કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિનું કુદરતી રીતે અથવા અકસ્માતે મૃત્યુ થાય તેવા કિસ્સામાં “સંકટ મોચન યોજના” અંતર્ગત રૂા.૨૦ હજારની સહાય મળશે

હિન્દ ન્યુઝ, બોટાદ

રાષ્ટ્રીય કુંટુંબ યોજના (સંકટ મોચન યોજના) અંતર્ગત ગરીબી રેખાનો ૦ થી ૨૦ નો BPL નો સ્કોર ધરાવતી કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ (સ્ત્રી કે પુરૂષ) નું કુદરતી રીતે અથવા અકસ્માતે મૃત્યુ થાય તેવા કિસ્સામાં તેના નજીકના સગા કુંટુંબીજનોને રૂા.૨૦,૦૦૦/- ની એકવારની સહાય મળવાપાત્ર થાય છે. મૃત્યુ પામનાર સ્ત્રી કે પુરૂષની ઉંમર ૧૮ વર્ષથી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઇએ. સહાય મેળવવા કમાઉ વ્યક્તિના અવસાન થયાના ૨ વર્ષની અંદર અરજી કરવાની રહેશે. મુખ્ય કમાવનાર વ્યક્તિનું મૃત્યું થતાં કુંટુંબને એક વખત સહાય ડી.બી.ટી મારફત અરજદારના બેન્ક એંકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે. આ યોજના હેઠળ સહાય મેળવવા માટે જે તે તાલુકા મામલતદારની કચેરીમાં અરજી કરવાની રહેશે. તેમ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી બોટાદ તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment