હિન્દ ન્યુઝ, ગાંધીનગર
રાજ્યમાં તાજેતરમાં વરસેલા કમોસમી વરસાદથી વિવિધ જિલ્લાઓમાં ખેતીના પાકને થયેલ નુકસાન સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે અસરગ્રસ્ત ધરતીપુત્રો માટે આશરે ₹10,000 કરોડની માતબર રકમનું કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર કર્યું.
આ ઉપરાંત, કુદરતી આપત્તિની આ ઘડીમાં ખેડૂતોના મહામુલા પાક અને તેમની મહેનતનું પૂરેપૂરું વળતર સુનિશ્ચિત કરવાની સંવેદના સાથે રાજ્ય સરકાર દ્વારા આગામી તા.9 નવેમ્બરથી આશરે ₹15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી પણ કરવામાં આવશે.
