રાજકોટ,
રાજકોટ શહેર તા.૮.૬.૨૦૨૦ ના રોજ રંગીલા રાજકોટના મોલ, રેસ્ટોરન્ટ લોકોની કિલકારીઓ જોવા મળશે. પરંતુ લોકો સરકારના નિયમોનું પાલન કરવાનું રહેશે. સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે મોલમાં મર્યાદિત લોકોને જ પ્રવેશ આપવામાં આવશે અને હોટેલ અને રેસ્ટોરન્ટમાં જમવાના બે ટેબલ વચ્ચે ૬ ફૂટનું અંતર રાખવામાં આવશે. કોરોના પછી હોટેલમાં ચેકઈન માટે ફોર્મ ભરવાથી લઈને ડોક્યુમેન્ટ સબમિટ કરવાની બધી જ કામગીરી ઓનલાઈન થશે. ઓળખ પ્રૂફ તરીકે આપવાના થતા ડોક્યુમેન્ટ વોટ્સએપ કે મેલમાં આપવાના રહેશે. બને ત્યાં સુધી પેમેન્ટ ઓનલાઈન કરવાનો આગ્રહ રાખવામાં આવશે. તેમજ જ મોલમાં ૧૦૧ જ લોકોને પ્રવેશ અપાશે. ૨૫ મિનિટમાં ખરીદી કરીને બહાર નીકળી જાય તેવો નિયમ નક્કી કર્યો છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