હિન્દ ન્યુઝ, હારિજ તાજેતરમાં કર્ણાવતી જિલ્લાના ધંધુકા ગામે એક યુવાનની વિધર્મી દ્વારા હત્યા કરવામાં આવી છે. જેના પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાતમાં પડી રહયા હતા અને રાધનપુર તાલુકાના શેરગઢ ગામેં વિધર્મી દ્વારા યુવતી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. બંને ઘટનાને વખોડી હારિજ શ્રી હિન્દ સ્વરાજ સેનાના યુવાનો અને ગામના લોકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી ગુનેગારોને કડકમાં કડક ફાંસીની સજા આપવા રજૂઆત કરેલ છે. કર્ણાવતી જિલ્લાના ધંધુકા ખાતે વિધર્મી દ્વારા કિશનભાઇ ભરવાડ નામના યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે અને રાધનપુર તાલુકાના શેરગઢ ગામે વિધર્મી…
Read MoreDay: January 29, 2022
ઘોઘા તાલુકાના વાળુકડ ગામે ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જૂનાગઢ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી
હિન્દ ન્યુઝ, ભાવનગર દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ વિભાગો દ્વારા તેની અનેક રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વરાજ્ય થી સુરાજ્યની યાત્રાની આ ઉજવણી કરવાં માટે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૌરાષ્ટ્ર ઝોન કાર્યાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જૂનાગઢ દ્વારા ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામે વાળુકડ કેળવણી મંડળ ટ્રસ્ટ હાઇસ્કૂલ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય સંગ્રામ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશેની જાણકારી આપી લોકોમાં રાષ્ટ્ર ભાવનાનો સંચાર કરવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત થયેલ…
Read Moreચાપલધરા ખાતે પશુચિકિત્સા કેન્દ્રનુ ખાતમુર્હર્ત કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, વાંસદા વાંસદા તાલુકાના ચાપલધરા ગામ ખાતે ઘણા બધા પશુપાલકો પોતાના પાળેલા પશુઓની સારવાર કરાવતા હોય છે. વાંસદા તાલુકાના ચાપલધરા ગામમાં ગુરુવારે પશુ આરોગ્યના પેટા કેન્દ્રના અદ્યતન મકાન બાંઘકામનું ખાતમુર્હર્ત જિલ્લા પંચાયતના સભ્ય રેખાબેન આહીર ગામના સરપંચ ચીમનભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ હેમંતસિંહ પરમાર ગામના સભ્યો સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. રૂપિયા 28 લાખના ખર્ચે પશુ માટેના આ ઉપકેન્દ્રમાં જરૂરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. આ પશુ દવાખાનથી ચાપલઘરા તેમજ આસપાસના ગામના પશુપાલકોને પોતાના પશુઓની સારવાર નજીકના સ્થળે મળી રહેશે. રિપોર્ટ : સુનિલસિંહ પરમાર
Read Moreશહિદ દિન નિમિત્તે સમગ્ર ભાવનગર જિલ્લામાં બે મિનિટ મૌન પાળવા જિલ્લા વહિવટી તંત્રની અપીલ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેમણે પોતાના પ્રાણ આપ્યા છે તેવા શહીદોની સ્મૃતિમાં તા.૩૦ મી જાન્યુઆરી, ૨૦૨૨ નાં રોજ સવારે ૧૧-૦૦ વાગે બે મિનિટ મૌન પાળવું અને આખા દેશમાં શક્ય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહન વ્યવહારની ગતિ એટલો વખત બંધ રાખવી એવો કાર્યક્રમ નક્કી કરવામાં આવેલ છે. તા.૩૦મી જાન્યુઆરી, ૨૦૨૨ નાં રોજ સહુ કોઈ આ સમયે એક સાથે ગંભીરતાપૂર્વક મૌન પાળી શકે તે માટે ભાવનગર શહેરમાં સવારે અગિયારમાં અર્ધી મિનિટે જુદા જુદા સ્થળોએ આવેલી કચેરીઓ/ઓફીસો અર્ધી મિનિટ માટે…
Read Moreકમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી નર્મદા દ્વારા ચાલુ વર્ષે “નર્મદા સેવા અને શ્રમ શિબિર”- ૨૦૨૧-૨૨ કાર્યક્ર્મ યોજાશે
બોટાદ જિલ્લાના ભાગ લેનાર ઈચ્છુક ઉમેદવારે તા.૧૦ ફેબૃઆરી ૨૦૨૨ સુધીમાં રાજપીપળા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ખાતે મોકલી આપવાની રહેશે હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા યુવા વિકાસ અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી નર્મદા દ્વારા ચાલુ વર્ષે “નર્મદા સેવા અને શ્રમ શિબિર”- ૨૦૨૧-૨૨ કાર્યક્ર્મ યોજવામાં આવનાર છે. ચાલુ વર્ષે ૭ (સાત) દિવસ માટે આ શિબિરનુ આયોજન કરવામાં આવનાર છે. જેમાં રાજ્યભરમાંથી મળેલ અરજીઓમાંથી ઉમેદવાર પસંદ કરી કુલ ૧૫૦ (એકસો પચાસ) યુવક યુવતીઓને…
Read More