મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ I-Create ની મુલાકાતે I-Createના ઇલેકટ્રીક વ્હીકલ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્દઘાટન કર્યુ

હિન્દ ન્યુઝ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રેનિયોરશિપ એન્ડ ટેક્નોલોજી i-Createના કેમ્પસની મુલાકાત લઇને વિવિધ સ્ટાર્ટઅપની નવિન શોધ-સંશોધન, ગતિવિધિઓની તલસ્પર્શી માહિતી મેળવી હતી. તેમણે યુવા સ્ટાર્ટઅપ્સ સાથે પ્રત્યક્ષ વાતચીત કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્યમંત્રી અમદાવાદ જિલ્લાના દેવ ધોલેરા નજીક આવેલા i-Create કેમ્પસમાં મુખ્ય સચિવ પંકજકુમાર સાથે પહોચ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે i-Createના ઇલેક્ટ્રીક વ્હીકલ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્દઘાટન પણ આ મુલાકાત દરમ્યાન કર્યુ હતું. i-Create EV સેન્ટર ઓફ એક્સલન્સમાં નાના ઇલેક્ટ્રિક વાહનો માટે યુનિક અને ઇન્ટિગ્રેટેડ ઓપન-સોર્સ પ્લેટફોર્મ બનાવવાથી માંડીને શહેરો માટે ઓપન સ્ટાન્ડડર્સ તરીકે ગ્રીન અર્બન માસ મોબિલિટી…

Read More

“નર્મદા સેવા અને શ્રમ શિબિર”- ૨૦૨૧-૨૨ માં ભાગ લેવા ઇચ્છુક યુવક-યુવતિઓએ તા.૧૦ મી ફેબ્રુઆરી, ૨૦૨૨ સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે

હિન્દ ન્યુઝ, નર્મદા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી નર્મદા દ્વારા ચાલુ વર્ષે “નર્મદા સેવા અને શ્રમ શિબિર”- ૨૦૨૧-૨૨ કાર્યક્ર્મ યોજવામાં આવનાર છે. ચાલુ વર્ષે ૭ (સાત) દિવસ માટે આ શિબિરનુ આયોજન કરવામાં આવનાર છે. જેમાં રાજ્યભરમાંથી મળેલ અરજીઓમાંથી ઉમેદવાર પસંદ કરી કુલ ૧૫૦ (એકસો પચાસ) યુવક યુવતીઓને આ કાર્યક્ર્મમાં ભાગ લેવાની તક આપવામાં આવશે. આ શિબિરમાં જોડાવા ઇચ્છતા યુવક યુવતિઓ કે જેમની ઉમંર ૧૫ થી ૩૫ વર્ષ હોય તેમને સાદા કાગળ ઉપર પોતાનુ નામ સરનામુ, મોબાઇલ નંબર, જન્મતારીખ, શૈક્ષણીક લાયકાત, વ્યવસાય, એન.સી.સી / પર્વતારોહણ/…

Read More

ઇડર દાવડ ખાતે ખાનગી માલિકીના પ્લોટમાં પાયાના ખોદકામ દરમિયાન પ્રાચીન ખંડિત ૪૮ મૂર્તિઓના માલિકી અંગેના હક્ક દવા અંગે

હિન્દ ન્યુઝ, ઈડર સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના દાવડ ખાતેથી ખાનગી માલિકીના પ્લોટના પાયાના ખોદકામ દરમિયાન મળી આવેલ પ્રાચીન મૂર્તિઓને સંપાદન કરવાના સંબંધમાં જાહેરનામું બહાર પાડવા અને વાંધા સૂચનો મેળવવા તેમજ સદર હું મૂર્તિઓના માલિકી અંગેના હક્ક દવા મેળવવાની કામગીરી કરવા અત્રેને અધિકૃત કરવા હુકમ કરેલ છે. જે વાસ્તે, શ્રીમતી એસ.એન.પરીખ ,જી.એ.એસ ,નાયબ કલેક્ટર અને સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ ઇડરને મળેલ સત્તાની રૂએ ભારત ભૂમિગત ધન અધિનિયમ – ૧૮૭૮ ની કલમ -૫ હેઠળ આથી જાહેર કરવામાં આવે છે કે, મોજે .દાવડ તા.ઇડર ખાતે રાવળ મંગાભાઇ ત્રિકમભાઇના ખાનગી માલિકીના પ્લોટમાં પાયાના ખોદકામ દરમિયાન…

