જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતો માટે બાજરીના પાક અંગે તાલીમ સત્રનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર     ગત વર્ષ 2023 ને ”આંતરરાષ્ટ્રીય મિલેટસ વર્ષ” તરીકે ઉજવવામાં આવ્યું હતું. જેના અનુસંધાને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગર કેન્દ્ર દ્વારા ઉનાળુ ઋતુ દરમિયાન જામનગર જિલ્લાના વિવિધ ગામોમાં ખેડૂતોને બાજરા પાકની વિકસાવેલી નવી બાયો-ફોર્ટીફાઈડ જાત GHB-1129 (જામ શક્તિ) ના પ્રથમ હરોળના નિદર્શનો અને તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો.કે.પી.બારૈયા, બાજરા સંશોધન કેન્દ્રના વડા ડો.કે.ડી.મુંગરા અને કૃષિ વૈજ્ઞાનિક એન.ડી.અંબાલીયા દ્વારા અલીયાબાડા ગામના ખેડૂત સુરેશભાઈ બચુભાઈ મકવાણાના ખેતર ખાતે બાજરાની જાતના ગુણધર્મો, તેમની ખોરાકમાં અગત્યતા, બાજરાનું ઉત્પાદન કરવાની રીતો, મૂલ્ય…

Read More

ગુજરાત સરકાર : ભ્રષ્ટાચાર નિર્મૂલન હેતુ મક્કમતાથી અગ્રેસર

હિન્દ ન્યુઝ, જામનગર     લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં લાંચ અંગેની ફરીયાદ આપવામાં આવે ત્યારબાદ ફરીયાદીને જે તે વિભાગ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા હોવાની ઘણી રજૂઆતો બ્યુરો તથા સરકાર કક્ષાએ થતી હતી. આ સ્થિતિને નિવારવા અને ફરીયાદીને યોગ્ય અને પૂરતુ રક્ષણ મળી રહે તે સારુ સરકાર તરફથી મળેલ જરૂરી સૂચના અને માર્ગદર્શન આધારે નિયામક દ્વારા બ્યુરો ખાતે ‘CARE’ (Caring of Applicant & Responding Effectively) પ્રોગ્રામ ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૪ થી અમલમાં મૂકવામાં આવેલ છે. આ પ્રોગ્રામ અંતર્ગત બ્યુરોનાં દરેક અધિકારી/કર્મચારી એક માસમાં ઓછામાં ઓછા એક ફરીયાદીને રૂબરૂમાં તેઓના નિવાસસ્થાને…

Read More

મંત્રી રાઘવજીભાઇ પટેલે જામનગર જિલ્લાના વિવિધ ગામડાઓની શુભેચ્છા મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના વિવિધ ગામડાઓ જેમાં ખારા બેરાજા, ગોરધનપર, નાઘેડી, રાવલસર ગામની શુભેચ્છા મુલાકાત લીધી હતી. અને લોકસંપર્ક કાર્યક્રમમાં ગામના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી. કૃષિમંત્રી દ્વારા યોજવામાં આવેલા લોકસંપર્કના આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તેઓએ પોતાની રજૂઆત મંત્રી સમક્ષ મૂકી હતી. ઉપસ્થિત સર્વે આગેવાનોને જરૂરી માર્ગદર્શન- સૂચના પૂરી પાડી હતી. Advt.  

Read More

જામનગર જિલ્લામાં તા.24 થી 27 જુન દરમિયાન વાહન ફિટનેશ કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર     વાહન વ્યવહાર કમિશ્નરની કચેરી દ્વારા જામનગર જિલ્લાના ધ્રોલ, કાલાવડ, લાલપુર અને જમજોધપુરમાં તા.24 થી તા.27 જુન દરમિયાન વાહન ફિટનેશ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.24 જુન ના રોજ કાલાવડમાં GEB ઓફિસની સામે, વાવડી રોડ, તા.25 જુન ના રોજ ધ્રોલ ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સામે, બાયો ડિઝલના પંપ પાસે, તા.27 જુન ના રોજ લાલપુરમાં માર્કેટિંગ યાર્ડની સામે, 66કેવી બાજુના મેદાનમાં અને તે જ દિવસે જામજોધપુરમાં ગૌશાળા પાસે નદીના કાઠા પરના મેદાનમાં તમામ પ્રકારના વાહનોનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે. જે વાહન માલિકોએ પિયુસી ઓનલાઈન કઢાવેલ…

Read More

ધ્રોલ તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલક/ રસોયાની નિમણૂંક માટે ઈન્ટરવ્યુ યોજાશે

હિન્દ ન્યુઝ, ધ્રોલ       જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં બિજલકા પ્રાથમિક શાળા, રાજપર (ધાર) શાળા અને રોજિયા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલક કમ કુક, રસોયા અને મદદનીશની જગ્યાઓ ભરવાની છે. જેમાં, ફરજ બજાવવા અંગે ઈચ્છુક ઉમેદવારોએ ધ્રોલ મામલતદાર કચેરી ખાતેથી રજાના દિવસો સિવાય રૂબરૂ જઇને કચેરી સમય દરમિયાન નમૂના ફોર્મ મેળવી લેવાનું રહેશે. આગામી તા.૧૦ જુન સુધીમાં આ અરજી પત્રક કચેરીને પહોંચાડી દેવાનું રહેશે. સુનિશ્ચિત સમય મર્યાદા, અધૂરી વિગતો, અધૂરા પ્રમાણપત્રો અને વીતી ગયેલી તારીખ બાદ મળેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. જે ઉમેદવારો ફરજ બજાવવા ઇચ્છતા…

