હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર લીંબડી મામલતદારની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે લીંબડી તાલુકાની જનશાળી પ્રાથમિક શાળા ખાતે મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર સંચાલક-કમ-કૂકની નિમણૂંક કરવાની થતી હોય, આ જગ્યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી, મધ્યાહન ભોજન યોજના શાખા–લીંબડી ખાતેથી રૂબરૂ મેળવી અને સંપૂર્ણ વિગત ભરી જરૂરી આધારોની નકલ સાથે આગામી તા.૧૦-૦૨-૨૦૨૨ સુધીમાં મામલતદાર કચેરી- લીંબડી ખાતે જાહેર રજાના દિવસો સિવાય પરત કરવાનું રહેશે.
Read MoreMonth: January 2022
પોરબંદર જિલ્લાના ૨૭ વિસ્તારને કન્ટેઇમેન્ટ ઝોનમાંથી મુકત જાહેર કરાયા
હિન્દ ન્યુઝ, પોરબંદર પોરબંદર જિલ્લામાં નોવેલ કોરોના વાઇરસના પોઝીટીવ કેસ આવતા કોરોના વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે જિલ્લા મેજીસ્ટ્રેટે કન્ટેઇમેન્ટ વિસ્તાર જાહેર કરી લોકોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. (૧) પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાનાં માધવપુર ગામ વિસ્તારમાં માંગરોળ હાઇવે પર બહાદુરસિંહ અને જમનાદાસ મથુરાદાસ કક્કડના ઘર. (૨) પોરબંદર જિલ્લાના જુબેલી વિસ્તારમાં તિરૂપતિ મંદિર પાસે મનીષભાઇ દલપતરામ શનિશ્વરા અને ભીમા કાનાનાં ઘર સુધીનો વિસ્તાર. (૩) પોરબંદર જિલ્લાના ખાપટ વિસ્તારમાં કર્મચારી સોસાયટીમાં બટુક લાખા વીઝુંડાનાં ઘરથી ભોજા ખીમા ડોડીયા અને…
Read Moreકચ્છના ખેડૂતોને આત્મા યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૯-૨૦ના “બેસ્ટ આત્મા ફાર્મર” એવોર્ડ મળ્યો
હિન્દ ન્યુઝ, ભુજ કૃષિ ક્ષેત્રના ઉત્સાહીસ અને પ્રગતિશીલ ખેડૂતો કે જેઓ પોતાની આગવી કોઠાસુઝ અને સાહસવૃતિથી ખેતીના વિકાસમાં નવીનતા લાવવા, ઉત્પાદનમાં વધારો કરવા તેમજ નવીન તકનીકો રજુ કરવા માટે કાર્ય કરે છે. તેઓને ખેત ઉત્પાદનલક્ષી પ્રવૃતિને પ્રોત્સાહન મળે અને તેમાં વધુ વેગ આવે તેમજ આપેલ યોગદાનની કદરરૂપે કૃષિ વિકાસમાં તેમના ફાળાને બિરદાવવા માટે શુભ હેતુથી ભારત સરકાર પુરસ્કૃત અને ગુજરાત સરકાર દ્વારા સંચાલિત એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા) યોજના હેઠળ “બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ” આપવાની જોગવાઇ કરવામાં આવી છે. આત્મા યોજના સાથે સંકળાયેલ…
Read Moreબોટાદ જિલ્લા મેજિસ્ટ્રેટએ કોરોના-૧૯ માટેની સુચનાઓનું પાલન કરવા પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું
હિન્દ ન્યુઝ, બોટાદ ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૨૧-૦૧-૨૦૨૨ના હુકમથી તા.૨૯-૦૧-૨૦૨૨ સુધી અમલમાં રહે તે મુજબ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ. જેના અનુસંધાને તા.૨૧/૦૧/૨૦૨૨ થી બોટાદ જિલ્લામાં વિગતવાર જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. કોરોના સંક્રમણને ધ્યાને લેતા ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૨//૦૧/૨૦૨૨ ના હુકમથી થયેલ નિર્ણય અનુસાર રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણોની અવધિ લંબાવવાનું નક્કી કરેલ છે. જેથી બોટાદ જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ – ૩૩(૧) તથા ૪૩, ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪, ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન, ૨૦૨૦…
Read Moreબોટાદ જિલ્લામાં ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહન માટે પસંદગીના બાકી રહેલ નંબરોનું ઓનલાઇન એપ્લીકેશન ઇ- ઓકશનથી ફાળવવામાં આવશે
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ જિલ્લાના ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહન ખરીદનાર મોટરીંગ પબ્લીક જોગ જણાવવાનું કે આગામી તા. ૦૫.૦૨.૨૦૨૨ થી ટુ વ્હીલર GJ-33-E તેમજ ફોર વ્હીલર GJ-33-F તેમજ ટ્રાન્સપોર્ટ GJ-33-T વાહન માટેની જુની સીરીઝના પસંદગીના બાકી રહેલ નંબરોનું ઓનલાઇન એપ્લીકેશન ઇ- ઓકશનથી ફાળવવામાં આવનાર છે. જેમનું વાહન ખરીદ કર્યાને ૩૦ દિવસ થયા હોય કે નવું વાહન ખરીદવાનું હોય તેની ઓનલાઇન રજીસ્ટર એપ્લીકેશન કરી ફી તથા કર ભરપાઇ કરી એઆટીઓ કચેરી બોટાદ પસંદગી નંબરનું…
Read Moreસાબરકાંઠા જિલ્લામાં કોરોના સુરક્ષાચક્ર સુનિશ્ચિત કરવા ખાસ કોવિડ-૧૯ પ્રતિરોધ રસીકરણ મેઘા ડ્રાઇવ
હિન્દ ન્યુઝ, સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાને કોરોના મુક્ત બનાવવા અને નાગરીકોમાં કોરોના પ્રતિરોધક રસીકરણ અંગે જનજાગૃતિ ફેલાય તે માટે કોરોના સુરક્ષાચક્ર સુનિશ્ચિત કરવા ખાસ કોવિડ-૧૯ પ્રતિરોધ રસીકરણ મેઘા ડ્રાઇવ વેક્સિનેશન અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જિલ્લાના કોરોના વેક્સિન લેવામાં બાકી રહી ગયેલા નાગરીકો અને ૧૫ થી ૧૭ વર્ષની વયજૂથના તમામ બાળકોને રસીકરણ માટે પ્રેરીત કરવા માટે આરોગ્યતંત્ર દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓના ગામે ગામ અને ઘેર-ઘેર જઈને વેક્સિનેશન ડાઇવ ચલાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી રાજેશ પટેલે ઇડર તાલુકાના…
Read Moreનર્મદા જિલ્લામાં તા.૩૦ મી જાન્યુઆરી થી તા.૧૩ મી ફેબ્રુઆરી દરમિયાન હાથ ધરાનારું રક્તપિત્ત જન જાગૃત્તિ અભિયાન
હિન્દ ન્યુઝ, નર્મદા નર્મદા જિલ્લામાં તા.૩૦ મી જાન્યુઆરી થી તા.૧૩ મી ફેબ્રુઆરી દરમિયાન હાથ ધરાનારું રક્તપિત્ત જન જાગૃત્તિ અભિયાન, ચામડી પર આછું, ઝાખું, રતાશ પડતું કે અન્ય કોઇ ચાઠું મળી આવે તો સઘન તપાસ અને સારવાર નિયત સમયગાળામાં સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહનો અનુરોધ. રાજપીપલા ખાતે નર્મદા જિલ્લા રક્તપિત્ત ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન કમિટીની યોજાયેલી બેઠક જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, જિલ્લા ક્ષય અધિકારી અને ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઝંખનાબેન વસાવા,…
