પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથેની સંકલન બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર       રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી જામનગર ખાતે જિલ્લાના વિકાસલક્ષી અને વહીવટી કામગીરીની સમીક્ષા માટે વિસ્તૃત સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.      બેઠક દરમિયાન, જિલ્લા કલેક્ટર  કેતન ઠક્કરે પ્રભારી મંત્રી સમક્ષ જિલ્લાના વિવિધ આયોજનના કામો અને યોજનાકીય કામગીરીનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો. કલેક્ટરએ કમોસમી વરસાદને કારણે ઊભી થયેલી પાક પરિસ્થિતિ અને જિલ્લાના વર્તમાન વાવેતર વિસ્તારની સ્થિતિ, રેશનકાર્ડ ધારકોના ઈ-કેવાયસીની પ્રગતિ, ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ અને ‘કેચ…

Read More

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના ૭૪મા દીક્ષાંત સમારોહમાં સુવર્ણપદકો એનાયત

હિન્દ ન્યુઝ, વડોદરા     વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના ૭૪મા દીક્ષાંત સમારોહમાં કુલ ૩૫૪ સુવર્ણપદકો એનાયત કરાયા જેમાં ૨૨૯ સુવર્ણપદક મેળવનારમાં ૧૬૩ વિદ્યાર્થિનીઓ અને ૬૬ વિદ્યાર્થીઓ ને સન્માનિત કરવામાં આવ્યા તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને દીક્ષાંત પ્રવચન આપ્યું દીક્ષાંત સમારોહ એ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે શું જવાબદારી નિભાવી શકાય, એ મંથન કરવાનો દિવસ છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી શિક્ષણનો વ્યાપ સતત વધે જેથી વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવાનું સરકારનું લક્ષ્ય છે: શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા

Read More

भारत सरकार के प्रधान वैज्ञानिक सलाहकार का कार्यालय

हिन्द न्यूज़, दिल्ली     भारत द्वारा आयोजित होने वाले एआई इम्पैक्ट समिट 2026 के पूर्व-शिखर सम्मेलन कार्यक्रमों के अंतर्गत, भारत सरकार के प्रधान वैज्ञानिक सलाहकार (ओपीएसए) कार्यालय ने बेंगलुरु के भारतीय विज्ञान संस्थान (आईआईएससी) और बेंगलुरु स्थित फ्रांस के महावाणिज्य दूतावास के सहयोग से 7 नवंबर, 2025 को तीसरे भारत–फ्रांस एआई नीति गोलमेज सम्मेलन का आयोजन किया। यह बैठक आईआईएससी के मुख्य भवन स्थित काउंसिल चैंबर में आयोजित की गई।     इस गोलमेज सम्मेलन के माध्यम से भारत और फ्रांस के बीच एआई नीति सहयोग पर चल रही…

Read More

રાજ્ય સરકાર અન્નદાતાઓની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     રાજ્યમાં તાજેતરમાં વરસેલા કમોસમી વરસાદથી વિવિધ જિલ્લાઓમાં ખેતીના પાકને થયેલ નુકસાન સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે અસરગ્રસ્ત ધરતીપુત્રો માટે આશરે ₹10,000 કરોડની માતબર રકમનું કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર કર્યું. આ ઉપરાંત, કુદરતી આપત્તિની આ ઘડીમાં ખેડૂતોના મહામુલા પાક અને તેમની મહેનતનું પૂરેપૂરું વળતર સુનિશ્ચિત કરવાની સંવેદના સાથે રાજ્ય સરકાર દ્વારા આગામી તા.9 નવેમ્બરથી આશરે ₹15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી પણ કરવામાં આવશે.

Read More

દાહોદ એસ. પી. કચેરી ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમના ૧૫૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે સામુહિક ગાન તથા સ્વદેશીના શપથ ગ્રહણ કરાયા

હિન્દ ન્યુઝ, દાહોદ      રાષ્ટ્રીય સ્વતંત્રતા દરમિયાન રાષ્ટ્ર ગીત વંદે માતરમના માધ્યમથી સમગ્ર સ્વતંત્રતા ચળવળ એક તાંતણે બંધાઈ હતી અને એક નવી ઉંચાઈ હાંસલ કરી હતી. ભારતનું રાષ્ટ્ર ગીત આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. વર્ષ ૧૮૭૫માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળના દરમિયાન રાષ્ટ્રીય ગીત ‘‘વંદે માતરમ’’એ દેશવાસીઓમાં રાષ્ટ્ર ચેતના પ્રગટાવી હતી અને દેશવાસીઓને માતૃભૂમિના ગૌરવની એકસૂત્રતામાં બાંધ્યા હતા.  ૭મી નવેમ્બર ૨૦૨૫ના રોજ તેને ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના ગૌરવંતા ક્ષણની ઉજવણી નિમિતે ગુજરાત સરકાર દ્વારા તેની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે દાહોદ એસ પી કચેરી ખાતે અધિકારીઓ…

