COVID-19 અંતર્ગત માહિતી ૦૮/૧૦/૨૦૨૦…..

હિન્દ ન્યૂઝ,                  નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે, ત્યારે કોરોના વાયરસની કોઈપણ ગંભીર પરિસ્થિતિને પહોચી વળવા અરવલ્લી જિલ્લાના સમગ્ર વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં કોરોના વાયરસ સમગ્ર દેશ અને દુનિયામાં ફેલાયેલ હોઈ પોઝીટીવ દર્દી ઓના સંર્પકમાં આવેલા લોકોને સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે. પોઝીટીવ કેસ જાહેર થતાં ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે COVID-19 નોધાયેલ પોઝીટીવ કેસ ના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર…

Read More

દિયોદર માર્કેટ યાર્ડ ની ચૂંટણી માં રાજકીય ગરમાવો હવે 14 બેઠક માટે 28 ઉમેદવારો એડીચોટી નું જોર લગાવશે

હિન્દ ન્યૂઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લા મા વિખવાદ માં રહેલી દિયોદર માર્કેટ યાર્ડ ની ચૂંટણી નું ચિત્ર બુધવારે સ્પષ્ટ થયું હતું. જેમાં બે ઉમેદવારો બિન હરીફ થતા અને 42 ઉમેદવારો એ પોતાના ઉમેદવારી પત્ર પરત ખેંચાતા હવે 14 બેઠકો માટે 28 ઉમેદવાર મેદાન માં ઉતર્યા છે જેને લઈ વર્તમાન સમય રાજકારણ માં ગરમાવો આવ્યો છે. દિયોદર માર્કેટ યાર્ડ ની ચૂંટણી માં હવે રસાકસી ભર્યો જંગ જામ્યો છે. સ્થાનિક ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા અને તેમનો પુત્ર વર્તમાન ચેરમેન બિન હરીફ થતા 14 બેઠકો માટે 28 ઉમેદવાર મેદાન માં ઉતર્યા છે ખેડૂત વિભાગ ની…

Read More

છોટાઉદેપુર જિલ્લામાં ટેકાના ભાવે મકાઇ, ડાંગર અને બાજરીની ખરીદી કરવામાં આવશે

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર                તા. ૦૮/૧૦/૨૦૨૦, છોટાઉદેપુર જિલ્લામાં ટેકાના ભાવે મકાઇ, ડાંગર અને બાજરીની ખરીદી કરવામાં આવશે જેને અનુલક્ષીને જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપતા જિલ્લા કલેકટર સુજલ મયાત્રાએ સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે એ માટે ટેકાના ભાવે મકાઇ, ડાંગર અને બાજરીની ખરીદી કરવામાં આવનાર હોવાનું જણાવી તેમણે છોટાઉદેપુરના વધુમાં વધુ ખેડૂતો પોતાની જણસ ટેકાના ભાવે વેચે એ પ્રકારનું આયોજન કરવા સૂચના આપી હતી. તેમણે ખરીદવામાં આવનાર જણસનો સંગ્રહ કરવા માટે પુરતા પ્રમાણમાં ગોડાઉનોની…

Read More

અરવલ્લી જિલ્લામાં D.EL.ED પરીક્ષાને લઇ પ્રતિબંધિત હૂકમ જાહેર કરાયા

હિન્દ ન્યૂઝ, અરવલ્લી, મોડાસા – અરવલ્લી જિલ્લાના વિવિધ કેન્દ્રો પર આગામી તા. ૧૨ થી.૨૦ ઓકટોબર-૨૦૨૦ના રોજ સવારના ૧૧-૦૦ કલાકથી બપોરના ૨-૦૦ કલાક દરમ્યાન રાજય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્રારા આયોજીત D EL ED ની પરીક્ષા સમય દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ સી.આર પી.સીની કલમ ૧૪૪ મુજબ ફોજદારી કાર્યરીતિ અધિનિયમન ૧૯૭૩ની કલમ-૧૪થી મળેલ સત્તાની રુએ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ અરવલ્લી, બી. ડી દાવેરા જી. એ એસ અરવલ્લી જિલ્લાના વિવિધ કેન્દ્રો પર અગામી તા.૧૨/૧૦/૨૦ થી તા.૨૦/૧૦/૨૦૨૦ ના રોજ સવારના ૧૧-૦૦ કલાકથી બપોરના ૨ -૦૦ કલાક દરમ્યાન રાજય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્રારા…

