બોટાદ જિલ્લા પોલીસની માનવતાની મહેકથી મહેકતું બોટાદ

હિન્દ ન્યુઝ, બોટાદ               સમાજમાં ફરજ બજાવતા કર્મચારી જ્યારે પોતાની ફરજને અંત:કરણ સાથે જીવવા લાગે, ત્યારે જન્મે છે આવી કોઈ અદ્વિતિય પહેલ… જેમ કે બોટાદ પોલીસનું “માનવતાની મહેંક સ્ટોલ”બોટાદના એક નાનકડા સ્ટોલમાંથી આવતી “માનવતાની મહેક” આજે આખા ગુજરાતને મહેકવી રહી છે. આ કોઈ વેપારિક સ્ટોલ નથી, અહીં વેચાણ નથી, અહીં ભાવ છે… લાગણીઓના, સહાનુભૂતિના અને સાચી માનવતાના….             બોટાદ પોલીસની અનોખી પહેલ “માનવતાની મહેંક સ્ટોલ”ની સેવાકીય પ્રવૃત્તિઓને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બિરદાવી હતી. તેમણે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બલોલિયાને અભિનંદન…

Read More

બોટાદ શહેરના મામલતદારની અધ્યક્ષતામાં પાટી ક્લસ્ટરની શાળાઓમાં પ્રવેશ ઉત્સવ યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ                શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫ અંતર્ગત દ્વિતિય દિવસે બોટાદ શહેરના મામલતદાર એમ. એમ. પરમારના અધ્યક્ષ સ્થાને પાટી ક્લસ્ટરની વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. મામલતદારએ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનિઓને શાળામાં પ્રવેશ અપાવી જ્ઞાનનો દીપ પ્રગટાવ્યો હતો.             આ પ્રસંગે તેમના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અધિકારીએ દ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી અને ઉજ્જળ ભવિષ્યના નિર્માણ માટે અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. આ પ્રસંગે એસ.એમ.સી.ના સભ્યો, આચાર્ય – શિક્ષકો તેમજ વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. 

Read More

પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં પીએમશ્રી લાલપુર કન્યાશાળા ખાતે “શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ”ની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, જામનગર      પ્રભારી મંત્રી અને રાજ્યના પ્રવાસનમંત્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં પીએમશ્રી લાલપુર કન્યાશાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.  પ્રાસંગિક ઉદ્બોધન આપતા મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવએ માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ સમાજ માટે એક ઉત્સવ સમાન છે. શાળા ખુલ્યા બાદ ત્રણ દિવસ સુધી રાજ્યની તમામ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. મુખ્યમંત્રી સહિતનું મંત્રીગણ તેમજ અધિકારીઓ ગામડે ગામડે જઈને શાળામાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવી શાળામાં સ્વાગત કરી…

Read More

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં ધ્રોલ વાડી શાળા અને ધ્રોલ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ

આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ  હિન્દ ન્યુઝ, જામનગર       રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ધ્રોલ વાડી શાળાનં.1 તથા ધ્રોલ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જ્ઞાનસેતુ, જ્ઞાન સાધના તથા નમો સરસ્વતી, નમો લક્ષ્મી જેવી યોજનાઓ થકી તેજસ્વી વિદ્યાર્થીઓને તથા પાત્રતા ધરાવતા…

Read More

કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં વાવડી, નેસડા અને હડિયાણા ખાતે “શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ”ની ઉજવણી કરાઇ

કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં વાવડી, નેસડા અને હડિયાણા ખાતે “શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ”ની ઉજવણી કરા હિન્દ ન્યુઝ, જામનગર       રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લાની વાવડી પ્રાથમિક શાળા, નેસડા પ્રાથમિક શાળા, હડિયાણા કન્યા શાળા અને હડિયાણા તાલુકા શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દાયકા પહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરાવી હતી. શિક્ષણ…

Read More

ભાવનગર સાયકલ કલબ દ્વારા પ્રથમ વખત જગન્નાથ રથયાત્રામાં સાયકલ જાગૃતિ માટેનો વિશિષ્ટ ટેબલો રજૂ કરવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, ભાવનગર       જગન્નાથ રથયાત્રા કમિટી દ્વારા આયોજિત રથયાત્રામાં ભાવનગર સાયકલ કલબ દ્વારા સાયકલિંગ અંગેની જાગૃતિ માટે સૌ પ્રથમ વાર વિશિષ્ટ ટેબ્લો તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં રથયાત્રાના રૂટમાં હજારોની સંખ્યામાં લોકોએ આ ટેબલોની મુલાકાત લીધી છે.આ વખતની રથયાત્રામાં સાયકલ ક્લબનો ટેબલો આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. આ ટેબ્લોના માધ્યમથી ભાવનગરની જનતાને સાયકલિંગના લાભો અને તંદુરસ્ત જીવનશૈલી તરફ જાગૃત કરવા માટે તથા નિયમિત ઓછામાં ઓછું 10 km સાયકલિંગ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું‌ હતું. જેમા સાયકલ ચલાવવાના શારીરિક, માનસિક અને પર્યાવરણીય લાભો વિશે જાણકારી આપવામાં આવશે, જેમાં સાયકલ ચલાવો…

