હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરની શ્રીમતી વી. પી. કાપડિયા મહિલા આર્ટસ કોલેજ ખાતે N.S.S. વિભાગ દ્વારા “માનસિક સ્વાસ્થ્ય” વિષય પર મહત્વપૂર્ણ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રીમતી વી. પી. કાપડિયા મહિલા આર્ટસ કૉલેજના મનોવિજ્ઞાન વિભાગના ડૉ. ભરતભાઈ ભટ્ટે માનસિક આરોગ્ય, મનોવૈજ્ઞાનિક અભિગમથી આત્મહત્યાના મૂળ કારણો, પરિણામો અને સંભવિત નિવારણ અંગે વિદ્યાર્થીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે આજના યુગમાં વૈજ્ઞાનિક પ્રગતિ અને આધુનિકતાની સાથે માનસિક તાણ અને નકારાત્મક અભિગમ વધી રહ્યો છે હોવાનું જણાવી કહ્યું કે, આવા સમયમાં વિદ્યાર્થીઓને ભાવાત્મક નિયમન કેવી રીતે કરવું તે…
Read MoreMonth: September 2025
ભાવનગર એસ.ટી.માં ઓગસ્ટ-૦૨૫માં ઓનલાઈન રીઝર્વેશનથી ૧૮ હજારથી વધુ સીટ મુસાફરોએ બુક કરાવી : રૂ.૭૬.૩૩ લાખથી વધુની આવક પ્રાપ્ત
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર વિભાગ દ્વારા ગત વર્ષ ઓગસ્ટ – ૨૦૨૪ ની સરખામણી એ ઓગસ્ટ-૨૦૨૫માં ૧૮,૩૫૨ સીટોનું પેસેન્જરોએ ઓનલાઈન રીઝર્વેશન કરાવતા આશરે રૂ. ૭૬,૩૩,૦૦૦/-થી વધુની આવક પ્રાપ્ત થઇ છે. ભાવનગર એસ.ટી. વિભાગીય નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે કે,ગત ઓગસ્ટની સરખામણીએ ઓગસ્ટ-૨૦૨૫માં ભાવનગર વિભાગ દ્વારા ૦૩,૦૬,૦૦૦/- કિ.મી.નું સંચાલન કરવામાં આવ્યું છે. સંચાલનના માધ્યમથી રૂ.૦૨,૦૩,૯૦,૦૦૦/- ની આવક પ્રાપ્ત થઇ છે.આમ પ્રતિ કિ.મી આવકમાં રૂ.૨.૫૫નો વધારો થવા પામેલ છે. ચાલુ વર્ષે આોગસ્ટ-૦૨૫ દરમિયાન ભાવનગર વિભાગને ૧૫ નવા વાહનોની પ્રાપ્ત થયેલ છે અને આવતા દિવસોમાં વિભાગને નવા વાહનોની ફાળવણી થશે જેથી જાહેર જનતાની…
Read Moreભાવનગરમાં SGFI રાજ્યકક્ષાની અં-૧૪ અને ૧૭ ભાઈઓની બેઝબોલ સ્પર્ધા સરદાર પટેલ રમત સંકૂલ ખાતે તા.૨૧ થી ૨૪ સપ્ટેમ્બર દરમ્યાન યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત SGFI રાજ્યકક્ષાની અં-૧૪ અને અં-૧૭ ભાઈઓની બેઝબોલ સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ રમત સંકૂલ, સિદસર રોડ, ભાવનગર ખાતે તા. ૨૧/૦૯/૨૦૨૫ થી ૨૪/૦૯/૨૦૨૫ દરમ્યાન થનાર છે. જેમાં જિલ્લાની ભાગ લેનાર ટીમોની એન્ટ્રી dso-sycd-bvncity@gujarat.gov.in પર તા.૧૮/૦૯/૨૦૨૫ સુધીમાં મોકલવાની રહેશે. રાજયકક્ષા શાળાકીય બેઝબોલ સ્પર્ધાનાં કાર્યક્રમ મુજબ અંડર-૧૭ ભાઇઓ માટે રિપોર્ટિંગ તા.૨૧/૦૯/૨૦૨૫ના રોજ સાંજે ૪:૦૦ કલાકથી ૮:૦૦ કલાક સુધીનો રહેશે. તા.૨૨/૦૯/૨૦૨૫ના રોજ સવારે ૭:૦૦ કલાકથી સ્પર્ધા યોજાશે. અંડર-૧૪ ભાઇઓ માટે રિપોર્ટિંગ તા.૨૩/૦૯/૨૦૨૫…
Read Moreજિલ્લા રોજગાર કચેરી જામનગર દ્વારા આગામી તા.12 સપ્ટેમ્બરના રોજ મેગા જોબફેરનું આયોજન;35થી વધુ ખાનગી કંપનીઓ ભાગ લેશે
