ભારે વરસાદની આગાહીને લઈને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર સતર્ક

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    ભારે વરસાદની પરિસ્થિતિને પગલે જિલ્લાના પ્રભારી સચિવ શ્રી જેનુ દેવનની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રભારી સચિવએ જિલ્લામાં ભારે વરસાદના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ વિશે સમીક્ષા કરી વિવિધ વિભાગના શીર્ષ અધિકારીઓને યોગ્ય જરૂરી માર્ગદર્શન આપી સંભવિત જોખમ સામે આગોતરા આયોજન થકી એલર્ટ રહેવા જરૂરી સૂચનો કર્યા હતાં. પ્રભારી સચિવએ વિવિધ શેલ્ટર હોમમાં વીજળી, પાણી તથા સ્વચ્છતા સહિતની પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવા ઉપરાંત દરિયામાં માછીમારોને અવર જવર ના કરવા નાગરિકો અને પશુઓની સલામતી સુનિશ્ચિત કરવા ઉપરાંત…

Read More

રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સમીક્ષા બેઠક

હિન્દ ન્યુઝ, ગાંધીનગર ➡️સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા વહિવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી તેમજ બચાવ-રાહત પગલાં અંગે સમીક્ષા કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું. ➡️જિલ્લા કલેક્ટરઓ અને મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરઓ પાસેથી લોકોના સલામત સ્થળે સ્થળાંતર, રેસ્ક્યૂ, જીવન આવશ્યક પુરવઠાની ઉપ્લબ્ધિની વ્યવસ્થા, રાહત રસોડા વગેરે જેવી ત્વરિત કાર્યવાહીની તલસ્પર્શી વિગતો મેળવી. ➡️મુખ્યમંત્રીએ રાજ્ય સરકારને આ વરસાદી આફતમાં બચાવ કામગીરી સહિતના આપત્તિ વ્યવસ્થાપનમાં સહાયક બનેલ આર્મી, એરફોર્સ, NDRF અને SDRFની વિગતો પણ મેળવી. ➡️મુખ્યમંત્રીએ માર્ગ મરામત, આરોગ્ય અને સ્વચ્છતા જાળવણી, વીજ પુરવઠો જેવી કામગીરી થકી જનજીવન સત્વરે પૂર્વવત…

Read More

જસદણમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

હિન્દ ન્યુઝ, જસદણ      હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે જસદણમાં ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો અત્યાર સુધીમાં અંદાજે પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે જસદણની ભાદર નદી અત્યારે બે કાંઠે વહી રહી છે તેમજ જસદણની જીવાદોરી સમાન આલણસાગર ડેમમાં બપોર 1વાગ્યા સુધીમાં 17.50 ફુટ સુધીની પાણીની આવક થઈ છે. હજી પણ પાણીની આવક ચાલુ છે ત્યારે જસદણ તેમજ આજુબાજુના ગામોના પીવાના અને સિંચાઇના પાણીનો પ્રશ્ન હલ થઇ ગયો છે. સતત વર્સી રહેલ વરસાદના કારણે જસદણ શહેરના અનેક વિસ્તારોમાં ગોઠણ સમાં…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી તથા વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો, મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ પાસેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તલસ્પર્શી વિગતો મેળવી હતી.     મુખ્યમંત્રીએ ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળાંતર તેમજ પાણીમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ કરવાની બાબતને અગ્રતા આપવા માટે તાકીદ કરતાં જિલ્લા કલેક્ટરઓ અને મ્યુનિસિપલ કમિશ્નરઓને મનુષ્ય જીવન અને પશુધનની જાનહાની ના થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. આ સંદર્ભે મુખ્યમંત્રીએ NDRF,…

Read More

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર સોમનાથ મહાદેવને શ્રીકૃષ્ણ જન્મોત્સવ દર્શન શ્રૃંગાર

હિન્દ ન્યુઝ, સોમનાથ     શ્રાવણ કૃષ્ણ અષ્ટમી એટલે કે જન્માષ્ટમી પર સોમનાથ મહાદેવને શ્રી કૃષ્ણ જન્મોત્સવ શૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી એટલે વિશ્વભરમાં વસતા સનાતન ધર્મીઓ માટે આનંદ ઉમંગ અને ઉત્સાહનો પર્વ, ત્યારે જે ભૂમિ પર ભગવાન કૃષ્ણએ સ્વયં નિજધામ પ્રસ્થાન કર્યું અને જ્યાં દેવાધીદેવ સોમનાથ મહાદેવ બિરાજતા હોય તે હરિહર ક્ષેત્ર પ્રભાસ તીર્થમાં શ્રીસોમનાથ મંદિરમાં ગર્ભગૃહમાં શ્રી કૃષ્ણ જન્મનો પ્રસંગ તૈયાર કરવામાં આવ્યો હતો. નંદબાબા બાલકૃષ્ણને યમુના નદી પાર કરાવી રહ્યા હોય તેવું દ્ર્શ્ય રચવામાં આવ્યું હતું તેમજ શ્રી સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ પર ચંદનના લેપ વડે…

Read More

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ-ગાંધીનગર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

