રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી બજરંગવાડી વિસ્તારમાં લોકડાઉનની કડક અમલવારી કરાવવા માટે સમગ્ર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૮.૪.૨૦૨૦ ના રોજ પોલીસ કમિશનર સાહેબ ની સૂચનાથી આજરોજ ડિ.સી.પી. ઝોન.૨ મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં એ.સી.પી. પી.કે.દિયોરા તથા ગાંધીગ્રામ પી.આઇ. કે.એ.વાળા તથા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી બજરંગવાડી વિસ્તારમાં લોકડાઉનની કડક અમલવારી કરાવવા માટે સમગ્ર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. તેમજ વિસ્તાર બહારથી આવેલા કોઈ લોકોને આશરો ન આપવાં સમજ કરવામાં આવી છે. તેમજ વિસ્તારના લોકો સાથે મુલાકાત કરી કોરોના વાયરસ સામેની આ લડાઇમાં પોલીસ તંત્રને સહયોગ આપવા જણાવવામાં આવ્યું છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર પોપટપરા વિસ્તારમાં આવેલ મિયાણા વાસમાં પોલીસ સાથે બોલાચાલી કરનાર તત્વોને પાઠ ભણાવાયો

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૮.૪.૨૦૨૦ ના પોપટપરા વિસ્તારમાં આવેલ મિયાણા વાસમાં ગઈકાલે લોકડાઉન દરમિયાન કેટલાક તોફાની તત્વોએ બંદોબસ્તમાં રહેલ પોલીસ સાથે બોલાચાલી કરવાને પગલે ગરમાયેલ મામલા બાદ પોલીસે આજે ઘટનાસ્થળે લઈ જઈને આરોપીને પાઠ ભણાવ્યા હતા. મળી રહેલા અહેવાલો મુજબ, પ્રદ્યુમનનગર પોલીસે ગઈકાલે પોલીસના કાર્યમાં વિક્ષેપ નાખનાર આરોપીઓને ઝડપી લીધા બાદ આજે સોશિયલ ડિસ્ટન્સ સાથે આરોપીઓ પાસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. અને આરોપીઓને પાઠ ભણાવ્યો હતો. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

અમદાવાદ ની એલ જે કોલેજ ના છાત્રો ની અનોખી ઓન લાઇન સેવા “રાષ્ટ્ર સેવા પરમોધર્મ”

અમદાવાદ, અમદાવાદ ની એલ.જે કોલેજ ના એમ.સી.એ ના વિદ્યાર્થીઓ દ્વારા સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થાઓ અને સેવાકીય પ્રવૃતિઓ કરવા માંગતા લોકો વચ્ચે સફળ સંપર્ક સાધવા ‘we care’ નામની વેબસાઇટ બનાવવામા આવી. we Care ના વિચારનો અમલ લોકડાઉન ના સમય માં સામાજિક સેવાકીય સંસ્થાઓ અને કેટલાક મદદગાર લોકો કે જે લોકડાઉન ના લીધે બહાર નીકળીને મદદ નથી કરી શકતા તેવા લોકોની મદદ માટે કરવામાં આવ્યો છે.આ કામનો મુખ્ય ઉદ્દેશ સેવાકીય સંસ્થાઓ અને સેવાકીય લોકો વચ્ચે સફળ સંપર્ક કરાવવાનો છે. આ જ અભિયાન અંતર્ગત અમે http://wecare.karbh.com નામથી વેબસાઈટ બનાવેલી છે. જેના માધ્યમથી લોકો…

Read More

પાલનપુર તાલુકાના વાધણા ગ્રામ પંચાયત દ્વારા ગામમાં સેનેટાઇઝ દવાનો છંટકાવ કરવાની કામગીરી કરવામાં આવી

