વંથલી જૂનાગઢ હાઇવે પર ડમ્પર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત

વંથલી જૂનાગઢ હાઇવે પર કોયલી પાટિયા આગળ અકસ્માત ડમ્પર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત ડમ્પર ચાલક ની બેદરકારી ના કારણે બન્યો અકસ્માત અકસ્માત માં બાઇક ચાલક નું ઘટના સ્થળ પર જ મોત ઘટના સ્થળ પર ટ્રાફિક ના દ્રશ્યો પોલીસ ઘટના સ્થળ પર કાર્યવાહી હાથ ધરી રિપોર્ટ : જગદીશ યાદવ, જૂનાગઢ

Read More

રાજકોટ શહેર નીલ સીટી કલબનાં માલિક અને પૂર્વ ધારાસભ્ય તથા તેના મેનેજર સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો

રાજકોટ, રાજકોટ શહેર તા.૮.૬.૨૦૨૦ ના રોજ ગુજરાત કોંગ્રેસનાં બંને સિંહોએ તેમના ધારાસભ્યોને વિવિધ રીસોર્ટમાં મોકલયા છે. તેમાં પણ સૌરાષ્ટ્ર ઝોનની વાત કરવામાં આવે તો ૧૯ જેટલા ધારાસભ્યો હાલ નીલ સીટી કલબ રીસોર્ટમાં રોકાયા હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં લલિત વસોયા, હાર્દિક પટેલ, જાવેદ પીરઝાદા, અર્જુન મોઢવાડીયા સહિતનાં અનેક કોંગી ધારાસભ્યો રીસોર્ટમાં રોકાયા છે. બીજી તરફ જાહેરનામાનો ભંગ કરતા નીલ સીટી કલબનાં માલિક અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુ તથા તેના મેનેજર સમર્થ મહેતા સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લોકડાઉનની સ્થિતિ વચ્ચે હોટલ, રિસોર્ટ કોઈપણ રીતે કાર્યરત રહી…

Read More

કેશોદ વાસીઓ એ પોતાના આરાધ્ય ઈષ્ટદેવ નાં મન ભરીને દર્શન કરી ભાવવિભોર બન્યા…

કેશોદ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે લાગું કરવામાં આવેલ ગાઈડ લાઈન માં લાંબા સમયથી બંધ હાલતમાં રહેલાં ધાર્મિક સ્થળો વિવિધ સુચનાઓ સાથે ખુલ્લાં રાખવાં મંજુરી આપી છે ત્યારે કેશોદ શહેરમાં આજે સવારથી જ ભાવિકો ભક્તો પોતાનાં આરાધ્ય દેવ ઈષ્ટ દેવ નાં દર્શન કરવા પહોંચી ગયાં હતાં. કેશોદ શહેરમાં આવેલાં પ્રસિદ્ધ શિવાલયો શ્રી નિલકંઠ મહાદેવ મંદિર, શ્રી કુંતનાથ મહાદેવ મંદિર, શ્રી રણછોડરાય મંદિર, અને ઠાકોરજી ની હવેલી ખાતે ભક્તો સવારે ઉઠીને નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ સીધાં દર્શન નો લાભ લેવા પહોંચી ગયા હતાં. કેશોદ શહેરમાં…

Read More

ગીર સોમનાથ, વેરાવળ ખાતે આવેલ પ્રાચીન મંદિર જે આજે કોરાની વૈશ્વિક મહામારી ને કારણે બંધ રાખેલ હતું , તે આજે શ્રી સોમનાથ મંદિર (વેરાવળ) દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યૂ છે. ગૃહ મંત્રાલય જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી સોમનાથ ટ્રસ્ટ ના કહ્યા નિયમ મૂજબ  દર્શનાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને મોઢા પર માસ્ક અવશ્ય પેહરવું સાથે  સેનેટરાઈસ નું પાલન પણ કરવાનૂ રહેશે એવા સૂચન સાથે મંદિર નું ગર્ભદ્વાર ખોલવામાં આવ્યું. રિપોર્ટર : સઈદ :મહિડા, ગીર સોમનાથ

Read More

રાજકોટ શહેરના પોલીસ અધિકારીઓએ કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમની મુલાકાત લીધી

રાજકોટ, રાજકોટ શહેર તા.૮.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા J.C.P ખુર્શીદ અહેમદ તેમજ D.C.P પ્રવીણ કુમારની સુચના મુજબ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમની મુલાકાત લીધી હતી. પોલીસ કમિશનરે અંબા ની મુલાકાત લેવા તથા એની સારસંભાળ લેવા માટે સૂચનાઓ આપેલ છે. અને ઘણા સમય હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલ હતી. અને હાલમાં તે બાલાશ્રમમાં છે. જ્યાં A.C.P પૂર્વ રાઠોડ તથા P.I વી.કે.ગઢવી એ આ દીકરીની મુલાકાત લીધેલ છે. સંસ્થાના ટ્રસ્ટી હરેશભાઈ વોરા સુપરિન્ટેન્ડન્ટ પલ્લવીબેન જોષી કથા બાલાશ્રમનો સ્ટાફ અંબાની દેખરેખ ખૂબ જ સારી રીતે કરી…

Read More

રાજકોટના કુવાડવા-બેટી રામપરમાં ખનિજ ચોરી અને દારૂનું કટીંગ કરતા શખ્સોએ પ્રૌઢ પર કર્યો ખૂની હુમલો