Read More

હિંમતનગરના રાજપુર (નવા) કામધેનુ યુનિવર્સિટી ખાતે મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીના હસ્તે સ્નાતક અને અનુસ્નાતક મત્સ્યવિજ્ઞાન મહાવિદ્યાલયનું ભૂમિ પૂજન અને નવીન છાત્રાલય ભવનનું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, કેન્દ્રિય કેબિનેટ મંત્રી પુરૂષોતમ રૂપાલા વર્ચ્યુઅલ માધ્યમ થકી ઉપસ્થિત રહ્યા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાજપુર (નવા) કામધેનુ યુનિવર્સિટી ખાતે રાજ્ય કક્ષાના કલ્પસર, મત્સ્યઉદ્યોગ, નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીના વરદ હસ્તે સ્નાતક અને અનુસ્નાતક મત્સ્યવિજ્ઞાન મહાવિદ્યાલયના ભૂમિ પૂજન તથા ભાઈઓ માટેની છાત્રાલય ભવનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્ર્મમાં વર્ચ્યુઅલ માધ્યમથી કેબિનેટમંત્રી પુરૂષોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, આજે અહિં વિધાર્થીઓ માટેના અધ્યતન સુવિધાઓથી સજ્જ ૩૬ રૂમો અને ૧૦૮ વિધાર્થીઓની ક્ષમતાવાળા નવીન છાત્રાલયને ખુલ્લું મુકવામાં આવ્યું છે. તેમજ સ્નાતક અને અનુસ્નાતક મત્સ્યવિજ્ઞાન…

Read More

બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી વિનોદભાઈ મોરડિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ પ્રભારી મંત્રી વિનોદભાઈ મોરડિયાના અધ્યક્ષસ્‍થાને આજે બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ ૧૫% વિવેકાધિન જોગવાઈ, ૫% પ્રોત્સાહક જોગવાઈ, એ.ટી.વી.ટી જોગવાઈ, વિકાસશીલ તાલુકા જોગવાઈ, ધારાસભ્ય જોગવાઈ, સાંસદસભ્ય જોગવાઈ હેઠળના વર્ષ: ૨૦૧૮-૧૯ થી વર્ષ:૨૦૨૧-૨૨ સુધીના કામોની સમીક્ષા કરવામાં આવી અને આગામી વર્ષ: ૨૦૨૨-૨૩ની વિવિધ જોગવાઇ હેઠળનાં કામોના પૂર્વ આયોજન અંગેની સમીક્ષા કરવામાં આવી હતી અને બોટાદ જિલ્લાના અગત્યના નિર્દેશકો દ્વારા જિલ્લાની સ્થિતિ દર્શાવતો અગત્યનો Sustainable Development Goals Report Botad District August-2021 નુ મંત્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું…

Read More

મહેસાણા જિલ્લાની 13 વ્યાજબી ભાવની દુકાનો શરૂ કરવા માટે 14 ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, મહેસાણા મહેસાણા જિલ્લાની 13 વ્યાજબી ભાવની દુકાનો શરૂ કરવા માટે જાહેરનામું પુરવઠા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે. જેમાં ઉંઝા તાલુકાનું વિશોળ (સામાન્ય), મહેસાણા તાલુકાના જોરણંગ 1, જોરણંગ 2, છઠીયારડા 1, છઠીયારડા 2, પાલાવાસણા અને રામોસણ 2 માટે (સામાન્ય ઉમેદવારો), બોરીઆવી 1 અને પાંચોટ-3 માટે (બક્ષીપંચ ઉમેદવારો ), વિસનગર તાલુકાના પાલડી માટે (બક્ષીપંચના ઉમેદવારો), કમાણા 1 માટે (સામાન્ય ઉમેદવારો), સતલાસણા તાલુકાના સરદારપુર (ચિ)-કેશરપુરા-દુલાણા માટે (સામાન્ય ઉમેદવારો) સહિત ખેરાલુ તાલુકાના પાન્છા ગામે બક્ષીપંચના ઉમેદવારો નવીન દુકાનો માટે 14 ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકે છે. જેમાં છઠીયારડા 01 અને 02…

Read More

કોરોનાકાળમાં માતા મૃત્યુદર તેમજ બાળ મૃત્યુદર ઘટાડવા માટે ૧૦૮ ની પ્રશંસનીય સેવા

હિન્દ ન્યુઝ, ભારત જેવાં વિશાળ દેશમાં આરોગ્ય વિષયક કાળજીનો અભાવ તથા તે અંગેના અજ્ઞાનને કારણે વિકસીત દેશોની સરખામણીમાં ઉંચો માતામૃત્યુ દર અને બાળ મૃત્યુદર જોવાં મળે છે. તેને ઘટાડવાં માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા તેને ઘટાડવાં સતત પ્રયત્ન કરવામાં આવે છે. મમતાકાર્ડ, મીશન ઇન્દ્રધનુષ, સગર્ભા અને ધાત્રી માતાઓને પુરક પોષણ, ખીલખીલાટ વાન તથા પ્રસૂતિ માટે ગમે ત્યારે ૧૦૮ વગેરે જેવી સેવા દ્વારા તેમાં ધીમે-ધીમે નોંધપાત્ર સુધારો આવ્યો છે. સ્વસ્થ માતા જ સ્વસ્થ બાળકને જન્મ આપી શકે છે. આવાં સ્વસ્થ બાળકો કે જેઓ ભારતનું ભાવી છે ત્યારે આવાં બાળકોની…

