રાજકોટ શહેરના પોલીસ અધિકારીઓએ કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમની મુલાકાત લીધી

રાજકોટ,

રાજકોટ શહેર તા.૮.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા J.C.P ખુર્શીદ અહેમદ તેમજ D.C.P પ્રવીણ કુમારની સુચના મુજબ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમની મુલાકાત લીધી હતી. પોલીસ કમિશનરે અંબા ની મુલાકાત લેવા તથા એની સારસંભાળ લેવા માટે સૂચનાઓ આપેલ છે. અને ઘણા સમય હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલ હતી. અને હાલમાં તે બાલાશ્રમમાં છે. જ્યાં A.C.P પૂર્વ રાઠોડ તથા P.I વી.કે.ગઢવી એ આ દીકરીની મુલાકાત લીધેલ છે. સંસ્થાના ટ્રસ્ટી હરેશભાઈ વોરા સુપરિન્ટેન્ડન્ટ પલ્લવીબેન જોષી કથા બાલાશ્રમનો સ્ટાફ અંબાની દેખરેખ ખૂબ જ સારી રીતે કરી રહેલ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment