હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લામાં તાઉતે વાવાઝોડાથી ઉના, ગીરગઢડા તાલકા વધુ અસરગ્રસ્ત થયા હતા. જે અંતર્ગત ઉર્જામંત્રીશ્રી સૈારભભાઇ પટેલે ઉના ૨૨૦ કે.વી.ની મુલાકાત લઇ જેટકો તેમજ પીજીવીસીએલના અધિકારીઓ સાથે બેઠક યોજી અસરગ્રસ્ત તાલુકામાં વિજળી પુર્વવત કરવા યુધ્ધના ધોરણે કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી. જે અંતર્ગત આજથી અસરગ્રસ્ત કોડીનાર, ગીરગઢડા, ઉના તાલુકાના ગામડાઓમાં જ્યોતિગ્રામ ફીડર ચાલુ કરી દરેક ગામડાઓને વીજળી પુર્વવત કરવામાં આવી છે. આ અસરગ્રસ્ત તાલુકામાં ૨૦ સબસ્ટેશનો દ્વારા વીજપુરવઠો પુર્વવત કરવામાં આવ્યો છે અને ૧૧૦૦૦ વીજળી પોલ, ૬૦૦ ટીસી રીસ્ટોર કરવામાં આવ્યા છે. ૧૧૫ કોન્ટ્રાકટરોની ટીમ અને ૩૯…
Read MoreMonth: June 2021
ડભોઇ તાલુકા તેમજ શહેર કોંગ્રેસ દ્વારા કોરોનાકાળ દરમિયાન મૃત્યુ પામેલા તમામ મૃતકો ને બે મિનિટ નું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી
હિન્દ ન્યૂઝ, ડભોઇ છેલ્લા દોઢ વર્ષ થી કોરોના મહામારી એ દેશ તથા દુનિયા માં હાહાકાર મચાવ્યો છે. કોરોના કાળ એ દેશ ને આર્થિક તેમજ માનસિક રીતે ખૂબ જ નુકશાન પહોચાડ્યું છે. તેમજ ખૂબ મોટા પ્રમાણ માં લોકો નું મૃત્યુ આ બીમારી ને કારણે થયું છે. પ્રથમ લહેર બાદ બીજી લહેર માં કોરના માં ઘણા લોકો એ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. આજરોજ ડભોઇ તાલુકા તેમજ શહેર કોંગ્રેસ દ્વારા કોરોનાકાળ દરમિયાન મૃત્યુ પામેલા તમામ મૃતકો ને બે મિનિટ નું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કોરોના મહામારી એ કેટલાક લોકો ના…
Read Moreખીદમત કમિટી દ્વારા ડભોઇ કડિયા જમાતખાના ખાતે બ્લડ ડોનેટ નું આયોજન
હિન્દ ન્યૂઝ, ડભોઇ હાલમાં કોરોનાવાયરસના કપરા સમયમાં કેટલાક લોકો ને સમયસર બ્લડ ન મળતા કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે તેવા જરૂરિયાત મંદોને સમયસર બ્લડ મળી રહે તેવા શુભ હેતુથી સેવાભાવી કાર્યક્રમ ડભોઇના ‘ખિદમત કમિટી’ દ્વારા ડભોઇના કડિયાજમાત ખાતે આજરોજ યોજવામાં આવ્યો હતો. કોરોનાથી સંક્રમિત થયેલા કેટલાક લોકોને બ્લડની તાતી જરૂરિયાત ઉભી થતી હોય છે. જેને કારણે આવા જરૂરિયાત મંદોને સમયસર બ્લડ ન મળવાથી પરિવારનો સભ્ય ગુમાવવાનો વારો આવી પડે છે. આવી પરિસ્થિતિ ઊભી ન થાય અને કોરોનાની ત્રીજીવેવ ને ધ્યાનમાં રાખીને ડભોઇના મુસ્લિમ સમાજના આગેવાનોએ ‘આયુષ…
Read Moreમહુવા તાલુકાના કલસાર, માલણ, નિકોલ અને મોટી જાગધાર જળાશય યોજના વિસ્તારમા ખેતી, અન્ય પ્રવૃતિ કે ઢોર ન ચરાવવા બાબતે અનુરોધ
