હિન્દ ન્યુઝ, ભાવનગર
દૂધીબેન પ્રેમજીભાઈ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના વાંગધ્રા ગામના રહેવાસી છે. તેઓને ઉજ્જ્વલા યોજના અંતર્ગત ગેસ સિલિન્ડર અને રેગ્યુલેટરનો લાભ પ્રાપ્ત થયો છે.
વાંગધ્રા જેવા છેવાડાના ગામની પણ વિચારણા કરી સરકાર યોજનાઓનુ્ નિર્માણ કરે છે, જેનાં પરિણામસ્વરૂપ અનેક ઘરમાં અજવાળું પ્રગટયું છે. જેથી હવે દૂધીબેનને પણ ચૂલાના આકરા ધુમાડાથી મુક્તિ મળી છે.
ઉજ્જ્વલા યોજના થકી સરકાર દરેક પરિવારના સ્વાસ્થ્ય અને સુખાકારીની નિરંતર ચિંતા- વિચારણા કરે છે તે બદલ તેઓ આભાર માને છે.