હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વેરાવળની ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટીમે આત્મહત્યા કરવા જતી અજાણી મહિલાનું કાઉન્સેલિંગ કરી તેને બચાવી હતી અને પીડિત મહિલાના મનમાંથી આત્મહત્યા કરવાનો વિચાર દૂર કરી અને વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો હતો. વેરાવળની ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં રેલવે સ્ટેશનમાંથી એક જાગૃત નાગરિકનો ફોન આવ્યો હતો. આ ફોનમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, એક અજાણી મહિલા આત્મહત્યા કરવાનું કહે છે. જે કહે છે કે, તેને મરી જવું છે અને હવે જીવવું નથી. જેથી આ મહિલાને સમજાવીને વેઈટિંગ રૂમમાં બેસાડ્યાં છે. પરંતુ તેઓ કશું જ જણાવતા નથી. આથી વેરાવળ…
Read MoreMonth: February 2024
કાર્યક્રમ સ્થળે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું
હિન્દ ન્યુઝ, જામનગર એ.પી.એમ.સી.હાપા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતમાં યોજાયેલ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેંચાણ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. રાજ્યપાલએ આ કેન્દ્રની મુલાકાત લઇ પ્રાકૃતિક કૃષિકારો સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેઓએ અપનાવેલ વિવિધ પદ્ધતિઓથી માહિતગાર થયાં હતાં. આ કેન્દ્રમાં જામનગર જિલ્લાના ઠેબા, સુમરી, ભીમકટા, જશાપર, ધ્રોલ, લતીપર, રામપર, મોટી રાફુદળ, ચેલા, દડીયા, સડોદર, નાની ભલસાણ, આણંદપર સહિતના ગામોથી પ્રાકૃતિક કૃષિકારો ઉપસ્થિત રહ્યા હતા જેમણે કઠોળ, લીલાં શાકભાજી, મરી મસાલા, હલકાં ધાન્ય, હળદર, ગૌ મૂત્ર આધારિત ઉત્પાદનો, ગુલકંદ, રાગી, સ્ટ્રોબેરી, મરચું પાવડર, કીનોવા સહિતના ઉત્પાદનો…
Read Moreપ્રાકૃતિક ખેતીના કારણે આજે મારુ ઉજ્જડ ખેતર મોડેલ ફાર્મ બન્યું છે – ખેડૂત સુરેશભાઈ ગાંગાણી
હિન્દ ન્યુઝ, જામનગર કાર્યક્રમમાં જોડિયા તાલુકાના માણામોરા ગામના ખેડૂત સુરેશભાઈ ગાંગાણીએ પ્રાકૃતિક કૃષિ અંગેનો પોતાનો અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે મારું ગામ જોડિયા તાલુકાનું દરિયાકાંઠાનું ગામ છે અને અહીં મારી દસ વીઘા જમીન આવેલી છે. શરૂઆતના તબક્કામાં પાંચ વીઘા જમીનમાં મેં એપલ બોર વાવવાનું નક્કી કર્યું ત્યારે ગામમાં સૌ માટે હું હાંસિપાત્ર બન્યો.લોકોએ કહ્યું ખારી જમીનમાં બાગાયત પાકનું ઉત્પાદન શક્ય નથી.તેમ છતાં મેં વાવેતર કર્યું અને એમાં જીવામૃત, મિશ્ર પાક પદ્ધતિ, વાફસા, આચ્છાદન સહિતના પ્રાકૃતિક ખેતીના પ્રયોગો શરૂ કર્યા.પરિણામે ખારપાટ જમીનમાં પણ પ્રથમ વર્ષે મને 50 હજારની કિંમતનું ઉત્પાદન પ્રાપ્ત…