હિન્દ ન્યૂઝ, મહુવા કાર્યપાલક ઈજનેર ક્ષાર અંકુશ વિભાગ, ભાવનગર દ્વારા જાહેર જનતાને જણાવાયુ છે કે ચાલુ વર્ષ-૨૦૨૧ના ચોમાસા ઋતુ દરમ્યાન મહુવા વિસ્તારના કલસાર ગામ પાસે લોકલ ક્રિક નદી પર કલસાર બંધારા યોજનામા ભરપુર સપાટી એટલે કે ૫.૦૦ મીટર, મહુવા બંદર ગામ પાસે માલણ નદી પર માલણ બંધારા યોજનામા ભરપુર સપાટી એટલે કે ૪.૨૫ મીટર, નિકોલ ગામ પાસે ભાદ્રોડી નદી પર નિકોલ બંધારા યોજનામા ભરપુર સપાટી એટલે કે ૪.૨૫ મીટર અને મોટી જાગધાર ગામ પાસે બગડ નદી પર મોટી જાગધાર આર.આર. જળાશય યોજનામા ભરપુર સપાટી એટલે કે ૨૭.૭૫ મીટરના…
Read Moreદિયોદર મા આમ આદમી પાર્ટી ની ૨૦૨૨ ની તૈયારી, તાલુકામાં પુનઃ સંગઠન ગઠન કર્યું
હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર ના સણાદર મિનિ અંબાજી ખાતેગુજરાત આમ આદમી પાર્ટી ૨૦૨૨ મિશન અંતર્ગત દિયોદર આમ આદમી પાર્ટી ની પુનઃ સંગઠન ની રચના કરવામાં આવી અને ૨૦૨૨ વિધાન સભા ચૂંટણીમાં તૈયારી સાથે આ વખતે મેદાનમાં ઉતરવાની તૈયારી બતાવી છે ત્યારે આમ આદમી પાર્ટી ના ગુજરાત ઉપાધ્યક્ષ ભેમાંભાઈ ચૌધરીએ જિલ્લાની હોદેદારો ની અધ્યક્ષ તામાં દિયોદર ખાતે આમ આદમી પાર્ટી ની મીટીંગ યોજી હતી. જેમાં દિયોદર આમ આદમી પાર્ટી ના પ્રમુખ તરીકે મિતેષ ભાઈ ચૌધરી, ઉપપ્રમુખ ડૉ. અશોકભાઈ પંચાલ, યુવા ઉ પ્રમુખ મહેશ ભાઈ, સોસિંયલ મિડિયા ઈન્ચાર્જ શૈલેષ ભાઈ ચૌધરીની…
Read Moreઆણંદ નગરપાલિકા ના વોર્ડ નં.૧ર માં રોડ રીપેરીંગની કામગીરી શરુ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ નગરપાલિકા ના વોર્ડ નં.૧ર માં વિશ્રૃત પાર્ક, અનમોલ બંગ્લોઝ રોડ પર ચાલી રહેલા પેચવર્ક, રોડ રીપેરીંગની કામગીરી દરમ્યાન આણંદ નગરપાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ ઉપપ્રમુખ છાયાબા ઝાલા, કારોબારી ચેરમેન સચિનભાઈ પટેલ, રોડ કમિટી ચેરમેન કેતનભાઈ બારોટ, કાઉન્સીલર મેહુલભાઈ પટેલ દ્વારા સ્થળની મુલાકાત કરવામાં આવી અને ગુણવત્તા વાળું મટીરીયલ છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી હતી. રિપોર્ટર : બળદેવસિહ બોડાણા, આનંદ
Read Moreલાખણી પંથકમાં સાંજના સમયે વાતાવરણમાં પલટા સાથે ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં ભારે નુક્સાન
હિન્દ ન્યુઝ, લાખણી લાખણી પંથકમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પણ આવ્યો હતો જેને લઈ લાખણી પંથકના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં નુક્સાન વેઠવાનો વારો આવ્યો હતો. ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું. લાખણીનાં ભાકડીયાલ ગામે પરમાર રમેશભાઈ ને ત્યાં બનાવેલો પતરાનો શેડ ઉડી જવા પામ્યો હતો જેને લઈ ભારે નુક્સાન વેઠવાનો વારો આવ્યો હતો. સાંજના સમયે બનાસકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસતા બાજરીનો તૈયાર પાક કાપણી સમયે વરસાદ વરસતા ખેડૂતોને નુક્સાની વેઠવાનો વારો આવ્યો છે. એક બાજું કોરોના મહામારી બિજી બાજુ કુદરતી…
