હિન્દ ન્યુઝ, ભાવનગર
પી.એમ કિસાનના લાભાર્થી અને વાંગધ્રા ગામના વતની જતીનભાઈ કુવાડીયા ખેતીવાડી સાથે સંકળાયેલા છે. પી.એમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ૬૦૦૦ની રકમ સીધા એમના બેંક એકાઉન્ટ પર જમા થઈ જાય છે. આ રાશિ નો ઉપયોગ કરીને જતીનભાઈ કુવાડીયાએ બિયારણ અને ખેતી માટે ઉપયોગી અન્ય સામાન ખરીદી કરેલ છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માંગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતી દ્વારા દેશનું આગામી ભવિષ્ય વધુ સ્વસ્થ બને તેની નેમ સાથે વધુ ને વધુ ખેડૂત જોડાય તેવી આશા જતીનભાઈ કુવાડીયાએ વ્યક્ત કરી હતી સાથોસાથ સરકાર નો આભાર પણ માન્યો હતો