ગઢડા તાલુકાના ઢસા જં માં આજરોજ હોમિયોપેથીક દવા નું વિનામૂલ્યે વિતરણ

ઢસા, ગઢડા   ઢસા જં માં આવેલ રામજી મંદિર પાસે આવેલ ધર્મ શાળા શોપિંગ માં આવેલ હરિકૃષ્ણ ક્લિનિક દવાખાનામાં કોવીડ 19 અંતર્ગત કોરોનવાઈરસ, સ્વાઇનફલુ જેવી બીમારી ઓ સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ, તાકત વધારવા તેમજ તેની સામે રક્ષણ આપી રહે તે માટે હોમિયોપેથીક દવા નું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. આ કામગીરી હરિકૃષ્ણ ક્લિનિક ના ડો. મહીપત ભાઈ ખેર તેમજ ઢસા જં ના સરપંચ ભરતભાઈ કટારીયા, હરેનભાઈ મથુરિયા, તુષાર ભાઈ કટારીયા તેમજ નવયુવાનો ની ટીમ આ કામગીરી માં જોડાયેલ હતા. ઢસા તેમજ આજુબાજુ ના ગ્રામજનો એ દવાનો લાભ લીધો…

Read More

રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાં ‘અનલોક-૨’માં પણ દવાબાર, કેશબારીમાં કાગડા ઉડતા જોવા મળે છે

રાજકોટ,   રાજકોટ શહેર તા.૧૧.૭.૨૦૨૦ ના રોજ સૌરાષ્ટ્રની પાટનગર ગણાતી રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાં ‘અનલોક-૨’ માં પણ દવાબાર, કેશબારીમાં કાગડા ઉડતા જોવા મળે છે. ચોમાસાના ઋતુજન્ય રોગચાળામાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બિલ્ડીંગ દર્દીઓ, કેશબારીમાં કેસ કઢાવવા લાઇનો લાગતી હતી. દરરોજ ૩૫૦૦ થી ૪૦૦૦ દર્દીઓનું ચેકઅપ કરવામાં આવતુ હતું. પરંતુ હાલ કોરોના વાઇસનુ સંક્રમણ થશે તેવા ડરથી માત્ર ૧૦૦૦ થી ૧૫૦૦ દર્દીઓ જ ઓપીડીમાં જોવા મળે છે. સૌરાષ્ટ્રમાંથી બહારગામ અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા દર્દીઓએ સિવિલમાં આવવાનુ ટાળ્યુ છે. પ્રાથમિક સારવાર આરોગ્ય કેન્દ્રમાં મેળવવાનું શરૂ કર્યુ છે. સૌરાષ્ટ્રમાં વઘતા જતા કોરોનાના કેસો…

Read More