હિન્દ ન્યુઝ, ગુજરાત       હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને રાજ્યમાં આગામી દિવસોમાં અતિ ભારે વરસાદ તથા વીજ ગર્જનાને પરિણામે સર્જાનાર પરિસ્થિતિને પહોંચી વળવા તકેદારીના ભાગરૂપે રાજ્યના નાગરિકોને નીચે મુજબના પગલા લેવા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ-ગાંધીનગર દ્વારા અનુરોધ કરાયો છે.  પૂરની સ્થિતિ પહેલાં આટલી સાવચેતી રાખીએ… • અફ્વા ફેલાવવી નહિ, શાંત રહેવું, ગભરાવવું નહીં • સ્થાનિક વહીવટીતંત્રના સંપર્કમાં રહી તેમની સૂચનાઓનું પાલન કરવું. • આસપાસમાં સૌથી નજીકના સલામત સ્થળે પહોંચવાનો સલામત માર્ગ જાણવો. • હવામાન અને પૂરની ચેતવણીની અદ્યતન માહિતી માટે રેડિયો સાંભળવો કે ટેલિવિઝન નિહાળવું. • તમારા મોબાઈલ…

Read More

જામનગર જિલ્લામાં ભારે વરસાદના પરિણામે ૬ રસ્તાઓ બંધ

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર જિલ્લામાં છેલ્લા બે દીવસથી સાર્વત્રિક અને ભારે વરસાદના પરિણામે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના ૬ રસ્તાઓ હાલ બંધ છે. આ છ રસ્તાઓ જેમાં નાની માટલી મોટી માટલી રોડ પર વરસાદના કારણે નદીમાં પુર આવવાથી કોઝ વે ધોવાણ થવાના કારણે રસ્તો બંધ થયેલ છે.  સુમરા પિપરટોડા રોડ, રવસીયા હંસ્થળ રામપર રોડ, કાલાવડ મોરીદડ દડવી રોડ, કાલમેઘડા અનીડા રોડ, નાની વાવડી લક્ષમીપુર ગોલણીયા રોડ ઓવર ટોપીંગ થવાના કારણે બંધ છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આજે પણ જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી…

Read More

શ્રાવણ કૃષ્ણ સપ્તમી પર સોમનાથ મહાદેવને સૂર્ય દર્શન શ્રૃંગાર કરાયો

હિન્દ ન્યુઝ, સોમનાથ સોમનાથ મહાદેવને શ્રાવણ કૃષ્ણ સપ્તમીના અવસરે સૂર્ય દર્શન શૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ પર સૂર્યદેવની પ્રતિકૃતિ તેમજ ગુલાબ, ગલગોટા, સહિતના પુષ્પો અને હાર દ્વારા આ વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો.   અર્થવેદ અને સૂર્યોપનિષદ અનુસાર સૂર્ય પરબ્રહ્મ છે. ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન ભાસ્કરનું તેજ અગિયાર હજાર કિરણો સાથે પૃથ્વી ને પ્રાપ્ત થાય છે. સૂર્યની ઊર્જા સંસારના જીવનચક્ર ને ચલાવે છે અને ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય આપે છે. ભગવાન સૂર્ય પંચ દેવો પૈકીના એક છે. સૂર્યદેવને પ્રકાશ અને ઉર્જાના દેવતા માનવામાં…

Read More

વેરાવળ-પાટણ શહેર મહિલા મોરચા પ્રમુખ ઉષાબેન કુસકીયા દ્વારા ફરસાણ વિતરણ

હિન્દ ન્યુઝ, વેરાવળ       વેરાવળ-પાટણ શહેર મહિલા મોરચા પ્રમુખ ઉષાબેન કુસકીયા દ્વારા ફરસાણ વિતરણ કરી સાતમ આઠમના તહેવારની હર્ષોલ્લાસ સાથે કરેલ.       તારીખ 25/8/2024 ના રોજ સાતમ આઠમના તહેવાર નિમિત્તે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં વેરાવળ પાટણ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ ઉષાબેન કુસકીયાના પિતા કાનજીભાઈ ખીમજીભાઇ કુસકીયા તથા માતા નિમુબેન કાનજીભાઈ કુસકીયા તરફથી આપવામાં આવેલ. ફરસાણનું વિતરણ વેરાવળ- પાટણ ભાજપ મહિલા મોરચાના બહેનો દ્વારા વેરાવળ સિવિલ હોસ્પિટલમાં બહેનોના ડિલિવરી વોર્ડ તેમજ જનરલ વોર્ડમાં દર્દીઓને સાતમ આઠમના તહેવાર નિમિત્તે ફરસાણ વિતરણ કરી સાતમ આઠમની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં…

Read More

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વયં સહાય જૂથ ની અંદર લખપતિ દીદી અને કમ્યુનિટી રિસોર્સ પર્સન મળીને કુલ ૫૦ સર્ટિફિકેટ નું વિતરણ કરાયું

હિન્દ ન્યુઝ, દીવ    દીવ નાં વણાંકબારા શિવ સદન હોલ મુકામે દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વયં સહાય જૂથ ની અંદર લખપતિ દીદી અને કમ્યુનિટી રિસોર્સ પર્સન મળીને કુલ ૫૦ સર્ટિફિકેટ નું વિતરણ કરીને સન્માનિત કરવામાં આવ્યાં     આ કાર્યક્રમ દીવ નાં એડિશનલ કલેકટર કમ જિલ્લા પંચાયત નાં સી. ઇ. ઓ. ડૉ. વિવેક કુમાર ની મુખ્ય ઉપસ્થિતિ માં યોજાયો હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે વણાંકબારા વિવિધ ગ્રામ પંચાયતો નાં સરપંચો મિનાક્ષીબેન જીવન, નરસિંહ સોલંકી, વેલજીભાઈ ભીખા સોલંકી, ઉપસરપંચ રામજીભાઈ ચાવડા સાઉદવાડી ગામનાં સરપંચો દમયંતીબેન નરસિંહ, કાન્તાબેન…

Read More