હિન્દ ન્યુઝ, જામનગર જામનગરના યુવાનો માટે રોજગારની તકો ઊભી કરવા માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, મોડેલ કેરિયર સેન્ટર, જામનગર અને ધારાસભ્ય રીવાબા જાડેજાના સંયુક્ત ઉપક્રમે 12 સપ્ટેમ્બર, 2025, શુક્રવારના રોજ એક મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા જોબફેરમાં 35થી વધુ ખાનગી ક્ષેત્રની કંપનીઓ ભાગ લેશે, જેઓ વિવિધ ક્ષેત્રોમાં નોકરીની તકો પૂરી પાડશે. આ ભરતીમેળામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોને વિશ્વકર્મા સમાજની વાડી, ગાંધીનગર મેઈન રોડ, જામનગર ખાતે સવારે 10:00 કલાકે હાજર રહેવા જણાવવામાં આવે છે. જોબફેરમાં આવનારા ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત અને અનુભવના તમામ પ્રમાણપત્રોની નકલો અને અપડેટ…
Read Moreજામનગરમાં મહિલાઓ અને કિશોરીઓ માટે મિશન શક્તિ અંતર્ગત જાગૃતિ શિબિરનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર ભારત સરકારના ‘મિશન શક્તિ’ યોજના હેઠળ, મહિલા સશક્તિકરણ અંગે જાગૃતિ ફેલાવવા જામનગરમાં દસ દિવસીય વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ 2 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ ઉજવણીના ભાગરૂપે ગત તા.2 સપ્ટેમ્બરના રોજ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન’ અંતર્ગત એક મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મહિલા અને બાળ અધિકારી શ્રી ડો. પૂજાબેન ડોડિયાના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે યોજાયો હતો. આ શિબિરમાં મહિલાઓને વિવિધ સરકારી યોજનાઓ અને કાયદાઓ વિશે વિસ્તૃત…
Read Moreકાલાવડ તાલુકાની વિવિધ શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્ર સંચાલક કમ કુક તથા રસોયા કમ મદદનીશની નિમણુક માટે અરજીઓ મંગાવાઈ
હિન્દ ન્યુઝ, કાલાવડ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ધાંધલ પિપળીયા પ્રાથમિક શાળા, મેવાસાવાડી પ્રાથમિક શાળા, શીવનગર પ્રાથમિક શાળા, મોટી ભગેડી પ્રાથમિક શાળા, રાજસ્થળી પ્રાથમિક શાળા, નાના પાંચદેવડા પ્રાથમિક શાળા, પાતામેઘપર પ્રાથમિક શાળા, પિઠડધામનેસ વાડી શાળા, ભગત ખીજડીયા પ્રાથમિક શાળા, મછલીવડ પ્રા.શાળા, મોરવાડી પ્રાથમિક શાળામાં સંચાલક કમ કુક અને રસોયા કમ મદદનીસ તથા કોઠા ભાડુકિયા પ્રાથમિક શાળામાં સંચાલક કમ કુકની નિમણુક કરવામાં આવશે. આ યોજનામાં સંચાલક તરીકે નિમણૂંક માટે વ્યકિત એસ.એસ.સી. સુધી ભણેલી હોવી જોઈએ તેમજ જે તે ગામની વતની હોવી જોઈએ. પરંતુ આવી વ્યક્તિ ગામમાં ન મળે તો ધોરણ-૭…
Read Moreઆવતીકાલ યોજાનાર નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની પરીક્ષા માટે તંત્ર દ્વારા હેલ્પલાઇન શરૂ કરાઈ
હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા તા. ૦૭/૦૯/૨૦૨૫ના રોજ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ (દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી) (જા.ક્ર.૧૨૭/૨૦૨૪-૨૫) અને નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ (જા.ક્ર.૦૮/૨૦૨૫-૨૬)ની જગ્યાઓ માટે પ્રાથમિક કસોટી જામનગર ખાતેના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજાઈ રહી છે. પ્રવર્તમાન ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા ઉમેદવારોને પરીક્ષા આપવા માટે કોઈ અગવડ ન પડે અને તેઓ સુરક્ષિત રીતે કેન્દ્ર પર પહોંચી શકે તે માટે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર ૯૭૨૭૮૭૬૬૬૭ અને (૦૨૮૮) ૨૫૫૩૪૦૪ જાહેર કરાયા છે. જેનો…
