ડીસા તાલુકાના ડાવસ ગામ ખાતે અદ્યતન ‘હાઇટેક નર્સરી’નું નિર્માણ કરાશે

ગુજરાતનું ગ્રીન મોડેલ હિન્દ ન્યુઝ, ડીસા    ડીસા તાલુકાના ડાવસ ગામ ખાતે આશરે 13 એકર જેટલા વિસ્તારમાં રૂપિયા 3.5 કરોડના ખર્ચે અદ્યતન ‘હાઇટેક નર્સરી’નું નિર્માણ કરાશે. 🌳 ‘હાઇટેક નર્સરી’માં દર વર્ષે આશરે 10 લાખથી વધુ રોપાઓનું ઉત્પાદન કરાશે; વૈજ્ઞાનિક પદ્ધતિથી દુર્લભ બીજનું થશે જતન, સીડ બેંક અને પ્રોસેસિંગ યુનિટથી વનીકરણને મળશે નવો વેગ. 🌳 આ નર્સરીમાં વર્મી કમ્પોસ્ટિંગ યુનિટ દ્વારા ઓર્ગેનિક ખાતર તૈયાર કરાશે જે છોડના સ્વસ્થ વિકાસ માટે ઉપયોગી સાબિત થશે. સાથે જ ‘ઊંચી હાઈટવાળા વૃક્ષો’ એટલે કે લાંબા અને મજબૂત રોપા તૈયાર કરવાની પદ્ધતિ અપનાવવામાં આવશે. 🌳 પર્યાવરણ…

Read More

પોરબંદર જિલ્લામાં તા.૨૬ માર્ચે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, પોરબંદર  લોકોના પ્રશ્નો અને ફરીયાદોના ત્વરિત નિકાલ માટે માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ દર માસના ચોથા ગુરુવારે “જિલ્લા સ્વાગત કાર્યક્રમ” યોજવામાં આવે છે. મુખ્યમંત્રીનો અભિગમ છે કે સામાન્ય નાગરિકોના પ્રશ્નોનું વહિવટી તંત્ર દ્વારા ઝડપી અને પારદર્શક રીતે નિરાકરણ થાય. માર્ચ-૨૦૨૬ માસનો આગામી જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૬/૦૩/૨૦૨૬ના રોજ યોજાનાર છે. આ અનુસંધાને પોરબંદર જિલ્લાના નાગરિકોને પોતાની કોઈપણ ખાતા કે વિભાગ સંબંધિત લાંબા સમયથી અનિર્ણિત પડતર પ્રશ્નો કે ફરીયાદો રજૂ કરવા વિનંતી કરવામાં આવી છે. જેમાં નાગરિકોએ પોતાના કોઈ પણ ખાતા કે વિભાગને લગતા કોઈપણ પ્રશ્નો કે ફરીયાદ જેવી કે લાંબા…

Read More

આંખ એ આપણી મુખ્ય સેન્સ ઓર્ગન છે

હિન્દ ન્યુઝ, જૂનાગઢ       આયુર્વેદમાં માત્ર રોગની ચિકિત્સા જ નહીં પણ રોગ થાય તે પૂર્વે તેને અટકાવવા માટે માર્ગદર્શન કરવામાં આવ્યું છે, ખાસ આજના આધુનિક યુગમાં વધતા જતા સ્ક્રીન ટાઈમ, બિનઆરોગ્યપ્રદ ખાન-પાન અને અયોગ્ય જીવનશૈલીને કારણે નેત્ર રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. સરકારી આયુર્વેદ કોલેજના શાલક્યતંત્ર વિભાગના વૈદ્ય ક્રિષ્ના માકડિયાએ આંખની કાળજી લેવા માટે જરૂરી માર્ગદર્શન કર્યું છે.    તેમણે જણાવ્યું હતું કે, આંખ એ આપણી મુખ્ય સેન્સ ઓર્ગન છે. આંખનું એટલું બધું મહત્વ છે કે આંખથી અંધાપો આવી જાય, તો આપણે દુનિયાથી જાણે વિખૂટા પડી જઈએ એટલે…