Read Moreગુજરાત યુનિવર્સિટીનો ૭૦મો પદવીદાન સમારોહ સંપન્ન રાજ્યપાલ-મુખ્યમંત્રી-શિક્ષણમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ૪૯ હજાર છાત્રોને પદવી એનાયત
હિન્દ ન્યુઝ, ગુજરાત સમગ્ર કોન્વોકેશન વર્ચ્યુઅલ યોજવાનો ગુજરાત યુનિવર્સિટીનો પ્રશંસનીય અભિગમ સત્યના માર્ગે પોતાના કર્તવ્યધર્મનું પાલન કરી પદવીધારક યુવાનો નવા વિચાર, નવા સંકલ્પ અને નૂતન ઇનોવેશન સાથે રાષ્ટ્ર નિર્માણ માટે પ્રવૃત્ત થાય : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત યુવાનોને મળી રહેલી પદવી ડીગ્રી પ્રમાણપત્ર જ નહીં પરંતુ ભવિષ્યની ઉજ્જવળ ભારતની અપેક્ષા-આકાંક્ષાનું ઉમ્મીદપત્ર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સેક્ટરલ યુનિવર્સિટીઝ દ્વારા વિશ્વકક્ષાનું જ્ઞાન ગુજરાતના યુવાનને મળતું થયું છે ગુજરાતે ગ્લોબલ એજ્યુકેશન હબ બનવા હોલિસ્ટિક એજ્યુકેશન ડેવલપમેન્ટથી પ્રયાણ કર્યું છે સમયાનુકૂળ શિક્ષા-દીક્ષાથી યુવાશક્તિના સજ્જતાથી આત્મનિર્ભર બનાવી રાજ્ય-રાષ્ટ્રની આત્મનિર્ભરતાની નેમ પાર પાડવા આહવાન
Read More‘યાત્રી કૃપયા ધ્યાન દે…..” રેલ્વેના એનાઉન્સર કિરીટભાઈએ નિવૃત્તિ બાદ શાસ્ત્રીય ગીત સંગીતમાં નિપૂણતા હાંસલ કરી
હિન્દ ન્યુઝ, ૩૩ રાગના ૩૯ સ્વરાંકનમાં હનુમાન ચાલીસા ગાવાની અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી ૩ર વર્ષની યશસ્વી કારકિર્દીમાં ૧૬ થી વધુ રેલ્વે એવોર્ડ અને પુરસ્કાર મેળવ્યા ઈશ્વર દરેકને કોઈ ને કોઈ વિશિષ્ઠ શક્તિ સાથે જ ધરતી પર મોકલતા હોઈ છે. જરૂર છે તે શક્તિને ઓળખી તેને યોગ્ય દિશા આપવાની. આવા જ એક ઉદાહરણીય વ્યક્તિ છે કિરીટભાઈ ઉપાધ્યાય. જેને ઈશ્વરે મધુર ધ્વનિની બક્ષીશ આપેલી છે. કિરીટભાઈએ રેલવેમાં એનાઉન્સરની ભૂમિકા થકી તેમના અવાજથી લાખો યાત્રિકોને પ્રભાવિત કર્યા છે. “યાત્રિ કૃપા ધ્યાન દે…” એ વાક્ય સાંભળતા જ રેલ્વેમાં…
Read Moreહારિજ ખાતે વિધર્મીઓને કડકમાં કડક સજા કરવા યુવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું
હિન્દ ન્યુઝ, હારિજ તાજેતરમાં કર્ણાવતી જિલ્લાના ધંધુકા ગામે એક યુવાનની વિધર્મી દ્વારા હત્યા કરવામાં આવી છે. જેના પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાતમાં પડી રહયા હતા અને રાધનપુર તાલુકાના શેરગઢ ગામેં વિધર્મી દ્વારા યુવતી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. બંને ઘટનાને વખોડી હારિજ શ્રી હિન્દ સ્વરાજ સેનાના યુવાનો અને ગામના લોકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી ગુનેગારોને કડકમાં કડક ફાંસીની સજા આપવા રજૂઆત કરેલ છે. કર્ણાવતી જિલ્લાના ધંધુકા ખાતે વિધર્મી દ્વારા કિશનભાઇ ભરવાડ નામના યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે અને રાધનપુર તાલુકાના શેરગઢ ગામે વિધર્મી…
Read More