હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ‘નિર્મળ ગુજરાત સ્વચ્છતા અભિયાન‘ અંતર્ગત વેરાવળ શહેરના મેઇન રોડ તેમજ નમસ્તે થી ટાવર રોડ, પ્રભાસ પાટણ સેન્ટમેરી સ્કુલવાળો રોડ, ૮૦ ફુટ રોડ, ૬૦ ફુટ રોડ, રાજેન્દ્ર ભુવન રોડ સહિત જાહેરમાર્ગોની સફાઇ કામગીરી કરવામાં આવી હતી. Advt.
Read MoreMonth: June 2024
ગીરસોમનાથ 108 દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સ્વસ્થ અને સારૂ જીવન જીવવા માટે ખોરાક સાથે પર્યાવરણ પણ અગત્યનો ભાગ ભજવે છે. ત્યારે શુદ્ધ હવા લેવા માટે આ માટેનુ સારૂ પર્યાવરણ હોવું પણ જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને પ્રતિવર્ષ પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત જીવનરક્ષક એવા 108 વિભાગ દ્વારા પર્યાવરણ રક્ષક બનીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે સિવિલ સર્જન ડૉ. જિજ્ઞેશ પરમાર અને સામાજિક વનીકરણ કચેરીના કર્મચારીઓની ઉપસ્થિતિમાં 108 વિભાગના કર્મચારીઓએ સાથે મળીને વેરાવળ ઉપરાંત 108ના કર્મચારીઓ દ્વારા…
Read Moreભાવનગર જિલ્લાનાં વિવિધ તાલુકા મથકોએ રોજગાર કચેરી દ્વારા નામ નોંધણી કેમ્પનું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં રોજગાર કચેરી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.આ કેમ્પમાં નવી નામ નોંધણી તાજી કરવી તથા અન્ય કામગીરી માટે તાલુકા મથકોએ રોજગાર અધિકારી મળશે.જેથી રોજગારવાંચ્છુ ઉમેદવારોએ સ્વખર્ચે કેમ્પનાં સ્થળે તમામ અસલ પ્રમાણપત્રો, ઝેરોક્ષ નકલો,પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે જવાનું રહેશે. જો કેમ્પની તારીખે જાહેર રજા આવતી હોય તો ત્યાર પછીના કામકાજના ચાલુ દિવસે જે તે જણાવેલ સ્થળે સંપર્ક સાધવાનો રહેશે. આ નામ નોંધણી કેમ્પ શિહોર તાલુકાનાં પથિકાશ્રમ ખાતે ૭ તારીખે,ગારીયાધાર તાલુકાનાં સરકારી આરામગૃહ ખાતે ૧૦ તારીખે,મહુવા તાલુકાનાં સરકારી…
Read Moreભાવનગર જિલ્લાનાં પાલીતાણા તાલુકા ખાતે આર.ટી.ઓ.કચેરી દ્વારા વાહન ફિટનેસ કેમ્પનું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર મોટરિંગ પબ્લિકની સરળતા હેતુ ભાવનગર જિલ્લાનાં પાલીતાણા તાલુકા ખાતે ભાવનગર આર.ટી.ઓ.કચેરી દ્વારા વાહનોનાં ફીટનેશ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પાલીતાણા ખાતે તા.૧૫-૦૬-૨૦૨૪ ને શનિવાર નાં રોજ વાહન ફિટનેસ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.આ કેમ્પનો વધુમાં વધુ મોટરિંગ અર્થે ભાગ લેવા પ્રાદેશિક વાહન અધિકારી,ભાવનગરની યાદીમાં જણાવેલ છે. Advt.
Read Moreભાવનગર-ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે CITS Pvt Ltd કંપનીનું કેમ્પસ ઇન્ટરવ્યુ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર-ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તા.૭/૬/૨૦૨૪ નાં રોજ સવારે ૯.૩૦ કલાકે સંસ્થાના કેમ્પસમાં lectrician, Wireman, Electronics Mechanic and Armature Motor Rewinding ટ્રેડના ૨૦૨૦,૨૦૨૧,૨૦૨૨,૨૦૨૩ પાસઆઉટ અને ૨૦૨૪ માં પરીક્ષા માં બેસવા પાત્ર હોઈ તેવા તાલીમાર્થીઓ માટે BCITS Pvt Ltd કંપનીનું કેમ્પસ ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે.તો તમામ તાલીમાર્થીઓને કેમ્પસ ઇન્ટરવ્યુંમાં ઉપસ્થિત રહેવા ઔદ્યોગિક તાલીમ સંસ્થાની યાદી એ જણાવેલ છે. Advt.