Read More

રાજ્યના ધરતીપુત્રોને ગુણવત્તાયુક્ત ખાતર-બિયારણ-દવા મળે તે સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના સ્પષ્ટ દિશા-નિર્દેશો

હિન્દ ન્યુઝ, જામનગર    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ધરતીપુત્રોને બિયારણ, ખાતર અને દવા ગુણવત્તાયુક્ત મળે તે સુનિશ્ચિત કરવા રાજ્યના ખેતીવાડી વિભાગને આપેલા સ્પષ્ટ દિશા-નિર્દેશો અનુસાર રાજ્ય સરકારના ખેતીવાડી ખાતા દ્વારા રાજ્યવ્યાપી દ્વિ-દિવસીય ખાસ સઘન ચકાસણી ઝુંબેશ તાજેતરમાં ઉપાડવામાં આવી હતી. આ હેતુસર સમગ્ર રાજ્યમાં ક્ષેત્રીય કક્ષાએથી ૩૯ ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ ઝુંબેશને વધુ વેગવંતી બનાવવા સ્ટેટ લેવલની ૧૯ સ્ક્વોડ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બે દિવસ માટે સઘન ચકાસણી હાથ ધરી હતી.  રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વિવિધ ઈનપુટના ૫૯ ઉત્પાદકો તેમજ બિયારણના ૮૪૮, ખાતરના ૫૪૭ અને…

Read More

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વાસદ ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારો નોંધે

હિન્દ ન્યુઝ, આણંદ ઓગષ્ટ -૨૦૨૪ અંતર્ગત આઈ.ટી.આઈ., વાસદ ખાતે ચાલતા કોર્સમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૧૩ જુન ૨૦૨૪ છે. તે પહેલાં પ્રવેશ ઈચ્છુક ઉમેદવારોએ તમામ ઓરીજીનલ ડાક્યુમેન્ટેસ સાથે સંસ્થા ખાતે તાત્કાલિક સંપર્ક કરવા ઔદ્યોગિક તાલીમ સંસ્થાના પ્રિન્સીપાલની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. Advt.

Read More

જિલ્લા સ્વાગત અને તાલુકા/ગ્રામ્ય સ્વાગત કાર્યક્રમ માટે પ્રશ્નો મોકલવાની સમયમર્યાદામાં વધારો

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત તાલુકા/ગ્રામ્ય સ્વાગત કાર્યક્રમ અને જિલ્લા સ્વાગત કાર્યક્રમ માટે અરજદારોને તા.૧૦/૦૬/૨૦૨૪ સુધીમાં સબંધિત કચેરીમાં અરજી મારફતે પ્રશ્નો મોકલવા જણાવવામાં આવ્યું હતું. પરંતુ પ્રશ્નો મોકલવાની સમયમર્યાદામાં વધારો થતા હવે તા.૧૪/૦૬/૨૦૨૪ સુધીમાં સંબંધિત કચેરીમાં અરજદારો પોતાના પ્રશ્નો મોકલી શકશે. આ ઉપરાંત અરજદારો સ્વાગત કાર્યક્રમની વેબસાઈટ swagat.gujarat.gov.in પર પણ ઓનલાઈન અરજી કરી શકશે.         ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લામાં તા.૨૬/૦૬/૨૦૨૪ ના બુધવારના રોજ તાલુકા/ગ્રામ સ્વાગત કાર્યક્રમ જે-તે તાલુકા મથક ખાતે તથા તા.૨૭/૦૬/૨૦૨૪ ના ગુરૂવારના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ કલેકટર…

Read More

પેટલાદ તાલુકાના સિલવઈ ગામની નજીક આવતા ગામના ગ્રામજનોએ પાણી ઉકાળીને અથવા ક્લોરિન વાળું જ પીવા અનુરોધ 

હિન્દ ન્યુઝ, આણંદ     પેટલાદ તાલુકાના સિલવઇ ગામ ખાતે કોલેરાનો એક કેસ પોઝિટિવ માલુમ પડતા સિલવઈ ગામને કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ આણંદ દ્વારા કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે સિલવઇ ગામ અને તેની આસપાસના ગામો પાળજ, જેસરવા અને આમોદ ગામના ગ્રામજનોએ ગામમાં સાફ-સફાઈ થાય તે ધ્યાને રાખવું, ઉપરાંત તાજો ઘરે બનાવેલો ખોરાક લેવો જોઈએ, પાણી ઉકાળીને જ પીવું અથવા ક્લોરીન વાળું પાણી પીવું, ખોરાક ઢાંકીને રાખવો, કુદરતી હાજતે ગયા બાદ અને જમતા પહેલા હાથ સાબુથી અવશ્ય ધોવા જોઈએ, ઠંડા પીણા અને બરફની વસ્તુઓ ન લેવી જોઈએ અને કોઈપણ…

Read More

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વાસદ ખાતે પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, આણંદ    વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પયાર્વરણ જાળવણીના અનુસંધાનમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વાસદ ખાતે સેમિનાર તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.         આ કાર્યક્રમમાં સંસ્થાના આચાર્યશ્રીએ પર્યાવરણ જાળવણી સંદર્ભે વૃક્ષારોપણ પણ ભાર મૂકવાની હિમાયત કરી હતી.તેમણે તાલીમાર્થી વિદ્યાર્થીઓને પણ પર્યાવરણની જાળવણી માટે સંકલ્પબધ્ધ કર્યા હતા.         વધુમાં આ વેળાએ તાલીમાર્થી વિદ્યાર્થીઓએ પર્યાવરણ દિનની ઉજવણી પ્રસંગે વક્તવ્ય આપ્યું હતું. જેમાંથી પ્રથમ પાંચ વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતા.         આ પ્રસંગે ઓદ્યાગિક તાલીમ સંસ્થાના મેનન કાલી તથા અન્ય…

Read More