Read Moreટી.બી. મુક્ત થશે ગીર સોમનાથ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાને ટી.બી.મુક્ત બનાવવા માટે જિલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અભિયાનરૂપે કાર્ય કરવામાં આવી રહ્યું છે. ટી.બીના દર્દીઓને જણાવવામાં આવ્યું છે કે, જો ટી.બી.ના લક્ષણો જણાય તો ગભરાશો નહીં અને તાત્કાલીક નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર લેવી, યોગ્ય સારવાર અને તેકદારી રાખવામાં આવે તો માત્ર ૬ જ મહિનામાં ટી.બી.ના રોગમાંથી મુક્તી મળી શકે છે. ગીર સોમનાથ જિલ્લા ક્ષય અધિકારી ડો.શીતલ રામે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ દ્વારા ટી.બી.ના દર્દીઓને…
Read Moreઘરેથી ભૂલા પડેલ વૃદ્ધ મહિલાનું ગણતરીની કલાકોમાં પરિવાર સાથે મિલન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર જામનગર
હિન્દ ન્યુઝ, જામનગર જામનગરના એક જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનને શારીરિક અસ્વસ્થ મહિલા જામનગરના સેનાનગર વિસ્તારમાંથી મળી આવ્યા અંગેની જાણ કરેલ. જેથી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી જામનગર સખી વન સ્ટોપ સેન્ટર ખાતે એ મહિલાને લઇ આવેલ. સેન્ટરના કર્મચારીઓ દ્વારા માનસિક અને શારીરિક અસ્વસ્થ મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે મહિલા માનસિક રીતે થોડા અસ્વસ્થ હોઈ યોગ્ય પ્રતિસાદ આપી શકતા નથી. જેથી કેન્દ્ર સંચાલક દ્વારા મહિલાને માનસિક સાંત્વના આપતા વૃદ્ધ મહિલાએ પોતા વિશેની જાણકારી આપી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓના પતિ વર્ષ…
Read Moreશ્રી એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ જામનગર ખાતે “સ્પોર્ટ્સ ફેલીસીટેશન ફીએસ્ટા ૨૦૨૪”ની ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, જામનગર શ્રી એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ જામનગર ખાતે ડીન ડો.નંદની દેસાઈ તથા ફેકલ્ટી ડીન ડો.વિજય પોપટનાં માર્ગદર્શન હેઠળ “સ્પોર્ટ્સ ફેલીસીટેશન ફીએસ્ટા ૨૦૨૪” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી આયોજિત આંતર કોલેજ સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનવામાં આવેલ. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી આયોજિત આંતર કોલેજ સ્પર્ધામાં શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજ દ્વારા ૧૦ જેટલી વિવિધ ખેલ સ્પર્ધાઓમાં અંદાજે ૬૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ એક સુવર્ણ તથા પાંચ કાંસ્ય પદક મેળવેલ તથા ૭ વિદ્યાર્થીઓ આંતર યુનિવર્સીટી (નેશનલ) માટે પસંદ થઈ…
Read Moreवैशाली जिले अन्तर्गत चेहराकलां प्रखंड प्रमुख के विरुद्ध अविश्वास प्रस्ताव पारित हुआ।
हिन्द न्यूज़, बिहार वैशाली जिले अन्तर्गत चेहराकलां प्रखंड प्रमुख के विरुद्ध अविश्वास प्रस्ताव पारित हुआ। जिसमें से जिला प्रतिनियुक्त जिला अल्पसंख्यक कल्याण पदाधिकारी सह चेहराकलां प्रखंड प्रभारी सह पर्यवेक्षक मो साजिद एवं प्रखंड विकास पदाधिकारी सह कार्यपालक पदाधिकारी बिनोद कुमार उपस्थित थे। जिसकी अध्यक्षता प्रखंड उप प्रमुख तिलक देवी ने की। चेहराकलां प्रखंड विकास पदाधिकारी सह कार्यपालक पदाधिकारी बिनोद कुमार ने प्रखंड प्रमुख अनीता देवी पर अविश्वास प्रस्ताव पर चर्चा के लिए पूर्व से निर्धारित तिथि एवं समयानुसार सद्भाव मडंप भवन चेहराकलां में कुल 16 पंचायत समिति…
