હિન્દ ન્યુઝ, બોટાદ
રાષ્ટ્રીય કુંટુંબ યોજના (સંકટ મોચન યોજના) અંતર્ગત ગરીબી રેખાનો ૦ થી ૨૦ નો BPL નો સ્કોર ધરાવતી કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ (સ્ત્રી કે પુરૂષ) નું કુદરતી રીતે અથવા અકસ્માતે મૃત્યુ થાય તેવા કિસ્સામાં તેના નજીકના સગા કુંટુંબીજનોને રૂા.૨૦,૦૦૦/- ની એકવારની સહાય મળવાપાત્ર થાય છે. મૃત્યુ પામનાર સ્ત્રી કે પુરૂષની ઉંમર ૧૮ વર્ષથી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઇએ. સહાય મેળવવા કમાઉ વ્યક્તિના અવસાન થયાના ૨ વર્ષની અંદર અરજી કરવાની રહેશે. મુખ્ય કમાવનાર વ્યક્તિનું મૃત્યું થતાં કુંટુંબને એક વખત સહાય ડી.બી.ટી મારફત અરજદારના બેન્ક એંકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે. આ યોજના હેઠળ સહાય મેળવવા માટે જે તે તાલુકા મામલતદારની કચેરીમાં અરજી કરવાની રહેશે. તેમ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી બોટાદ તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