ગોંડલ માં હનીટ્રેપ નો કારસો રચી બ્રાહ્મણ નું મકાન પચાવી પાડનાર છ શખ્સો વિરુદ્ધ ની ફરિયાદ ગોંડલ સીટી.પો.સ્ટે.માં કરેલી તે ફરિયાદ માં ફરિયાદી ની ફરિયાદ નહીં લેવાતા તેની ફરિયાદ ઠેઠ PMO સુધી પહોંચી છે હિન્દ ન્યુઝ, ગોંડલ પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ ભોજરાજપરા નાં અંબીકાનગર માં રહેતા બ્રાહ્મણ સ્વ.હરસુખલાલ પંડ્યા સાથે પહેલા લોકડાઉન સમયે હનીટ્રેપ જેવો કારશો રચી તેના મકાનનો દસ્તાવેજ કરાવી લઈ સર-સામાન સાથે મકાન પચાવી પાડનાર મોટા દડવા ગામનાં નયનપરી પ્રતાપપરી ગૌસ્વામી અને તેમાં સામેલ કુલ ૬(છ) શખ્સો વિરુદ્ધ ગોંડલ સીટી પો.સ્ટે.માં હરસુખલાલ પંડ્યા નાં પુત્ર કપિલભાઈ પંડ્યા એ…
Read MoreDay: January 23, 2022
અમદાવાદ શહેરની AMTS અને BRTS બસમાં દિવ્યાંગ વ્યક્તિઓ ને મફત મુસાફરી નો લાભ આપવામાં આવે : ગુણવંત સરવૈયા
હિન્દ ન્યુઝ, અમદાવાદ AMTS તેમજ BRTS બસમાં અલગ-અલગ પ્રકારના કન્સેસન આપવામાં આવે છે પરંતુ હવેથી ૪૦% થી તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિઓ ને મફત મુસાફરી નો લાભ આપવો જોઈએ અમદાવાદ શહેરની AMTS બસ અને BRTS બસમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે અલગ અલગ પ્રકારના કન્સેશન આપવામાં આવે છે પરંતુ હવે ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને અમદાવાદ બી.આર.ટી.એસ. બસ અને એ.એમ.ટી.એસ. બસમાં દિવ્યાંગ વ્યક્તિઓ મફત મુસાફરી નો લાભ લઈ શકે તેવી ગુણવંત સરવૈયા દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને અમદાવાદના મેયર પાસે માંગણી કરવામાં આવી છે. અમદાવાદ શહેરની એ.એમ.ટી.એસ. અને…
Read Moreકડી તાલુકાના વામજ ગામના ગણપતજી ભીખાજી ઠાકોરની દીકરી સ્વ.સુહાગ ની યાદગીરી માટે બનાવેલું મિસ યુ સુહાગ વોટ્સએપ નું શૈક્ષણિક ગ્રૂપ
હિન્દ ન્યૂઝ, કડી તાલુકાના વામજ ગામના ગણપતજી ભીખાજી ઠાકોરની દીકરી સ્વ.સુહાગ ની યાદગીરી માટે બનાવેલું મિસ યુ સુહાગ વોટ્સએપ નું શૈક્ષણિક ગ્રૂપ એક પરિવાર બની ગયો છે. આ ગ્રુપમાં ગુજરાત માંથી અલગ અલગ જિલ્લામાંથી ભાઈઓ અને બહેનો જોડાયેલા છે. એક બીજાની ઓળખાણ પણ આ ગ્રુપ દ્વારા જ થઈ છે. આ ગ્રુપના સભ્યો દ્વારા ફાળો એકત્રિત કરી સુહાગબેનની ત્રીજી પુણ્યતિથિએ સેવાના કાર્યરૂપી મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વામજ ગામમાં પક્ષીઓ માટે ચબુતરો બનાવી સુહાગબેનની પુણ્યતિથિ નિમિત્તે તેને ખુલ્લો મુકવામાં આવેલ છે. આ મિસ યુ સુહાગ ગ્રુપ દ્વારા આગળ જતા જે શિક્ષણને લગતી…
Read Moreસમગ્ર કચ્છમાં કોવીડ-૧૯ના નિયંત્રણો ૨૯મી જાન્યુઆરી સુધી લંબાવવાના આદેશ કરાયા
હિન્દ ન્યુઝ, ભુજ નોવેલ કોરાના વાયરસ (COVID-19) કે જેને WHO ઘ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબંઘમાં કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. સરકારશ્રીના ગૃહ વિભાગના હુકમ ક્રમાંક વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨-B તા.૧૧/૧/૨૦૨૨ વાળા હુકમથી સમગ્ર રાજયમાં તા.૨૨/૧/૨૦૨૨ સુધી અમલમાં રહે તે રીતે કેટલાક નિયંત્રણો મુકવમાં આવેલ. સરકારના ગૃહ વિભાગના હુકમ તા.૨૧/૧/૨૦૨૨ વાળાથી રાજ્યમાં કોવિડ-૧૯ની વર્તમાન પરિસ્થિતીની પુનઃસમીક્ષા કરી કેટલાક ફેરફારો સાથેના નિયંત્રણો સમગ્ર રાજયમાં અમલમાં આવેલ નિયંત્રણોની અવધિ તા.૨૯/૦૧/૨૦૨૨ સુધી સવારના ૬.૦૦ કલાક સુધી લંબાવવામાં આવેલ છે. જેથી કલેકટર પ્રવિણા ડી.કે. દ્વારા…
