મહુવા તાલુકાના કલસાર, માલણ, નિકોલ અને મોટી જાગધાર જળાશય યોજના વિસ્તારમા ખેતી, અન્ય પ્રવૃતિ કે ઢોર ન ચરાવવા બાબતે અનુરોધ

હિન્દ ન્યૂઝ, મહુવા 

     કાર્યપાલક ઈજનેર ક્ષાર અંકુશ વિભાગ, ભાવનગર દ્વારા જાહેર જનતાને જણાવાયુ છે કે ચાલુ વર્ષ-૨૦૨૧ના ચોમાસા ઋતુ દરમ્યાન મહુવા વિસ્તારના કલસાર ગામ પાસે લોકલ ક્રિક નદી પર કલસાર બંધારા યોજનામા ભરપુર સપાટી એટલે કે ૫.૦૦ મીટર, મહુવા બંદર ગામ પાસે માલણ નદી પર માલણ બંધારા યોજનામા ભરપુર સપાટી એટલે કે ૪.૨૫ મીટર, નિકોલ ગામ પાસે ભાદ્રોડી નદી પર નિકોલ બંધારા યોજનામા ભરપુર સપાટી એટલે કે ૪.૨૫ મીટર અને મોટી જાગધાર ગામ પાસે બગડ નદી પર મોટી જાગધાર આર.આર. જળાશય યોજનામા ભરપુર સપાટી એટલે કે ૨૭.૭૫ મીટરના લેવલ (એફ.એસ.એલ.) સુધી પાણી ભરાવાની શક્યતા છે.

આથી ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાને લઈ ઉપરવાસમા જળાશય વિસ્તારમા ખેતી તેમજ અન્ય કોઈ પ્રવૃતિ કરવી નહી તેમજ ઢોર-ઢાખરને પણ આ વિસ્તારથી દુર રાખવા તથા કલસાર બંધારા યોજનાની હેઠવાસના કલસાર, નૈપગામ, માલણ બંધારા યોજનાની હેઠવાસના મહુવા બંદર, કતપર, નિકોલ બંધારા યોજનાની ઉપરવાસના ગામો અને મોટી જાગધાર આર.આર. જળાશય યોજનાની હેઠવાસના નાની જાગધાર, મોટી જાગધાર ગામના લોકોને ભારે પુર વખતે સલામત સ્થળે ખસી જવા વિનંતી કરવામા આવેલ છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment