હિન્દ ન્યુઝ, દાહોદ પ્રાકૃતિક ખેતી દ્વારા ઉગાડવામાં આવતાં ચણાનાં સ્વાદ અને પોષકતત્વોમાં વધારો થાય છે અને જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે પ્રાકૃતિક ખેતીમાં ચણાનાં ઉછેરની પ્રક્રિયામાં રાસાયણિક ખાતરો કે જંતુનાશકોનો ઉપયોગ થતો નથી, પરંતુ તે જમીનની કુદરતી ફળદ્રુપતા અને જૈવિક સંસાધનો પર આધાર રાખે છે. ચણાની ખેતી માટે સૌ પ્રથમ તો ખેતરને સારી રીતે ખેડીને નરમ બનાવવામાં આવે છે, જેથી મૂળિયાંને વધવા માટે પૂરતી જગ્યા અને હવા મળી શકે. વાવણી પહેલાં ખેતરમાં ગાયનાં છાણનું ખાતર કે જીવામૃત ઉમેરવામાં આવે છે, જે જમીનમાં સુક્ષ્મસજીવોને સક્રિય…
Read MoreMonth: September 2025
ઈતિહાસનું સ્વર્ણિમ પૃષ્ઠ: ૧ સપ્ટેમ્બર: ટી.પી. સ્કીમમાં ગુજરાતની અપાર સફળતા
સુરતની પ્રેરણાદાયક પહેલ હિન્દ ન્યુઝ, સુરત સુરતમાં બુલેટ ટ્રેન સ્ટેશન વિસ્તારના આયોજન માટે પ્રારંભિક ટી.પી. સ્કીમ નં ૬૧(કોસમાડા-છેડછા-ઓવિયાણ) ના નિર્ણયો માત્ર ૮ મહિનામાં જાહેર થયા. દેશના મહત્વાકાંક્ષી ‘મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ’ પ્રોજેક્ટ અંતર્ગત સુરતમાં નિર્માણ પામતું બુલેટ ટ્રેન સ્ટેશન માત્ર ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ જ નહીં, પણ સમગ્ર શહેરી વિકાસના દ્રષ્ટિકોણથી પણ પરિવર્તનકારી બની રહ્યું છે. સુરત શહેરમાં ‘ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૬૧’ને માત્ર ૮ મહિનાના ટૂંકા ગાળામાં અવોર્ડ કરવામાં આવી છે, જે રાજ્યના સર્વાંગી વિકાસ વિઝનના દ્રઢ સંકલ્પ, ટેક્નોલોજીનો વિનિયોગ અને જનસહભાગિતાનું ઉત્તમ ઉદાહરણ છે.
Read Moreરાજ્યના પ્રથમ ‘વનપાલ સ્મારક’ ખાતે વન તથા વન્યજીવોના સંરક્ષણ-સંવર્ધન દરમિયાન શહીદ થયેલા રાજ્યના 9 જેટલા વન શહીદોને ભાવપૂર્વક શ્રદ્ધાસુમન
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘રાષ્ટ્રીય વન શહીદ દિવસ’ નિમિત્તે વનમંત્રી મુળુભાઈ બેરા તથા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સાથે ગાંધીનગરના વનચેતના કેન્દ્ર સ્થિત રાજ્યના પ્રથમ ‘વનપાલ સ્મારક’ ખાતે વન તથા વન્યજીવોના સંરક્ષણ-સંવર્ધન દરમિયાન શહીદ થયેલા રાજ્યના 9 જેટલા વન શહીદોને ભાવપૂર્વક શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. ઉલ્લેખનીય છે કે, વન અને વન્યજીવોના સંરક્ષણ તેમજ સંવર્ધન દરમિયાન ફરજ બજાવતા શહીદ થયેલા વન વિભાગના વનરક્ષક, વનપાલ, પરિક્ષેત્ર વન અધિકારીઓ અને અન્ય ફ્રન્ટ લાઇન વનકર્મીઓની શહાદતના સન્માનમાં કેન્દ્ર સરકાર દ્વારા 2013થી દર વર્ષે 11મી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય વન શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે.…
Read Moreઅદ્યતન ફોરેન્સિક સાધનો અને ઉપકરણો સાથેની મોબાઈલ ફોરેન્સિક વાનથી રાજ્યમાં ફોરેન્સિક સેવા વધુ સુલભ થશે અને ગુનાઓની વૈજ્ઞાનિક ઢબે ઝડપી અને અસરકારક તપાસ શક્ય બનશે
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના જિલ્લાઓમાં ફાળવાયેલી 28 નવી અદ્યતન મોબાઈલ ફોરેન્સિક વાનને ગાંધીનગરથી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ફ્લેગ-ઓફ કરાવ્યું હતું. ગુનાઓની ઝડપી અને અસરકારક તપાસમાં ફોરેન્સિક સેવાનો વ્યાપ વધ્યો છે ત્યારે અદ્યતન ફોરેન્સિક સાધનો અને ઉપકરણો સાથેની મોબાઈલ ફોરેન્સિક વાનથી રાજ્યમાં ફોરેન્સિક સેવા વધુ સુલભ થશે અને ગુનાઓની વૈજ્ઞાનિક ઢબે ઝડપી અને અસરકારક તપાસ શક્ય બનશે. હાલમાં, ફોરેન્સિક તપાસ માટે 47 વાન છે તેમાં આ નવી 28 ફોરેન્સિક વાન ઉમેરાતા આ સંખ્યા વધીને 75 થશે, જેનાથી ગુજરાતની શાંતિ, સલામતી…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે
હિન્દ ન્યુઝ, બનાસકાંઠા રાજ્ય સરકાર દ્વારા સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલા વિસ્તારમાં રાહત સામગ્રી સહિતની સહાય પહોંચાડાઈ રહી છે; 18,000 રાશન કિટ પૂરગ્રસ્ત વિસ્તાર માટે રવાના કરાઈ વરસાદથી અસરગ્રસ્ત સરહદી તાલુકા વાવ, થરાદ, સુઈગામ અને ભાભર ખાતે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરીને તત્કાલ રાહત-બચાવ અને સહાય માટે કામગીરી કરી છે : મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તંત્ર દ્વારા 228 લોકોનું રેસ્ક્યૂ તથા 6867 વ્યક્તિઓનું સફળતાપૂર્વક ઝડપી સ્થળાંતર કરાયું : મંત્રી
Read Moreગાયત્રી શક્તિપીઠ ખાતે વંદનીય માતાજીની 2026 માં આવનાર જન્મ શતાબ્દી ને લય ને શાંતિકુંજ ના પ્રતિનિધિ દ્વારા અગત્યની મિટિંગ કરવામાં આવી
હિન્દ ન્યુઝ, દાહોદ આજરોજ દાહોદ જિલ્લા ગાયત્રી શક્તિપીઠ ખાતે વંદનીય માતાજીની 2026 માં આવનાર જન્મ શતાબ્દી ને લય ને શાંતિકુંજ ના પ્રતિનિધિ કિરણભાઈ દ્વારા અગત્યની મિટિંગ કરવામાં આવી. પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લા ગાયત્રી શક્તિપીઠ ખાતે જિલ્લાની બેઠકમાં તમામ વરિષ્ઠ પરિજનો ની ઉપસ્થિતી સંગઠન ને મજબૂત બનાવવા અને એકજૂટ બની 2026 ના વર્ષને સફળ બનાવવા માટે ચર્ચાઓ કરી હતી તેમજ અખંડજયોતી શતાબ્દી અને ગુરુદેવ ના 24 લાખ મહાપુરસ્ચરન સાધના વર્ષ શતાબ્દી આ બધાનો સંયોગ 2026 માં આવતો હોય તો તેના પર વિશેષ ભાર પૂર્વક ચર્ચાઓ કરવામાં…
Read Moreબનાસકાંઠાના સુઈગામમાં પૂરગ્રસ્ત ગામો સુધી ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ
હિન્દ ન્યુઝ, સુઈગામ થરાદ ખાતેથી સુઈગામ માટે વધુ 2000 ઘઉં-બાજરીના લોટના પેકેટ તથા 24000 પાણીની બોટલ રવાના કરાઈ. સુઈગામના જેલાણા, નેસડા, ગોલપ, પાડણ, ભરડવા, કાણોઠી, મમાણા, લિંબાળા, કોરોટી સહિતના ગામોમાં ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ કરાયું; વરસાદી પાણીમાં જઈને સરહદી લોકોના પડખે જિલ્લા વહીવટી તંત્રની રાઉન્ડ ધ ક્લોક કામગીરી.
Read Moreગઢડા તાલુકાના માંડવધાર ગામે ગૌચર પરનું જમીન દબાણ હટાવવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, બોટાદ ગઢડા તાલુકાના માંડવધાર ગામે પશ્ચિમ દિશાએ સર્વે નંબર 326 અ/2 પૈકી 1/પૈકી 1માં એક હેક્ટર વિસ્તારમાં રાતના સમયે અલગ અલગ જગ્યા પર અનામી વ્યક્તિ દ્વારા સિમેન્ટના બેલા નાખી એક હેક્ટર વિસ્તારમાં દબાણ કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ગઢડા તાલુકા વિકાસ અધિકારી એ. એ.વાળાની ઉપસ્થિતિમાં દબાણ હટાવવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા કામગીરી સમયે સ્થળ પર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી હરદેવસિંહ ગોહિલ અને ગઢડા પોલીસ સ્ટેશનના સ્ટાફ હાજર રહ્યો હતો. જેસીબી અને ટ્રેક્ટર દ્વારા આ બેલાને હટાવી…
Read Moreડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન અંતર્ગત 02/09/25થી 12/09/25 સુધી 10 દિવસ વિશેષ જાગૃતિ અભિયાન : બોટાદ જિલ્લા પોલીસ તેમજ મહિલા અને બાળ વિભાગ દ્વારા બહેનોને કાયદાકીય માર્ગદર્શન અપાયું
હિન્દ ન્યુઝ, બોટાદ ભારત સરકાર દ્વારા ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન અંતર્ગત 02/09/25થી 12/09/25 સુધી 10 દિવસ વિશેષ જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ચિંતન તેરૈયા તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રી આઈ આઈ મન્સૂરીના માર્ગદર્શન હેઠળ બોટાદમાં વિમલભાઈ કાળથિયાના કારખાને રત્નકલાકાર બેહનોને ઘરેલું હિંસા અધિનિયમ 2005 અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કારખાનાના માલિક વિમલભાઈ કળથિયાની પ્રેરક ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બોટાદ મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એસ.એન.મકવાણા દ્વારા પોક્સો એક્ટ તેમજ IUCAWની કામગીરી તેમજ દરેક બેહનો સ્વનિર્ભર બની…
Read Moreબોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કપાસના ઊભા પાકમાં પેરાવિલ્ટ/ નવો સૂકારોના નિયંત્રણ માટે લેવાના પગલાં સૂચવાયા
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને કપાસના ઊભા પાકમાં પેરાવિલ્ટ/ નવો સૂકારોના નિયંત્રણ માટે લેવાના પગલાં જણાવવામાં આવ્યા છે. જે મુજબ કપાસના ઊભા પાકમાં પેરાવિલ્ટ/ નવો સૂકારોના નિયંત્રણ માટે જમીનમાં સેંદ્રીય ખાતરો પુરતા પ્રમાણમાં આપવા. જમીનમાં નિતાર શક્તિ વધારવી, હલકી જમીનમાં જ્યારે જીંડવાની સંખ્યા વધુ પ્રમાણમાં હોય ત્યારે ટુંકા ગાળે પિયત કરતા રહેવુ જોઈએ. પિયત આપ્યા બાદ કે વધુ વરસાદ બાદ ધીમો સુકારો જોવા મળે તો…
Read More