Read More

ડભોઇ વેગા ચોકડી નજીક ઓવરબ્રિજ ઉપર ફાયરફાઈટર અને ડિઝલ ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો

હિન્દ ન્યૂઝ, ડભોઇ, ડભોઈ વેગા ચોકડી પાસે આવેલ નવા બનેલ રેલવે ઓવરબ્રિજ ઉપર વડોદરા મહાનગર પાલિકાના ફાયર ફાઈટર અને ડીઝલ ભરેલ ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં ટેન્કરમાંથી ડીઝલના ફુવારા ઉડવા લાગ્યા હતા અને ઓવરબ્રિજ પરથી નદી વહેતી હોય એ રીતે ડીઝલ રસ્તા ઉપર વહેતું થયું હતું. મળતી માહિતી મુજબ ડભોઇ પાસે આવેલ શાહ એન્જિનિયરિંગ કંપનીમાં રીપેરીંગ કામ કરાવવા માટે મહાનગર પાલિકાનું ફાયર ફાઈટર નંબર GQB-4849 આવ્યું હોય, ડ્રાઈવર કંપનીમાં જવાનો રસ્તો ભૂલો પડી જતા ઓવરબ્રિજ ઉપર આગળ વધી ગયો હતો અને વળતો પાછા બ્રિજ ઊતરી રહ્યા હતા ત્યારે સામેની બાજુથી…

Read More

અરવલ્લીના મોડાસા તાલુકાના સરડોઇ ખાતે ડિઝીટલ સેવા સેતુનો શુભારંભ

હિન્દ ન્યૂઝ, મોડાસા, રાજ્યના છેવાડાના અંતરિયાળ ગામોમાં વસતા માનવી, ગરીબ, વંચિત લોકોને વધુ સુવિધાસભર જીવન આપવા ‘જ્યાં માનવી ત્યાં સુવિધા’ નો મંત્ર સાકાર કરવાનો અનોખો સેવાયજ્ઞ ગ્રામીણ વિસ્તારોમાં ડિઝીટલ યુગના ક્રાંતિકારી મંડાણથી શરૂ કર્યો છે. તેના ભાગ રૂપે અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના સરડોઇની એ.એમ.શાહ હાઇસ્કુલ ખાતેથી બિન અનામત વર્ગ આયોગના ઉપાધ્યાક્ષ રશ્મીભાઇ પંડયાના અધ્યક્ષસ્થાને ડિઝીટલ સેવાસેતુનો પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે ચેરમેનશ્રીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ હતું કે રાજ્યના દૂર-દરાજના ગ્રામીણ વિસ્તારોમાં સરકારના વિવિધ વિભાગોની જનહિતલક્ષી સેવાઓ ગ્રામ્ય સ્તરેથી ગ્રામ પંચાયતમાં જ મળી રહે તે માટે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ડિઝીટલ સેવા…

Read More

વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન ના પી એસ ઈ. ઝાલા તેમજ વિરમગામ રૂરલ પોલીસની પ્રશંસનીય કામગીરી

હિન્દ ન્યૂઝ, વિરમગામ એડી.જી.પી ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા પોલીસ મહાનિરીક્ષક કે.સી ભાટી અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અમદાવાદ ગ્રામ્ય અમદાવાદ તથા મદદનીશ પોલીસ અધિક્ષક ડો . લવીના સિન્હા વિરમગામ વિભાગ વિરમગામ નાઓ ના માર્ગદર્શન અનુસાર જીલ્લા માં પ્રોહીબીશન અંગે ની પ્રવૃતિઓ નેસ્તનાબૂદ કરવા પો.સબ. ઈન્સ એમ.એચ ઝાલા નાઓને સુચન કરેલ છે. સુચન અનુસંધાને વિરમગામ રૂરલ પો. સ્ટે વિસ્તારમાં પ્રોહી. વોચ માં હતા દરમિયાન એમ.એચ.ઝાલા પો.સબ. ઈન્સ વિરમગામ ના ઓને ખાનગી રાહે બાતમી મળેલ કે એક ટાટા કંપની નું સફેદ કલર નું એલપીજી ટેન્કર વાહન નંબર Rj 31 Ha…