Read Moreખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા થયેલી નોંધણીમાં દર્શાવેલ પાક અને સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે અને સેટેલાઈટ ઈમેજ આધારિત વેરીફીકેશન થશે
હિન્દ ન્યુઝ, ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો માટે હાલમાં ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે, જે આગામી તા. ૧૫ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોએ નોંધણી દરમિયાન જે સર્વે નંબર નોંધાવ્યો હશે, તે સર્વે નંબરની સેટેલાઈટ ઈમેજ સાથે સરખામણી કરીને જે તે જણશીના વાવેતરની કૃષિ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવશે. જે અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા ખરીફ-૨૦૨૫ માટે ખેડૂતો દ્વારા નોંધણીમાં દર્શાવવામાં આવેલા સર્વે નંબરમાં મગફળીના વાવેતરની સેટેલાઈટ ઈમેજ સાથે સરખામણી અને ચકાસણીની કામગીરી ચાલુ કરવામાં આવી છે.…
Read Moreમહુવા તાલુકામાં માલણ નદી પર આવેલ બ્રિજ પર ભારે વાહનોની અવર-જવર માટે રસ્તો બંધ કરી ડાયવર્ઝન અપાયું
હિન્દ ન્યુઝ, ભાવનગર મહુવા તાલુકાના ગોરસ કાળેલા રોડ(ચે ૦/૦૦ થી ૩/૮૦૦) માં માલણ નદી પર આવેલ બિજમાં વિઝયુઅલ ઇન્સ્પેકશન દરમ્યાન ક્ષતિ જણાયેલ હોય કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને જાનમાલની હાનિ ન થાય તેની તકેદારીના ભાગરૂપે સદરહું માઇનોર બ્રિજને કામચલાઉ ધોરણે ભારે વાહનો માટે બંધ કરી વૈકલ્પિક રસ્તા પરથી ભારે વાહનો પસાર કરવા પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, મહુવાના પત્રથી દરખાસ્ત રજુ થયેલ છે. જે દરખાસ્ત અનુસાર જાહેર હિતને ધ્યાનમાં લેતા જાહેરનામું બહાર પાડવું ઉચિત જણાય છે. ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) હેઠળ મળેલ અધિકારની રૂઈએ અધિક…
Read Moreઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪ સપ્ટેમ્બરના રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, ઘોઘા ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો સપ્ટેમ્બર – ૨૦૨૫ નો તાલુકા/ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૪/૦૯/૨૦૨૫ નાં રોજ સવારે ૧૧ : ૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત કચેરી, ભાવનગરના અધ્યક્ષસ્થાને યોજાનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ ગ્રામ કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલોમાં તા. ૧૬/૦૯/૨૦૨૫ સુધીમાં રજાના દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાનાં પ્રશ્નો સંબંધિત તલાટી કમ મંત્રીને તથા તાલુકા કક્ષાનાં પ્રશ્નો મામલતદાર કચેરી, ઘોઘા ખાતે સ્વીકારવામાં આવશે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટર સિવાયની બાબતો તેમજ અરજદાર જાતે રૂબરૂ…
Read More