રાજકોટ, રાજકોટ શહેર તા.૮.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કુવાડવા-બેટી રામપર ગામે રહેતા જીવાભાઇ સિંધાભાઇ સુસરા નામના ૫૫ વર્ષના ભરવાડ પ્રૌઢ ગઇકાલે સવારે કુવાડવા G.I.D.C માં દુધ આપવા ગયા હતા. ત્યારે તેના જ ગામના વિજય અરજણ મકવાણા, સાગર ડવ અને તેની સાથેના બે અજાણ્યા શખ્સોએ કાર ભટકાડી તલવાર, ધારિયા, પાઇપ અને ધોકાથી ખૂની હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. જીવાભાઇ સુસરા મુળ કુચીયાદળના વતની છે. અને તેઓ છેલ્લા ૬૦ વર્ષની બેટી રામપર ગામે પોતાના વાડામાં ઢોર રાખી દુધનો વ્યવસાય કરે છે. તેઓના કબ્જામાં રહેલો વાળો વિજય મકવાણાને પડાવી લેવો હોવાથી છેલ્લા…

Read More

રાજકોટના કોટડાસાંગાણીના પાંચ તલાવડામાં રૂ.૧.૬૫ લાખનો દારૂ-બિયર પકડાયો

રાજકોટ, રાજકોટ શહેર તા.૮.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ કોટડાસાંગાણી તાલુકાના પાંચ તલાવડા ગામે રહેતા પ્રદ્યુમનસિંહ મનોહરસિંહ જાડેજાની વાડીમાં વિદેશી દારૂ છુપાવ્યાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી દારૂ અંગે દરોડો પાડયો હતો. વાડીમાંથી રૂા.૧.૬૫ લાખની કિંમતની ૯૪૩ બોટલ વિદેશી દારૂ અને ૪૪૪ બિયરના ટીન મળી આવતા વાડી માલિકની શોધખોળ હાથધરી છે. લોધિકા તાલુકાના હરીપર પાળ ગામના સરકારી ખરાબામાં વિદેશી દારૂનું કટીંગ ચાલી રહ્યાની બાતમીના આધારે લોધિકા P.S.I એચ.એમ.ધાધલ સહિતના સ્ટાફે દરોડો પાડી રૂા.૧ લાખની કિંમતની ૨૦૨ બોટલ વિદેશી દારૂ સાથે પાળ ગામના નરેશ રામા બગડા, યોગેશ ખીમજી…

Read More

રાજકોટ શહેરમાં આજથી હોટેલ, રેસ્ટોરન્ટ અને મોલ ફરી ધમધમશે. મોલમાં મર્યાદિત પ્રવેશ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે

રાજકોટ, રાજકોટ શહેર તા.૮.૬.૨૦૨૦ ના રોજ રંગીલા રાજકોટના મોલ, રેસ્ટોરન્ટ લોકોની કિલકારીઓ જોવા મળશે. પરંતુ લોકો સરકારના નિયમોનું પાલન કરવાનું રહેશે. સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે મોલમાં મર્યાદિત લોકોને જ પ્રવેશ આપવામાં આવશે અને હોટેલ અને રેસ્ટોરન્ટમાં જમવાના બે ટેબલ વચ્ચે ૬ ફૂટનું અંતર રાખવામાં આવશે. કોરોના પછી હોટેલમાં ચેકઈન માટે ફોર્મ ભરવાથી લઈને ડોક્યુમેન્ટ સબમિટ કરવાની બધી જ કામગીરી ઓનલાઈન થશે. ઓળખ પ્રૂફ તરીકે આપવાના થતા ડોક્યુમેન્ટ વોટ્સએપ કે મેલમાં આપવાના રહેશે. બને ત્યાં સુધી પેમેન્ટ ઓનલાઈન કરવાનો આગ્રહ રાખવામાં આવશે. તેમજ જ મોલમાં ૧૦૧ જ લોકોને પ્રવેશ…

Read More

રાજકોટના આજીડેમ ચોકડી પાસે મોટી દુર્ઘટના, વરસાદી માહોલ વચ્ચે ઓવરબ્રિજની દીવાલ ધરાશાયી થતાં 2 લોકોના મોત..

રાજકોટ, રાજકોટના આજી ડેમ ચોકડી પાસે આવેલા ઓવલા ઓવર બ્રીજની એક તરફની દિવાલ ધરાશાયી થઈ છે. જ્યારે દિવાલ ધરાશાયી થતાં બે લોકોના મોત થયા છે. અને ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો છે. અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ફાયરની ટીમ દ્વારા બે ડેડબોડી બહાર કાઢવામાં આવી છે. અને બંને લાશ સિવિલ ખાતે ખસેડવામાં આવી છે. રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર આજી ડેમ ચોકડી પાસે આવેલા ઓવરબ્રિજની સપોર્ટ દિવાલ ધરાશાયી થયું છે. ફાયરના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બે લાશ બહાર કાઢવામાં આવી છે. હાલ,…

Read More

ઢસા જં. ડેપો માં કાયમી ધોરણે મહિલા મુસાફરો માટે શૌચાલય બંધ હાલત

ઢસા ,    ગઢડા ઢસા જં.  માં આવેલ S.T. ડેપો માં મહિલા મુસાફર માટે શૌચાલય બનાવેલ છે પરંતુ તે ઘણા સમય થી બંધ હાલત માં જ જોવા મળે છે, તો ગ્રામજનો નું G. S. R. T. C વિભાગ અધિકારી પાસે લોકમાંગણી એવી કરેલ છે કે તાત્કાલિક ધોરણે મુસાફરી કરનાર મહિલાઓ માટે બનાવેલ શૌચાલય ખોલવામાં આવે એવી નમ્ર અપીલ કરવામાં આવેલ છે. રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા 

Read More