Read More

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સટી (GTU)નો 11મો દીક્ષાંત સમારોહ

હિન્દ ન્યુઝ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના 11માં દીક્ષાંત સમારોહમાં પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે સત્યના માર્ગ પર, કર્તવ્યધર્મનું પાલન કરી, સતત શીખવાના ભાવ સાથે રાષ્ટ્રના કલ્યાણ માટે પ્રવૃત થવા દીક્ષાર્થીઓને અનુરોધ પણ કર્યો હતો. રાજ્યપાલએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં દીક્ષાંતનું અનોખું મહત્વ હતું. શિક્ષણના કેન્દ્રમાં સર્વ-કલ્યાણની ભાવના હતી. રાજ્યપાલએ માતા-પિતા અને ગુરુજનોને દેવતૂલ્ય ગણાવી તેમના પ્રત્યેના ઋણને ચૂકવવા દીક્ષાર્થીઓને અનુરોધ પણ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, પદવી પ્રાપ્ત કરી રહેલા યુવાનો જીવનનો એક અધ્યાય પૂરો કરી પોતાના કાર્યક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યા…

Read More

૨૦ દિવસની દીકરીને ન્યાય અપાવીને જ રહીશું : ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી

હિન્દ ન્યૂઝ, અમદાવાદ અમદાવાદ જિલ્લા ના ધંધુકા માં વિધર્મી દ્વારા કિશન ભરવાડ નામના યુવાન પર ફાયરીંગ કરીને હત્યા કરવામાં આવી હતી ત્યારે આજરોજ આપણા ગુજરાત સરકાર ના રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવ બાવળીયાળી ઠાકર દુવારા ના મહંત ને ભરવાડ સમાજ ના ધર્મગુરુ શ્રી રામબાપુ તેમજ ગુજરાત ભરવાડ સમાજ ના અગ્રણી વિજયભાઈ ભરવાડ સુરત, હીરાભાઈ ચાવડા, કિરીટસિંહ રાણા (વન વિભાગ મંત્રી) મુકુંદ બાપુ વડવાળા, શંભુનાથ ટુંડિયા, બાબાભાઈ ભરવાડ, લીમડી રણછોડભાઈ ભરવાડ પ્રમુખ VHP, જગદીશભાઈ મકવાણા જિલ્લા પ્રમુખ સુરેન્દ્રનગર, હર્ષદગીરી ગોસાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ વગેરે મહાનુભાવો સ્વ.કિશન ભરવાડ ના ઘર ની મુલાકાત લીધેલ…

Read More

તા.૩૦મી જાન્યુઆરીથી ૧૩મી ફેબ્રુઆરી દરમિયાન સ્પિર્શ રકતપિત્ત જનજાગૃતિ અભિયાન યોજાશે

હિન્દ ન્યુઝ, વલસાડ              વલસાડ જિલ્લામાં રાષ્ટ્રી ય રક્તવપિત્ત નિમૂલન કાર્યક્રમ અંતર્ગત સ્પિર્શ લેપ્રેસી અવેરનેસ કેમ્પેાઇન તા.૩૦/૧/૨૦૨૨ થી તા.૧૩/૨/૨૦૨૨ દરમિયાન યોજાશે. જે અંતર્ગત જિલ્લા૩ના તમામ તાલુકાઓના પ્રાથમિક આરોગ્યશ કેન્દ્રોઅના તમામ ગ્રામ્યન વિસ્તાીરોમાં રકતપિત અંગે લોકોને જાણકારી આપવામાં આવશે. રકતપિત્ત જંતુજન્યવ રોગ છે. રક્તાપિત્તનું વહેલું નિદાન અને ત્વરરિત સારવાર કરવામાં આવે તો સંપૂર્ણપણે મટી શકે છે. રકતપિત્તની શરૂઆતના ચિહ્‌નો જોઇએ તો, ચામડીના રંગ અને કુમાશમાં ફેરફાર, સ્પાર્શ જ્ઞાનનો અભાવ, ચામડી ઉપર ચાઠું એ રક્તંપિત્ત હોઇ શકે છે. વહેલું નિદાન, નિયમિત અને પૂરતી બહુ ઔષધીય સારવારથી વિકૃતિ…

Read More