Read Moreસ્પાની આડમાં ચાલતા કૂટણખાના નો પર્દાફાશ કરીને આરોપીને પકડી પાડતી વિઠલાપુર પોલીસ
હિન્દ ન્યૂઝ, વિરમગામ મહે. પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ ચન્દ્રશેખર તથા મહેશ પોલીસ અધીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અમદાવાદ ગ્રામ્યના ઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા માં સ્ત્રી અત્યાચાર તથા અપહરણ, અપનયન દારૂ-જુગાર તથા લૂંટ જેવી ગંભીર ગુનાઓને અટકાવવા આપેલ સૂચના આધારે મદદનીશ પોલીસ અધિક્ષક ડો. લવીના સિન્હા આઇ.પી.એસ વિરમગામ વિભાગ વિરમગામ નાઓનાં સીધા માર્ગદર્શન હેઠળ વિઠલાપુર પોલીસ સ્ટેશનના શક્તિ માર્કેટમાં સ્પા ની આડમાં ચાલતાં કુટણખાનાનો પર્દાફાશ કરી આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ઉપરોક્ત ગુનાની તપાસમાં આજરોજ અમો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ જીગ્નેશભાઈ ગુણવંતભાઈ નાઓને…
Read Moreનડિયાદ શહેર પ્રમુખ હાર્દિક ભાઈ ભટ્ટ અને સમગ્ર કોંગ્રેસ ટીમ દ્વારા નડિયાદ ચીફ ઓફિસર ને આવેદન
હિન્દ ન્યૂઝ, નડિયાદ વોર્ડ નંબર ૧૦માં વલ્લભ નગર પોલીસ સ્ટેશન ની સામે આવેલ ખંડેર હાલતમાં પડેલ બાગ ના ભાગ મા રીનોવેશન માટે અને નડિયાદ માં તૂટી ગયેલા રોડ જે છ મહિના માં બન્યા છે અને તૂટી ગયા છે. નગરપાલિકાના વિસ્તારમાં આવેલ લાઈટના થાંભલા ઉપર લાઇટ બંધ છે તેના અનુસંધાનમાં નડિયાદમાં જે પ્રકારે કચરો જ્યાં ત્યાં જોવા મળે છે તેના અનુસંધાનમાં માય મંદિર થી ઊભો રોડ અને નડિયાદમાં જે પણ જગ્યા ઉપર ખાડા પડેલા છે તે સત્વરે પૂરી અને આવનાર ચોમાસામાં તકલીફ ન પડે તેના માટે નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે…
Read Moreકોરોના સામેની લડાઇ માટે ભાવનગરની એક્રેસીલ કંપનીએ કલેકટરને ૧૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ અર્પણ કર્યા
હિન્દ ન્યૂઝ, ભાવનગર ભાવનગર શહેર તેની સંસ્કારિતા સાથે દાનની સરવાણી વહાવવા માટે પણ જાણીતું છે. કોરોનાએ જ્યારે સમગ્ર વિશ્વનો ભરડો લીધો છે ત્યારે કોરોનાના ગંભીર પ્રકારના દર્દીઓ માટે ઓક્સિજન પૂરો પાડવા માટે ઉપયોગી એવા ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સની બીજા વેવમાં ખૂબ જરૂરિયાત ઊભી થઇ હતી. ભાવનગરની વિવિધ કંપનીઓ અને શ્રેષ્ઠીઓ દ્વારા વિવિધ પ્રકારે ભાવનગર શહેરની હોસ્પિટલની વિવિધ પ્રકારે મદદ થઈ રહી છે. તેના ભાગરૂપે આજે એક્રેસીલ કંપની દ્વારા જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાને ૧૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ અર્પણ કરવામાં આવ્યાં હતાં. આ અવસરે એક્રેસીલ કંપનીના ઇન્ડિપેન્ડન્ટ ડાયરેકટર પ્રદીપ હરદેવસિંહજી ગોહિલે જણાવ્યું હતું…
Read More