Day: September 26, 2020
મુંબઈ થી દિલ્હી હાઈવે નંબર. 8 પર ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આરક્ષણ ની માંગ
હિન્દ ન્યૂઝ, ગણેશપુરા, મુંબઈ થી દિલ્હી હાઈવે નંબર. 8 પર ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આરક્ષણ ની માંગ ને લીધે રાજસ્થાન ની જનતા રોડ ઉપર આવી ને હાઈવે પર ચક્કાજામ કરેલ છે. સુત્રો દ્વારા માહિતી મળતા અનિશ્ચિત સમય સુધી ચક્કાજામ રહે તેવી સંભાવના.. રિપોર્ટર : હસન અલી મોમીન, ગણેશપુરા
Read Moreરાજકોટ શહેર ના સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીને મારમારતો વિડીયો વાયરલ થયો હતો. મારના કારણે મોત થયાનો પરીવારજનોએ આક્ષેપ, ગુનો નોંધવા આવેદનપત્ર આપેલ છે
હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૨૫/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર રહેલા દર્દી પ્રભાકર ભાઇદાસ પાટીલને હોસ્પિટલ અને સિક્યુરીટીના સ્ટાફે માથે ચડી ઢોર માર મારતો વિડીયો વાયરલ થયો હતો. આ ઘટનાના પડઘા વિધાનસભા સુધી પડ્યા હતા. આ અંગે મૃતક પ્રભાકરના પરીવારજનોએ મારના કારણે મોત થયાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે મૃતક પ્રભાકરના પત્ની સપના પાટીલે પ્ર.નગર પોલીસ P.I ને આવેદન પાઠવી રજુઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે તેમના પતી એચ.જે. સ્ટીલમાં નોકરી કરતા હતા. તેમને કોઇ જાતની માનસીક બીમારી ન હતી. કોવિડ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તબીબોનો સંપર્ક…
Read Moreકાંકરેજ તાલુકાના ઉણ ગામ ના વતની ઠાકોર હરિભાઈ B.A. M. S ની ડિગ્રી મેળવી સમસ્ત ઠાકોર સમાજ નુ ગૌરવ વધાર્યું હતું
હિન્દ ન્યૂઝ, ભાભર આજે રોજ મુ.ઉણ. તા.કાકરેજ જીલ્લા. બનાસકાંઠા ના વતની એવાં ડૉ.હરીભાઇ લાલજીભાઈ ઠાકોર (ઉણેચા ) કર્ણાટક રાજ્યમાં, B.A.M.S ની ડિગ્રી મેળવી ઉણેચા પરિવાર તેમજ ઠાકોર સમાજનું ગૌરવ વધારેલ છે. જેમાં પોતાના વતન ઉણ તાલુકા કાંકરેજ, ઠાકોરવાસ માં ઉણ ગામ ના સરપંચ રામજીભાઇ, વિનોદભાઈ, દિલીપભાઈ, ઈશ્વરભાઈ, જયંતિભાઈ, Gkts પ્રમુખ ટીનાભાઈ, ભરતભાઈ (B.c. દેનાબેંક ), ઈશ્વર.સી. ઠાકોર, G.K.T.S સોસીયલ મીડિયા કન્વીનર દ્વારા તેમનુ સન્માન કરવામાં આવ્યું હતું. અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર
Read Moreવરસાદ થી થયેલ નુકશાન અંગે ખેડૂતો ને સહાય પેકેજ આપવા કિસાન એકતા સમિતિ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું
હિન્દ ન્યૂઝ, દિયોદર, વર્તમાન સમય ચોમાસા દરમ્યાન ભારે થી અતિભારે વરસાદ ના કારણે ખેડૂતો ના ઉભા પાક માં નુકશાન થયેલ છે. જે અંગે બનાસકાંઠા જિલ્લા ના ખેડૂતો ને સહાય પેકેજ આપવા આજે કિસાન એકતા સમિતિ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. ગુજરાત માં આ વર્ષે ખરીફ પાક ને વરસાદ થી થયેલ નુકશાન અંગે રાજ્ય ના મુખ્યમંત્રી દ્વારા વિધાનસભા ગૃહ માં રૂપિયા 3700 કરોડ ના સહાય પેકેજ ની જાહેરાત કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા જિલ્લા ના 14 તાલુકા ને બાકાત રાખવામાં આવતા કિસાન એકતા સમિતિ દિયોદર દ્વારા આજરોજ…
Read Moreકચ્છ જિલ્લા ના રાપર માં એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરી ની હત્યા
હિન્દ ન્યૂઝ, કચ્છ, રાપર માં એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરી ની સરા જાહેર ઘાતકી હત્યા થતા ચકચાર.. એક યુવાને તિક્ષણ હથિયાર વડે વકીલ ની ઓફીસ બહાર જ કર્યો ખૂની હુમલો…. હત્યારા ના ફૂટેજ થયા સીસીટીવી માં કેદ… બામસેફ સાથે જોડાયેલા અને ઇન્ડિયન લોયર એસોસિએશન ના અધ્યક્ષ દેવજીભાઈ મહેશ્વરી ની હત્યા થતાં હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો થયા એકત્ર… રિપોર્ટર : રામજી સોંધરા, કચ્છ
Read More