હિન્દ ન્યુઝ, ભાવનગર
વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ આરંભાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગામ- ગામથી જન- જન જોડાઇ રહ્યા છે. આ યાત્રા અન્વયે ભાવનગર જિલ્લામાં સરકારની વિવિધ જનસુખાકારી યોજનાઓને તમામ નાગરિકો સુઘી પહોંચાડવામાં આવી રહી છે. આજે ઉમરાળા તાલુકાના વાંગધ્રા ગામ ખાતે સંકલ્પ યાત્રા રથનું કલેક્ટર આર. કે. મહેતા અને ગ્રામજનો દ્વારા હર્ષોલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ તકે વાંગધ્રા ગામી રાખેલ કિશાન ક્રેડિટ કાર્ડના સ્ટોલમાં ગામના દિવ્યાંગ બાવચંદભાઈ મારૂ કિશાન ક્રેડિટ કાર્ડ માટેનું ફોર્મ ભરવા માટે આવ્યા હતા ત્યારે સ્થળ પર અધિકારીઓ દ્વારા એમને યોગ્ય માર્ગદર્શન આપીને ફોર્મ સ્વીકારવામાં આવ્યું હતું.