Read Moreજસદણ નગરપાલિકાની ગંભીર બેદરકારી આવી સામે
હિન્દ ન્યુઝ, જસદણ જસદણ નગરપાલિકા દ્વારા જૂની નગરપાલિકાની જગ્યામાં નંદીઘરમાં રખડતા ઢોર ને સાચવવામાં આવી રહ્યા છે ઢોરને નિભાવવા માટે સરકાર તરફથી સારો એવો ખર્ચ પણ કરવામાં આવે છે તેમ છતા ઢોરને સાચવવામાં જસદણ નગરપાલિકા સદંતર નિષ્ફળ નિવડી છે પાંચેક દિવસ પહેલા નંદીઘર ખાતે કોઈ કારણોસર ઢોરનું મૃત્યુ થતા મૃત ઢોરની વિધી કરવામાં જસદણ નગરપાલિકા તંત્ર આળસ દાખવતા અન્ય પશુઓએ મૃત ઢોરને ચૂંથી નાખતા જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાતા ગૌ રક્ષક ટીમ રાજકોટના જીવદયા પ્રેમી કેતનભાઈ સંઘવી ભરતભાઈ આહીર નિલેશભાઈ આહીર સહિતના જીવદયા પ્રેમીઓ જસદણ પ્રાંત કચેરી…
Read Moreડાંગ જિલ્લામાં તા.૮મી ફેબ્રુઆરીથી પ્રારંભાયેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨’ એ જિલ્લાની ૩૬ ગ્રામ પંચાયતોને લાભાન્વિત કર્યા
હિન્દ ન્યુઝ, ડાંગ દેશભરમાં કેન્દ્ર સરકારની યોજનાઓના લાભો અને તેની જાણકારી વંચિતો સુધી પહોંચાડવાના હેતુથી એક અભૂતપૂર્વ પહેલ કરતા, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ, ગત તા.૧૫મી નવેમ્બર ને ‘જનજાતીય ગૌરવ દિવસ’થી ઝારખંડના ખૂંટીથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ની શરૂઆત કરી છે. સરકારની મુખ્ય યોજનાઓ વિશે નાગરિકોને માહિતગાર કરી તેમને સશક્ત બનાવવા માટે આરંભાયેલી આ યાત્રાનો હેતુ, વ્યાપક જનજાગૃતિ લાવવા સાથે કલ્યાણ કાર્યક્રમોનો લાભ સીધો લોકો સુધી પહોંચાડવાનો છે. સરકારની વિવિધ યોજનાઓનો સંદેશ લઈને ખાસ તૈયાર કરાયેલી આઈ.ઈ.સી. વાનના સાન્નિધ્યે, અનેકવિધ યોજનાકીય લાભો એનાયત કરવા સાથે, પાત્રતા ધરાવતા લાભાર્થીઓની નોંધણી, આરોગ્ય કેમ્પ,…
Read Moreवैशाली ज़िला पदाधिकारी यशपाल सिंह मीणा के निर्देश पर खनन विभाग, पुलिस और अनुमंडल पदाधिकारी के साथ करवाई में, अवैध बालु लोड 06 वाहन जब्त, 02 गिरफ्तार
हिन्द न्यूज़, बिहार वैशाली ज़िलाधिकारी, यशपाल सिंह मीणा के निर्देशानुसार जिले मे बालु के अवैध खनन और परिवहन के विरुद्ध निरंतर कार्रवाई किया जा रहा है,l शनिवार के रात्री मे वैशाली प्रशासन और सोनपुर प्रशासन ने अवैध बालु के विरुद्ध संयुक्त कार्रवाई किया गया । गंगा ब्रीज , सोनपुर थाना, खान निरीक्षक, खनिज विकास पदाधिकारी के साथ अनुमंडल पदाधिकारी ने महात्मा गाँधी सेतु पुल के निचे तेरसिया सबलपुर दीआरा मे बालु के अवैध खनन, परिवहन पर नकेल कसने के लिए कारवाई किया l जिसमे संलिप्त तीन हाइवा, एक ट्रेक्टर को…
Read More