બખરલા અને ખાભોદર ગામ ખાતે હોળી-ધૂળેટી પર્વની ઉજવણી કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા દાંડિયા રાસમાં જોડાયા

હિન્દ ન્યુઝ, પોરબંદર

   હોળી-ધૂળેટીના પાવન પર્વના પ્રસંગે વન પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા પોરબંદર જિલ્લાના બખરલા તથા ખાભોદર ગામ ખાતે આયોજિત દાંડિયા રાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા.

ઉત્સાહભર્યા માહોલ વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીએ ગ્રામજનોથી સહકાર અને સ્નેહ મેળવ્યો હતો. પરંપરાગત લોકસંસ્કૃતિને ઉજાગર કરતા દાંડિયા રાસમાં તેમણે સ્વયં ભાગ લઈ તહેવારની ખુશી ગ્રામજનો સાથે વહેંચી હતી.

આ કાર્યક્રમ દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન આવડા ઓડેદરા,અગ્રણી સર્વ અરશીભાઈ ખુટી, હાથિયાભાઈ ખુટી, ભુરાભાઈ કેશવાલા, સામતભાઈ ઓડેદરા, વિરમભાઈ કારાવદરા અને લોક ડાયરાના કલાકાર દેવરાજ ગઢવી સહિતનાં આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો, યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment