હિન્દ ન્યુઝ, બનાસકાંઠા
રાજ્ય સરકાર દ્વારા સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલા વિસ્તારમાં રાહત સામગ્રી સહિતની સહાય પહોંચાડાઈ રહી છે; 18,000 રાશન કિટ પૂરગ્રસ્ત વિસ્તાર માટે રવાના કરાઈ
વરસાદથી અસરગ્રસ્ત સરહદી તાલુકા વાવ, થરાદ, સુઈગામ અને ભાભર ખાતે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરીને તત્કાલ રાહત-બચાવ અને સહાય માટે કામગીરી કરી છે : મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા
તંત્ર દ્વારા 228 લોકોનું રેસ્ક્યૂ તથા 6867 વ્યક્તિઓનું સફળતાપૂર્વક ઝડપી સ્થળાંતર કરાયું : મંત્રી