Read Moreભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે ૧૦૧ વૃક્ષો વાવી ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી
હિન્દ ન્યુઝ, ભાવનગર દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા. ૫ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગ રૂપે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો. “વૃક્ષ તમે વાવો, તેનું જતન અમે કરીશું” તે અભિયાન સાથે બાળકો દ્વારા ૧૦0 થી વધુ વૃક્ષ આરએસસી ભાવનગરના કેમ્પસમા વાવવામાં આવ્યા અને તેને ઉછેરી તેનું જતન આરએસસી ભાવનગર દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાવનગરના આર.એફ.ઓ.શ્રી દિવ્યરાજસિંહ સરવૈયા ઉપસ્થિત રહ્યા હતા તેમણે શાળાના બાળકોને પર્યાવરણના સંરક્ષણ માટે જાગૃત કરી, પૃથ્વીની જાળવણી અને સુરક્ષાનું…
Read Moreઆઈ.ટી.આઈ. ગુલાબનગરમાં પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
હિન્દ ન્યુઝ, જામનગર રોજગાર અને તાલીમ ખાતું, ગાંધીનગરના નિયંત્રણ હેઠળની સરકારી આઈ.ટી.આઈ. ગુલાબનગર (હાપા, પ્લોટનં.૬૮-રામતીર્થ નગર, રવિ પેટ્રોલ પંપ સામે, રાજકોટ હાઇવે, જામનગર) ખાતે ધો.૧૦ પાસ માટે કોપા (કમ્પ્યુટર NCVT), મિકેનિક ડીઝલ, ફીટર તથા ધો.૮ પાસ માટે વાયરમેન વ્યવસાયોમાં ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા તા.૧૩-૦૬-૨૦૪ સુધી ચાલુ છે. પ્રવેશવાંચ્છુ ઉમેદવારો સંસ્થા ખાતેથી ઓનલાઈન https://itiadmission.gujarat.gov.in લિંક ઉપરથી પ્રવેશ ફોર્મ ભરી ઓનલાઈન માધ્યમ થી રૂ. ૫૦/- રજીસ્ટ્રેશન ફી ભરી શકશે. તેમજ પ્રવેશ ને લગતા માર્ગદર્શન માટે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા તેમજ પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારોએ લાભ લેવા સંસ્થાના આચાર્યની યાદીમાં…
Read Moreજામનગર જિલ્લાના છુટક અને જથ્થાબંધ માછલીના વેપારીઓ માટે જાહેરનામું બહાર પડાયું
હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો- 2003 અને ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ- 2003 ની કલમ- 6 (8) (ઘ) મુજબ જામનગર જિલ્લાના તમામ છુટક, જથ્થાબંધ માછલીના વેપારીઓ, મત્સ્યબીજના જથ્થાબંધ કે છુટક વેપારીઓ જિલ્લા મત્સ્યોદ્યોગ અધિકારી પાસેથી લાયસન્સ મેળવ્યા સિવાય માછલીની ખરીદી કે વેચાણ કરી શકશે નહીં. તેથી અત્રેની કચેરીના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં માછલી વેચાણ કરતા તમામ છુટક કે જથ્થાબંધ વેપારીઓને માછલી વેચાણ માટેના લાયસન્સ મેળવી લેવા માટે જણાવવામાં આવે છે. તેમજ કલમ- 7 (26), (27) અને (28) મુજબ કોઈપણ પ્રોસેસિંગ પ્લાન્ટનો કોઈપણ માલિક કે કોઈ વેપારી ઓછા કદની માછલી ખરીદી…
Read Moreવેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગ્લોબલ વોર્મીંગના કારણે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. ત્યારે વધતા આ તાપમાનને લીલાછમ વૃક્ષોની હરિયાળી જ ઘટાડી શકે છે. અત્યારે આપણે જે ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. તેની પાછળ ક્યાંક ને ક્યાંક પર્યાવરણનું નિકંદન સંકળાયેલું છે. આગામી પેઢીને સારૂ અને તંદુરસ્ત વાતાવરણ આપવા માટે વધુ વૃક્ષો વાવવા એ આજના સમયની નિતાંત જરૂરિયાત છે. જેને ધ્યાનમાં રાખીને વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા, N.S.S ના વિદ્યાર્થીઓ તેમજ સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી અને નિર્મળ ગુજરાત સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરમાં વિવિધ સ્થળો પર વૃક્ષારોપણ કરવામાં…
Read Moreવૈશાખ માસની માસિક શિવરાત્રીની શ્રી સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઉજવણી
હિન્દ ન્યુઝ, સોમનાથ પ્રથમ જ્યોતિર્લંગ શ્રી સોમનાથ મંદિર પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે. દરેક માસની માસિક શિવરાત્રી પર મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચે છે. ત્યારે આજરોજ પ્રણાલિકા અનુસાર વૈશાખ માસની માસિક શિવરાત્રિ પર શ્રી સોમનાથ મંદિર સમીપનયજ્ઞશાળામાં ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર ભાઈ દેસાઈ સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોકત પ્રણાલિકા અનુસાર લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક તીર્થ પુરોહિતો પાસે શ્રી સોમનાથ મંદિરમાં દૈનિક 121 રુદ્રી પાઠ કરાવીને પાઠાત્મક લઘુરુદ્ર કરાવવામાં આવે છે.…
Read More