Read More

છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા જિ.પ્રા.શિક્ષક સંઘના પ્રમૂખ રમણભાઈ રાઠવાની અધ્યક્ષતામાં યોજાઈ

  હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની આગામી ટૂંક સમયમાં ટર્મ પૂરી થતી હોવાથી રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્ય પ્રતિનિધિઓ તથા સમગ્ર જિલ્લામાંથી એક રાજ્ય પદ માટે સભ્યોના નામોની લોકશાહી ઢબે પ્રક્રિયા કરી, યાદી મંગાવેલ જે અન્વયે તારીખ 6 ઓકટોબર ના રોજ છોટા ઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમૂખ રમણભાઈ રાઠવા ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી. જેમાં છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકા ઘટક સંઘો દ્વારા રાજ્ય પ્રતિનિધિઓનાં જિલ્લા કક્ષાએ મોકલેલા 12 નામો પૈકીના એક સભ્યની વરણી કરવાની હોય, લોકશાહી ઢબે…

Read More

દાહોદ જિલ્લાના‌ ભથવાડા ટોલ પ્લાઝા પર પિપલોદ ગાડી ના ચાલકો જોડે મહિનાનો લોકલ પાસ રીન્યુ કરવા માટે પૈસા લઈને પાવતી આપતા નથી

હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લાના ભથવાડા ગામમાં ટોલ પ્લાઝા આવેલું છે. જેમાં દરરોજ ની હજારો ની સંખ્યા માં ગાડીઓ પસાર થાય છે. જેમાં ભથવાડા ટોલ પ્લાઝા થી થોડીક દોરી પર પિપલોદ ગામ આવેલું છે. જે પીપલોદ ગામના ‌ગાડીઓના માલિકો જે વ્યાપારીઓ દરરોજ અપડાઉન કરતા હોય છે. જેના જોડે ગાડી પસાર કરવા માટે પૈસાની માંગણી કરે છે કે પૈસા આપો નહીં તો મહિનાનો લોકલ પાસ કરવાની માંગણી કરે છે ને કહે છે કે તમે પાસ કરવો નહીં તો અહીં તમને પૈસા ભરવા પડશે. પિપલોદ ગામ ના ગાડી માલિકો ને વધારે હેરાન…

Read More

દાહોદમાં ૧,૦૮,૭૨૫ લોકોના કોરોના ટેસ્ટમાં માત્ર બે ટકા લોકો જ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું જણાવતા કલેક્ટર વિજય ખરાડી

હિન્દ ન્યૂઝ, દાહોદ, તા. ૭ : દાહોદ જિલ્લામાં ગત અઠવાડિયા દરમિયાન કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરતા કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં કુલ ૧,૦૮,૭૨૫ જેટલા કોવીડ ટેસ્ટ માટે નમૂના લેવામાં આવ્યા છે. જેમાંથી ૧,૦૬,૮૦૫ ટેસ્ટનું પરિણામ નેગેટીવ આવ્યું છે. એટલે કે ૯૮ ટકા લોકોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. જે જિલ્લા માટે ખૂબ સકારાત્મક બાબત છે. તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં કુલ ૧૬૩૫ લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી ૧૪૯૩ લોકો સ્વસ્થ થઇને દવાખાનેથી રજા મેળવી ચૂકયા છે. જિલ્લામાં હાલના તબક્કે એક્ટીવ કેસોની સંખ્યા ૭૧ છે. ગઇ કાલે પાંચ…

Read More