Read More

ભાવનગર જિલ્લામાં NFSA રેશનકાર્ડ ધારકોએ તા.૩૦ જૂન સુધીમાં e-KYC ફરજિયાત કરાવવાનું રહેશે

હિન્દ ન્યુઝ, ભાવનગર       જાહેર વિતરણ વ્યવસ્થા યોજનામાં ‘રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા-૨૦૧૩” હેઠળ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો એમ બે પ્રકારના કુટુંબોને સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાન ખાતેથી વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.  સરકારની સૂચનાનુસાર રેશનકાર્ડમાં અનાજનો જથ્થો મેળવતા ૦ થી ૫ વર્ષની વય ધરાવતા બાળકો સિવાયના તમામ સભ્યોનું e-KYC કરાવવું ફરજિયાત છે.આ બાબતે રેશનકાર્ડધારકોના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ઉપર SMS પણ મોકલવામાં આવી રહ્યાં છે. આથી ભાવનગર જિલ્લાના તમામ NFSA રેશનકાર્ડના તમામ સભ્યો જેમનું e – KYC બાકી હોય તેમણે પોતાનું e – KYC તા.૩૦/૦૬/૨૦૨૫ સુધીમાં કરાવી…

Read More

ઈશ્વરિયા ગામમાં અષાઢી બીજનાં શુકનવંતા પર્વે બાળકોનો શાળા પ્રવેશોત્સવ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર       ઈશ્વરિયા ગામમાં અષાઢી બીજનાં શુકનવંતા પર્વે બાળકોએ શાળા પ્રવેશ મેળવ્યો હતો. અધિકારીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. સરકાર દ્વારા રાજ્યમાં કેળવણી હેતુ થતાં આયોજનો અંતર્ગત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામે થયું હતું, જેમાં અધિકારીઓ અને અગ્રણીઓ સાથે આંગણવાડી, પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક શાળા પરિવાર જોડાયો હતો. સિહોર તાલુકા સંકલિત બાળવિકાસ યોજના કચેરીનાં ફરજ પરનાં અધિકારી હેમાબેન દવેએ બાળકો માટે વાલીઓએ સજાગ બની આંગણવાડી અને શાળા સાથે સંપર્ક વધારવા ભાર મૂક્યો હતો. સંકલન અધિકારી…

Read More

શિહોર ખાતે સી.સી.રોડનું કામ ચાલુ હોવાથી ઢસા તરફથી ભાવનગર તરફ આવતા તમામ પ્રકારના વાહનોને ડાયવર્ઝન અપાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર       શિહોર શહેર ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૫૧ વરતેજ-સિહોર-ઢસા રોડ પર સી. સી. રોડનું કામ ચાલુ હોવાથી ભાવનગર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ તેમને મળેલી સત્તાની રૂઈએ શિહોર શહેર ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૫૧ વરતેજ-શિહોર-ઢસા રોડ પર સી. સી. રોડ (લંબાઈ ૫૦૦ મીટર) ના કામે તા.૨૭/૦૬/૨૦૨૫ થી તા. ૨૬/૦૭/૨૦૨૫ સુધી ઢસા તરફથી ભાવનગર તરફ આવતા તમામ પ્રકારના વાહનો માટે શિહોર શહેર ખાતે રસ્તો બંધ કરવા તેમજ નીચે મુજબના ડાયવર્ઝન રૂટ પરથી વાહનો પસાર કરવા ફરમાવ્યું છે.  જેમાં ઢસા તરફથી ભાવનગર જતાં તમામ વાહનો માટે શિહોર સિટીમાં…

Read More

બાળકોને કુમ કુમ તિલક કરીને શાળા પ્રવેશોત્સવ કરાવતા જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ

શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫   હિન્દ ન્યુઝ, ભાવનગર      સમગ્ર ગુજરાતમાં પ્રારંભ થયેલ શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે ભાવનગરની કમળેજ પ્રાથમિક શાળા ખાતે આંગણવાડી અને બાલવાટીકાના બાળકોનો જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષ સ્થાને તેમજ ગાંધીનગરથી જી.સી.ઈ.આર.ટી.ના પ્રોજેક્ટ ઓફિસર ડૉ. અવનીબા મોરીની વિશેષ ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો.  જિલ્લા કલેકટર તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ આંગણવાડી અને બાલવાટીકાના બાળકોને કુમકુમ તિલક કરીને તેમજ ચોકલેટથી મોં મીઠું કરાવીને શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. કાર્યક્રમ દરમ્યાન એન.એમ.એમ.એસ., સી.ઇ.ટી., જ્ઞાનસાધના પરીક્ષામાં તેમજ શાળામાં શિક્ષણ અને વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં…

Read More