Read Moreભુજ શહેર તેમજ ભુજ તાલુકાના ૪૬ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ને અટકાવવા સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં નરનારાયણનગરમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં.૩ સુધી, એમ કુલ –૩ (ત્રણ) ઘર, તા. ૨૩/૧/૨૨ સુધી, ભુજ શહેરમાં નરનારાયણનગર –૨ માં આવેલ ઘર નં.૫૫ / ૧, એમ કુલ –૧ ઘર, ભુજ તાલુકાના દહીસરા ગામે કેરા રોડ પર આવેલ ઘર નં.૧, એમ કુલ –૧ ઘર, ભુજ તાલુકાના સુખપર ગામે જુનાવાસમાં કુમાર શાળાની બાજુમાં આવેલ ઘર નં.૧ થી પર નં.૫ સુધી, એમ કુલ -૫ (પાંચ) ઘર, ભુજ તાલુકાના ગોડપર ગામે બેંકની પાછળ આવેલ ઘર નં.૧,…
Read Moreલઘુતમ ટેકાના ભાવથી તુવેર, ચણા અને રાયડાની ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર સીધી ખરીદી કરશે : કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ
લઘુતમ ટેકાના ભાવે પાક વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતે ફરજીયાત ઓનલાઇન નોંધણી કરાવી લેવા મંત્રીનો અનુરોધ હિન્દ ન્યુઝ, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, ચાલુ વર્ષે ચણા સહિતના રવિ સિઝનના પાકોનું વધુ વાવેતર થવાથી ઉત્પાદન વધવાની સંભાવનાને પગલે કેન્દ્રિય કૃષિ મંત્રીને ચણાનો વધુ જથ્થો ખરીદવા વિનંતી કરવામાં આવી હતી. મંત્રીએ ઉમેર્યું કે, ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકારે વર્ષ ૨૦૨૧-૨૨ માં તુવેર માટે રૂ. ૧૨૬૦ પ્રતિ ૨૦ કી.ગ્રા(મણ), ચણા માટે રૂ. ૧૦૫૦ પ્રતિ ૨૦ કી.ગ્રા (મણ), અને રાયડા માટે રૂપિયા ૧૦૧૦ પ્રતિ ૨૦ કી.ગ્રા(મણ) લઘુત્તમ…
Read Moreભચાઉ શહેર તેમજ ભચાઉ તાલુકાના ૧૧ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા
હિન્દ ન્યુઝ, ભુજ ભુજ જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ને અટકાવવા સરકારની માર્ગદર્શિકા અનુસાર ભચાઉ તાલુકાના સામખીયારી ગામે ઓસવાલવાસ, રામમંદિર પાસે ઘર નં.૧ થી ૪ સુધી, ભચાઉ તાલુકાના સામખીયારી ગામે ક્રિષ્નાનગરમાં શેરી નં.૧ માં ઘર નં.૧ થી ૪ સુધી, ભચાઉ તાલુકાના સામખીયારી ગામે ક્રિષ્નાનગરમાં શેરી નં.૨ માં ઘર નં.૧ થી ૪ સુધી, ભચાઉ તાલુકાના સામખીયારીગામે ઓસવાલ વાસ, હનુમાન મંદિર પાસે ઘર નં.૧ થી ૪ સુધી, ભચાઉ નગરપાલીકાના પીજીવીસીએલ ઓફીસ પાછળના વિસ્તારમાં ઘર નં.૧ થી ૩ સુધી, ભચાઉ નગરપાલીકાના પાશ્વ સીટી વિસ્તારમાં ઘર નં.સી –૧૬ નો વિસ્તાર સુધી, ભચાઉ ગામે જેકવાર કોલોની,…
Read Moreસોમનાથ ખાતે રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની પૂર્વતૈયારીઓનું જૂનાગઢ રેન્જ આઈ.જી મનીંદરસિંહ પવારે નિશિક્ષણ કર્યું
હિન્દ ન્યુઝ, ગીરસોમનાથ દેશના ૭૩માં પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી ગીરસોમનાથ જિલ્લામાં સોમનાથના સાનિધ્યમાં થનાર હોય ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ રહી છે. સુરક્ષા વિભાગની વિવિધ પાંખો દ્વારા ૧૮ પ્લાટુન બનાવીને ભવ્ય પરેડ નું આયોજન કરાયું છે ત્યારે સમગ્ર કાર્યક્રમ અને પરેડની રિહર્સલ નું જૂનાગઢ રેન્જ આઇ.જી મનીંદર સિંહ પવારે નિરીક્ષણ કર્યું હતું તેમજ યોગ્ય નિર્દેશ આપ્યા હતા. પરેડની સમીક્ષા કર્યા બાદ રેન્જ આઇ.જી એ પરેડ કમાન્ડર અને અધિકારીઓને યોગ્ય સૂચન આપ્યા હતા અને શિસ્ત સાથે સુદ્રઢ આયોજનબદ્ધ પરેડ કરવા…
Read More