કોન્ફરન્સ હોલ ખાતે એક બેઠક યોજાઇ હતી. જેમાં કાર્યક્રમના સ્થળ, સમય અને આયોજન બાબતે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ કાર્યક્રમ અંગે જરૂરી સૂચનો કર્યા હતાં. જે અંતર્ગત સરકારની ફલેગશીપ યોજનાઓના લાભ લાભાર્થી નાગરિકોને આપવા, કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધિઓ, વિવિધ યોજનાઓની…
Read Moreદુનિયાનો છેડો ઘર અને આ ઘરને સાકાર કરવાનું માધ્યમ એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના
હિન્દ ન્યુઝ, ભાવનગર આ પૃથ્વી પર માનવ જાત માટે ત્રણ સુવિધાઓ ખૂબ જ મહત્વની છે. રોટી, કપડાં ઔર મકાન. પૃથ્વી પરના દરેક વ્યક્તિને પોતાનું ઘર હોય તેવી ઈચ્છા અને અભિલાષા હોય છે. જ્યાં તે પોતાના ઘરમાં પોતાનો કુટુંબ કબીલો વસાવી શકે. પોતાનો ઘરસંસાર ચલાવી શકે અને પેઢી દર પેઢી ચલાવી શકે. જ્યાં તેને નિરાંતની પળો મળે, સુખ મળે અને દિવસભરના થાક બાદ આરામની લહેરખી જ્યાં અનુભવાય તે પોતાનું ઘર છે. એટલાં માટે તો કહેવાય છે કે દુનિયાનો છેડો ઘર અને તેને વાસ્તવમાં ચરિતાર્થ કરવાં માટેનું માધ્યમ બની છે… પ્રધાનમંત્રી આવાસ…
Read Moreમિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, દુ:ખમાં આગળ પડી રહે, સુખમાં પાછળ હોય
હિન્દ ન્યુઝ, ભાવનગર કેન્દ્ર સરકારના ૮ વર્ષ પૂર્ણ થયાં છે ત્યારે દેશના અનેક લાભાર્થીઓના સપનાઓ પણ કેન્દ્ર સરકારની વિવિધ સહાયલક્ષી યોજનાઓથી પુરા થઈ રહ્યાં છે. લોક કલ્યાણની અનેક યોજનાઓ ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરીવારોને સહાયરૂપ બનતી હોય છે. આ યોજનાઓ પૈકીની એક પ્રધાનમંત્રી આવાસ યોજના છે…આ એક એવી યોજના કે, જેના દ્વારા નાના માણસોના પોતાના ઘરના ઘરનું સ્વપ્ન હકિકતમા ફેરવી દે છે. જીવનમાં દરેક માણસને પોતાનું ઘર બનાવવું એ એક સ્વપ્ન હોય છે. જે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા સાકાર થઇ રહ્યું છે. એક કહેવત છે કે, મિત્ર એવો…
Read Moreરાધનપુર રાજગઢી વિસ્તાર માં ગટર ઉભરાવવાનું યથાવત, વાહન ચાલકો દુકાનદારો પરેશાન
હિન્દ ન્યુઝ, રાધનપુર રાધનપુર વિસ્તાર માં ઘણા સમય થી લઇ ને ગટર ના પ્રશ્નો યથાવત છે ગટરો બ્લોક રાધનપુર ની નાની શેરીઓ માં ગંદકી નું સામ્રાજય જોવા મળી રહ્યું છે. રોગચાળો ફાટી નીકળવાની દહેશત થી જાતે ગટર સાફ કરવા લોકો મજબૂર થયા, લાગી રહ્યું છે કે સફાઈકામદારો ગેરહાજર છે!! નગર પાલિકા રાધનપુર પોલમ પોલ રાધનપુરમાં દરેક નાની શેરીઓ માં ગટરો ઉભરાવવા ના પ્રશ્નો યથાવત જ જોવા મળી રહ્યા છે ગટરો ઉભરાઈ રહી છે છતાં નગરમા સફાઈ કામદારો ગેરહાજર, રોગચાળો ફાટી નીકળવાની દહેશત સર્જાઇ રહી એવા આવ્યા દૃશ્યો સામે આવી રહ્યા…
Read Moreબરવાળાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે પ્રવેશ-૨૦૨૨ ના પ્રવેશસત્રની ઓનલાઇન પ્રવેશની કામગીરી શરૂ
હિન્દ ન્યુઝ, બોટાદ બરવાળા તાલુકાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે પ્રવેશ-૨૦૨૨ ના પ્રવેશસત્રની ઓનલાઇન પ્રવેશની કામગીરી તા.૦૨/૦૫/૨૦૨૨ થી શરૂ થયેલ છે. ઉક્ત તાલીમ સંસ્થા ખાતે પ્રવેશ લેવા ઇચ્છુક ઉમેદવારોએ પ્રવેશફોર્મ ઓનલાઇન ભરવાની છેલ્લી તા.૨૦/૦૬/૨૦૨૨ છે.જરૂર પડ્યે કચેરી ખાતે સવારે ૧૦:૩૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક દરમિયાન પ્રવેશ મેળવનાર રૂબરૂ સંપર્ક કરી શકશે. વધુ માહિતી માટે ઉક્ત સંસ્થાનો એડમિશન હેલ્પલાઇન નં- ૮૫૧૧૨૧૬૭૧૧ અને ૯૫૩૭૩૮૧૦૫૧ ઉપર સંપર્ક સાધવા બરવાળાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ના આચાર્ય તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે. રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ
Read Moreકુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિનું કુદરતી રીતે અથવા અકસ્માતે મૃત્યુ થાય તેવા કિસ્સામાં “સંકટ મોચન યોજના” અંતર્ગત રૂા.૨૦ હજારની સહાય મળશે
હિન્દ ન્યુઝ, બોટાદ રાષ્ટ્રીય કુંટુંબ યોજના (સંકટ મોચન યોજના) અંતર્ગત ગરીબી રેખાનો ૦ થી ૨૦ નો BPL નો સ્કોર ધરાવતી કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ (સ્ત્રી કે પુરૂષ) નું કુદરતી રીતે અથવા અકસ્માતે મૃત્યુ થાય તેવા કિસ્સામાં તેના નજીકના સગા કુંટુંબીજનોને રૂા.૨૦,૦૦૦/- ની એકવારની સહાય મળવાપાત્ર થાય છે. મૃત્યુ પામનાર સ્ત્રી કે પુરૂષની ઉંમર ૧૮ વર્ષથી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઇએ. સહાય મેળવવા કમાઉ વ્યક્તિના અવસાન થયાના ૨ વર્ષની અંદર અરજી કરવાની રહેશે. મુખ્ય કમાવનાર વ્યક્તિનું મૃત્યું થતાં કુંટુંબને એક વખત સહાય ડી.બી.ટી મારફત અરજદારના બેન્ક એંકાઉન્ટમાં જમા કરાવવામાં…
Read More