Read More

વડોદરામાં એક્સ સર્વિસમેન માટે રોજગાર ભરતી મેળો યોજાયો

હિન્દ ન્યુઝ, વડોદરા    મદદનીશ નિયામક રોજગાર કચેરી, વડોદરા અને જિલ્લા સૈનિક કલ્યાણ તથા પુનર્વસવાટ કચેરી, વડોદરાના સંયુક્ત ઉપક્રમે આજે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, સૈનિક કુમાર છાત્રાલય ભવન, છાણી રોડ ખાતે માત્ર એક્સ સર્વિસમેન માટે રોજગાર ભરતી મેળો તથા સ્વરોજગાર શિબિર યોજાઈ. આ ભરતી મેળામાં ઓફિસર, સિક્યુરિટી ઓફિસર, સિક્યુરિટી ગાર્ડ, ઓફિસ વર્ક, ઓપરેશન મેનેજર સહિતની વિવિધ પદો માટે કુલ ૨૦૦ જેટલી ખાલી જગ્યાઓ અંગે માહિતી આપવા ૧૪ કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તેમની દ્વારા એક્સ સર્વિસમેન ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા, જેમાંથી ૮૦ જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં…

Read More

એકતાનગરના આંગણે ભારત પર્વ – 2025ની ઉજવણીમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને રાજ્યના કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા સહભાગી બન્યા.

હિન્દ ન્યુઝ, વડોદરા    ભારત પર્વમાં રાજસ્થાનનું ઘુમર નૃત્ય, ગુજરાતનો રાસ અને આસામના બીહુ નૃત્ય થકી કલાકારોએ પોતાના રાજ્યની કલા – સાંસ્કૃતિક વારસાની ભવ્યતા દર્શાવતી ઝાંખી પ્રસ્તુત કરી; રાજસ્થાનના મુખ્યમંત્રીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં પહોંચી સરદાર પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી. ભારત પર્વની ઉજવણી આપણી મૂળ સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડી આપણા સાંસ્કૃતિક મૂલ્યોનું સન્માન કરવા માટેનું અદ્ભુત મંચ પૂરું પાડે છે : રાજસ્થાનના મુખ્યમંત્રી ગુજરાતની ભૂમિ માત્ર વિકાસ અને આધુનિકતાની જ નહીં પરંતુ, આધ્યાત્મિકતાની ભૂમિ પણ છે, અહીંના વિવિધ મંદિરો આધ્યાત્મિક શાંતિના પ્રતિક છે : મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા

Read More

દાહોદના લીમખેડા CHC ખાતે એક જ રાતમાં 10 સફળતા પૂર્વક ડિલિવરી

હિન્દ ન્યુઝ, દાહોદ      દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ગઈ રાત્રે એક અનોખી અને આનંદદાયી ઘટના બની હતી. માત્ર એક જ રાતમાં કુલ 10 ડિલિવરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. જેના કારણે આખું દવાખાનું નવજાત શિશુઓની કિલકારીઓ ગુંજી ઉઠયુ અને સમગ્ર દવાખાનામાં આનંદમય માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે તબીબી અધિક્ષક ડૉ. સી.એમ. મછારે જણાવ્યું કે, “આ સફળતાનો તમામ શ્રેય સમગ્ર તબીબી ટીમની મહેનત, સમર્પણ અને એકતાભાવને જાય છે. અમારી ટીમે દિવસ-રાત વિના વિરામ સખત અને સતત મહેનત કરીને તમામ માતાઓ અને નવજાત શિશુઓને સુરક્ષિત…

Read More

ભારત પર્વ–૨૦૨૫, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતા નગરઃ “એક ભારત શ્રેષ્ઠ ભારત”

હિન્દ ન્યુઝ, વડોદર એકતા નગરના પ્રકાશ પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતનું પ્રતિક ‘ગ્રીન ટ્રી’ બન્યું આકર્ષણનું કેન્દ્ર      સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ગુજરાતના એકતા નગર ખાતે ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના પરિસરમાં ભવ્ય ભારત પર્વ–૨૦૨૫નું આયોજન થયું છે. આ પ્રથમ વખત છે કે ભારત પર્વ દિલ્હીની બહાર યોજાઈ રહ્યો છે, અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તથા માર્ગદર્શન હેઠળ ગુજરાતે આ પર્વને ભવ્યતા આપી છે.આ પર્વ દરમિયાન દેશની વિવિધતામાં એકતાનું પ્રતીક દર્શાવતા સાંસ્કૃતિક, ટેકનોલોજીકલ અને દેશભક્તિપ્રેરિત કાર્યક્રમોનું આયોજન…

Read More

દાહોદ ખાતે ‘આપદા મિત્રો’ની તાલીમ શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ      દાહોદમાં આપત્તિ વ્યવસ્થાપન (Disaster Management)ની સજ્જતા વધારવા અને સ્થાનિક સ્તરે સ્વયંસેવકોનું મજબૂત માળખું ઊભું કરવાના ઉદ્દેશથી, દાહોદ- પાવડી કેમ્પ, એસ.આર.પી. ગ્રુપ-૦૪ ખાતે ‘આપદા મિત્રો’ માટેની વિસ્તૃત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ શિબિર તારીખ ૦૧-૧૧-૨૦૨૫ થી તારીખ ૦૭-૦૧-૨૦૨૬ સુધી સતત ચાલશે, જેમાં દર અઠવાડિયે આશરે ૫૦ જેટલા નવા આપદા મિત્રોની બેચ તાલીમ મેળવશે.  દાહોદ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર જે.એમ.રાવલ દ્વારા કેમ્પની મુલાકાત લેવામાં આવી હતી અને તાલીમ પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. તાલીમાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપનનું મહત્વ સમજાવી, તેમને પ્રોત્સાહિત કર્યા તથા તાલીમની ગુણવત્તા અને…

Read More