પાલનપુર, સમગ્ર દેશ અપાલનપુરને રાજ્ય કારોના વાયરસ સામે ઝઝૂમી રહેલ છે. અને વાયરસના કારણે હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે. કોરોના વાયરસ વધારે ન ફેલાય તે હેતુસર સાવચેતીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના પાલપુર તાલુકાના વાધણા ગ્રામ પંચાયત દ્વારા જનતાની સુખાકારી માટે તેમજ આરોગ્ય જોખમાય નહીં તે માટે આજે સમગ્ર ગામમાં જાહેર સ્થળો પર અને તમામ શેરીઓ મોહલ્લામાં દવા સેનેટાઈ છંટકાવ કરી આખા ગામમાં સેનેટાઇઝેશન કરવા માં આવ્યું. જેમાં ગામ લોકોની માંગ હોવાથી કામગીરી પૂરી કરવામાં આવી હતી આ કામગીરીમાં ગ્રામ પંચાયતના સરપંચ હેતિબેન બી.પાંતરોડ, અને માજી.સરપંચ શામળભાઇ બી.પાંતરોડ, ડે.સ. મધુબેન બી.વાઘણીયા…

Read More

કપરાડા તાલુકામા આદિમજુથના પરિવાર અને વિધવા મહિલાઓને અનાજ કીટનુ વિતરણ કરાવામા આવ્યું.

    વલસાડ,                   વલસાડ જિલ્લાના આરોગ્ય ચેરમેન અને કપરાડા ભાજપ પ્રમુખ ગુલાબભાઈ રાઉત દ્વારા દાબખલ, ચાવશાલા, વાવર, આબાજંગલ, લવકર અને વરવઠ ગામે અનાજની કીટનુ વિતરણ કરાયું  કપરાડા તાલુકાના દાબખલ, ચાવશાલા, વાવર,આબાજંગલ, લવકર અને વરવઠ ગામે 250 અનાજની કીટનુ વિતરણ વલસાડ જિલ્લા આરોગ્ય ચેરમેન અને કપરાડા ભાજપ પ્રમુખ ગુલાબભાઈ રાઉત તેમજ વલસાડ ડોકટર એસોશીએશન દ્વારા અનાજની કીટનુ વિતરણ કરવામાં આવેલ છે કપરાડા તાલુકાના અનેક ગામોમાં જયા આદિમજુથના પરિવાર કે જેઓ જમીનવિહોણા છૈ જેમને રોજ કામ કરી પેટીયું ભરે છે એવા પરિવાર અને વિધવા મહિલાઓને…

Read More

રાજ્ય સરકાર દ્વારા ગરીબ લોકો માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો

રાજકોટ, ૧૮/૪/૨૦૨૦ જ્યારે ગુજરાતમાં કોરોના ની મહામારી ચાલી રહી છે. ત્યારે ગુજરાત સરકારે ગરીબ લોકો માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સીએમઓના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા રાજ્યમાં નેશનલ ફૂડ સિક્યુરિટી બિલ અંતર્ગત 66 લાખ પરીવારોને સોમવારથી તેમના એકાઉન્ટમાં 1000 રૂપિયા જમા કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે તેમણે જણાવ્યું હતું કે, એપ્રિલ મહિના માટે વધુ એક હજાર રુપીયાની સહાય પણ રાજ્ય સરકાર આપશે. જ્યારે આ સહાયની રકમ તમામ લાભાર્થી કુટુંબનાં બેંક અકાઉન્ટમા જમા કરવામાં…

Read More

લોકડાઉનમાં અંબાજી ભાજપ ના કાર્યકરોની પ્રસંસનીય કામગીરી અંબાજીમાં 60 હજાર ફૂડ પેકેટ્સ નું કર્યું વિતરણ

અંબાજી,  યાત્રાધામ અંબાજી માં અંબાના ધામ તરીકે ઓળખાય છે. હાલમાં કોરોના ની વૈસ્વિક મહામારીને લઈ ને સમગ્ર ભારત માં લોકડાઉન ચાલી રહ્યું છે જેને પગલે લોકોની પરિસ્થિતિ દુસ્કર બની છે. આવી પરિસ્થિતિમાં અંબાજી મન્દીર ટ્રસ્ટ દ્વારા અંબાજીના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ભોજન બનાવી રહ્યું છે પરંતુ ભોજન બનાવ્યા બાદ તેની વિતરણ વ્યવસ્થા કેવી રીતે કરવી અને આટલા બધા લોકો સેવાકાર્ય માટે ક્યાંથી લાવવા એ એક મોટો પ્રશ્ન હતો. આ પરિસ્થિતિ માં અંબાજી ભાજપ ના કાર્યકરો સામે આવ્યા અને ઘરે ઘરે ભોજન પહોંચાડવા માટેનું બીડું ઝડપ્યું. અંબાજી ભાજપની 43 કાર્યકરોની…