Read More

તારીખ ૭ થી ૧૩ માર્ચ ૨૦૨૬ દરમિયાન તબ્બકાવાર આહવા તાલુકાના વિવિઘ ગ્રામ્ય વિસ્તારોમાં સેવા સેતુના કાર્યક્રમો યોજાશે

હિન્દ ન્યુઝ, ડાંગ    રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તથા વહીવટમા કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા અને જવાબદારીપણાની બાબત રાજ્ય સરકાર માટે હાર્દ સમાન છે. જેને ધ્યાને લઈ પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણ નજીકના સ્થળે તે જ દિવસે ઉકેલાઈ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઈ તારીખ ૭ થી ૧૩ માર્ચ ૨૦૨૬ દરમિયાન આહવા તાલુકાના વિવિઘ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાએ સેવાસેતુના કાર્યક્રમ યોજનાર છે.  જેમાં આહવા તાલુકામાં આગામી તારીખ ૭/૩/૨૦૨૬ રોજ પ્રાથમિક શાળા ગાડવિહિરમા સેવાસેતુનો કાર્યક્રમ યોજાશે, જેમાં ગાડવિહિર, ચિંચલી, ટાંકલીપાડા, હારપાડા, ગડદ, મોરઝીરા,…

Read More

વન પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ બોખીરા અને દેગામ ખાતે ગામના લોકો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી

હિન્દ ન્યુઝ, પોરબંદર     રંગોના પર્વ ધૂળેટી નિમિત્તે પોરબંદર જિલ્લામાં લોક સંસ્કૃતિ અને લોક પ્રતિનિધિ વચ્ચેનો અનોખો સુમેળ જોવા મળ્યો હતો. વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ બોખીરા અને દેગામ ગામે ઉપસ્થિત રહી ગામજનો સાથે હર્ષોલ્લાસપૂર્વક તહેવારની ઉજવણી કરી હતી. દેગામ ખાતે મહેર સમાજ તેમજ બોખીરા ગામે આયોજિત દાંડિયા રાસ કાર્યક્રમમાં મંત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અને મંત્રીએ પરિવારના સભ્ય સમાન સાદગીપૂર્વક લોકોની વચ્ચે રહી તેમણે પરંપરાગત દાંડિયા રાસ કાર્યક્રમ માણ્યો હતો. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન આવડા ઓડેદરા તેમજ…

Read More

બખરલા અને ખાભોદર ગામ ખાતે હોળી-ધૂળેટી પર્વની ઉજવણી કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા દાંડિયા રાસમાં જોડાયા

હિન્દ ન્યુઝ, પોરબંદર    હોળી-ધૂળેટીના પાવન પર્વના પ્રસંગે વન પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા પોરબંદર જિલ્લાના બખરલા તથા ખાભોદર ગામ ખાતે આયોજિત દાંડિયા રાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. ઉત્સાહભર્યા માહોલ વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીએ ગ્રામજનોથી સહકાર અને સ્નેહ મેળવ્યો હતો. પરંપરાગત લોકસંસ્કૃતિને ઉજાગર કરતા દાંડિયા રાસમાં તેમણે સ્વયં ભાગ લઈ તહેવારની ખુશી ગ્રામજનો સાથે વહેંચી હતી. આ કાર્યક્રમ દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન આવડા ઓડેદરા,અગ્રણી સર્વ અરશીભાઈ ખુટી, હાથિયાભાઈ ખુટી, ભુરાભાઈ કેશવાલા, સામતભાઈ ઓડેદરા, વિરમભાઈ કારાવદરા અને લોક ડાયરાના કલાકાર દેવરાજ ગઢવી સહિતનાં…

Read More

જિલ્લાવાસીઓને સેવાસેતુ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ

  સેવા સેતુ કાર્યક્રમ-૨૦૨૬ – દાહોદ હિન્દ ન્યુઝ, દાહોદ      રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમ જ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે સમગ્ર રાજ્યની સાથે દાહોદ જિલ્લામાં પણ સેવાસેતુ કાર્યક્રમનો શુભારંભ થઈ રહ્યો છે. આગામી તારીખ ૦૭-૦૩-૨૦૨૬ ને શનિવારના ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે થી સાંજના ૫ વાગ્યા સુધી દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના કોટડા ફળિયા પ્રાથમિક શાળા અભલોડ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં ગરબાડા તાલુકાના પાંદડી, નાંદવા, દાદુર, પાટીયા, નઢેલાવ, જેસાવાડા, આંબલી, છરછોડા, વડવા, નેલસુર, વજેલાવ, માતવા, અભલોડ જેવા ગામોનો સેવાસેતુ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ…

Read More

૭ મી માર્ચ એ સેવાસેતુ કાર્યક્રમ સંજેલી તાલુકાના માંડલી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોજાશે

સેવાસેતુ કાર્યક્રમ-૨૦૨૬ હિન્દ ન્યુઝ, દાહોદ      દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના માંડલી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને ૭ મી માર્ચ ૨૦૨૬ શનિવારના રોજ સવારે ૯:00 થી ૦૫ કલાક દરમિયાન સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. આ સેવાસેતુ કાર્યક્રમમાં અરજદાર અને લાભાર્થીઓએ જે તે યોજના કે કાર્યક્રમમાં લાભ લેવા માગતા હોય તેના જરૂરી આધાર પુરાવા લઈને ઉપસ્થિત રહેવું. આ સેવાસેતુ કાર્યક્રમમાં વિભાગવાર વિવિધ સેવાઓના લાભ આપવામાં આવશે. માંડલી, બચકરીયા, ચંદાણાના મુવાડા, કાવડના મુવાડા, ક્લ્યાણપુરા,લુંજાના મુવાડા, ઝૂસા, જસુણી, ઢેડીયાનો નળો, કડવાના પડ, ઢેડીયા,…

Read More

ખર્ચ શૂન્ય, કમાણી બમણી,પ્રાકૃતિક મસાલા ખેતીથી ખેડૂત બનશે સમૃદ્ધ અને સ્વાવલંબી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર        ઉનાળો આવતા જ ગુજરાતી ઘરોમાં વર્ષભરના મસાલા ભરવાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. અત્યારે ગૃહિણીઓ શુદ્ધતાનો આગ્રહ રાખતી થઈ છે, ત્યારે ‘પ્રાકૃતિક કૃષિ’ દ્વારા પકવેલા મસાલાની માંગ અને કિંમત બંને બજારમાં ખૂબ ઊંચા રહે છે. પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો માટે આ એક સુવર્ણ તક છે.  ભારતીય રસોડામાં મસાલા એ માત્ર સ્વાદ નથી, પણ આયુર્વેદિક ઔષધિ છે. જ્યારે ખેડૂત ઝેરમુક્ત ખેતી કરે છે, ત્યારે તે માત્ર પાક નથી પકવતો, પણ સમાજને સ્વાસ્થ્ય પીરસે છે. રાસાયણિક vs. પ્રાકૃતિક મસાલા: મુખ્ય તફાવત ગ્રાહકો હવે જાગૃત થયા છે.…

Read More

બારડોલી તાલુકાના કણાઈ ગામના બળવંતભાઈ પટેલે પશુપાલન દ્વારા આત્મનિર્ભરતા તરફ પગલું ભર્યું

હિન્દ ન્યુઝ, બારડોલી  રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલનને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સહાયકારી યોજનાઓ અમલી છે. જેનો લાભ લઈને સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કણાઈ ગામના ૪૮ વર્ષીય બળવંતભાઈ બહાદૂરભાઈ પટેલ પશુપાલન દ્વારા સ્થિર આવક મેળવી આત્મનિર્ભર જીવન જીવી રહ્યા છે.              ધો.૧૨ સુધી અભ્યાસ કરનાર પશુપાલક બળવંતભાઈ વર્ષોથી પરંપરાગત રીતે પશુપાલનનો વ્યવસાય કરે છે. હાલમાં તેમની પાસે ત્રણ ભેંસ અને બે ગાય છે. જેના વૈજ્ઞાનિક કાળજી અને નિભાવથી તેઓ દરરોજ આશરે ૨૮ લીટર દૂધનું ઉત્પાદન કરે છે. દૂધનો મોટો ભાગ નજીકની ડેરીમાં ભરવામાં આવે છે,…

Read More