હિન્દ ન્યૂઝ, ભાવનગર
ભાવનગર જિલ્લામાં આગામી તા.૧૪ જુન, મંગળવારે કેન્દ્ર સરકારનાં ૮ વર્ષ પૂર્ણ થવા અવસરે સેવા- સુશાસન કાર્યક્રમ મહુવા એ.પી.એમ.સી. ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ રાજ્યમંત્રી આર.સી.મકવાણાનાં અધ્યક્ષ સ્થાને યોજાશે.
જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કાર્યક્રમની પૂર્વતૈયારી માટે જિલ્લા સેવા સદન ખાતેના વિડિયો કોન્ફરન્સ હોલ ખાતે એક બેઠક યોજાઇ હતી. જેમાં કાર્યક્રમના સ્થળ, સમય અને આયોજન બાબતે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ કાર્યક્રમ અંગે જરૂરી સૂચનો કર્યા હતાં. જે અંતર્ગત સરકારની ફલેગશીપ યોજનાઓના લાભ લાભાર્થી નાગરિકોને આપવા, કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધિઓ, વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, પ્રાદેશિક નગરપાલિકા નિયામક અજય દહિયા, પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેકટર બી.જે.પટેલ તેમજ પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ સહિતનાં અધિકારીઓ વિડિયો કોન્ફરન્સનાં માધ્યમથી જોડાયાં હતાં.
બ્યુરોચીફ (ભાવનગર): હકીમ ઝવેરી