Read More

ધરારનગર -2 માં હુસેની ચોક ની નજીક હોમગાર્ડ ના કર્મચારી અતિરેક ના કારણે વિધવા માં નો એક ને એક દીકરો 27 વર્ષ નો યુવાન અકસ્માત ટ્રેન ની નીચે કપાઈ જતા મૃત્યુ

ધરારનગર -2 માં હુસેની ચોક ની નજીક હોમગાર્ડ ના કર્મચારી અતિરેક ના કારણે વિધવા માં નો એક ને એક દીકરો 27 વર્ષ નો યુવાન અકસ્માત ટ્રેન ની નીચે કપાઈ જતા મૃત્યુ થયેલ છે. હકીકત સ્થાનિકે બે હોમગાર્ડ ના કર્મચારી ઓ એ તેવો ની ફરજ ના મજદૂર યુવાન ને માર મારતા આ બનાવ બનેલ છે. આ બને જવાબદાર હોમગાર્ડ વારા સામે ગુન્હાહિત કૃત્ય સબબ મનુષ્ય વધ અર્ગે ગુનો દાખલ કરવો જોઈ એ તેમને ડિસમિસ કરવા કાર્યવાહી કરવી જોઈએ. હોમગાર્ડ વારા ને એવો કોઈ પાવર કે સતા નથી કે જે શેરી જનોને…

Read More

રાજકોટ શહેર આજથી કોઈ હોમ ક્વૉરન્ટીનનો ભંગ નહીં કરી શકે, ઓનલાઈન હાજરી ફરજીયાત

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૮.૪.૨૦૨૦ ના રોજ દિવસે અને દિવસે રાજકોટના જંગલેશ્વર વિસ્તારની અંદર વધુમાં વધુ કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે છેલ્લા ૩૦ કલાકમાં માત્ર જંગલેશ્વર વિસ્તારની અંદર પોઝિટિવ કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. ત્યારે જંગલેશ્વર વિસ્તારમાં ગઈકાલે એક દંપતી ક્લસ્ટર કવોરનટાઇન તોડીને શહેરની બહાર નીકળી ગયા હતા. જોકે પોલીસને જાણ થતાં જ તાત્કાલિક અસરથી પોલીસે દંપતીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. રાજકોટ પોલીસ દ્વારા તાજેતરમાં જ સેફ રાજકોટ નામની એપ્લીકેશન બનાવવામાં આવી છે. આ એપ્લિકેશનનો ઉપયોગ રાજકોટ પોલીસ દ્વારા છેલ્લા એક મહિનાથી કરવામાં આવી રહ્યો…

Read More

ભારત સરકાર તરફથી ૨૪.૦૦૦ કોવિડ-૧૯ રેપિડ ટેસ્ટિંગ કીટનો જથ્થો ગુજરાત પહોંચ્યો

  ભારત સરકાર તરફથી ગુજરાતને ૨૪.૦૦૦ કોવિડ-૧૯ રેપિડ ટેસ્ટિંગ કીટનો પ્રથમ જથ્થો આજે મળી ચૂક્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની ગાઈડલાઈન મુજબ કન્ટેઈનમેન્ટ ઝોન, હાઈ-રિસ્ક ઝોન અને અન્ય વિસ્તારોમાં ઝડપથી અને મોટા પાયે કોરોના સ્ક્રીનિંગ કરવામાં ખૂબ ઉપયોગી નીવડશે. રેપિડ ટેસ્ટીંગ કીટનો અન્ય જથ્થો ગુજરાત સરકારને આગામી ૨-૩ દિવસમાં પ્રાપ્ત થશે. આ રેપિડ ટેસ્ટીંગ કીટ દ્વારા પરિક્ષણમાં જે દર્દીઓ કોરોના પોઝિટીવ જણાય તેમનું ફરીવાર રેગ્યુલર R.T.P.C.R. ટેસ્ટ દ્વારા પણ પરિક્ષણ કરવામાં આવશે. આ કીટને કારણે ખૂબ ઝડપથી મોટી સંખ્યામાં કોરોના સંભવિત લોકોનું પરિક્ષણ કરી શકાશે. જે આ મહામારી પર…

Read More