શ્રાવણના ચોથા દિવસે સોમનાથ મહાદેવને “શ્રીગણેશ દર્શન” શૃંગાર કરાયો

હિન્દ ન્યુઝ, સોમનાથ       શ્રાવણ માસની શુક્લ ચતુર્થી એટલેકે વિનાયક ચતુર્થી પર સોમનાથ મહાદેવને શ્રી ગણેશ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ પર ગણેશજીની પ્રતિકૃતિ તૈયાર કરી વિવિધ પુષ્પો, ચંદન સહિતના દ્રવ્યોથી મહાદેવને આભૂષિત કરવામાં આવેલ. શ્રાવણ માસ ભગવાન શિવને સમર્પિત છે અને વિનાયક ચતુર્થી ગણેશજીનો આરાધના દિવસ છે. ત્યારે શ્રાવણ માસની વિનાયક ચતુર્થી પર સોમનાથ મહાદેવના ગણેશ દર્શન શૃંગારમાં બંને દેવતાઓના એક સાથે દર્શન કરવાનો વિશેષ લાભ ભાવિકોને મળ્યો હતો. જ્યોતિર્લિંગ પર શ્રીગણેશ શૃંગારમાં મહાદેવ અને શ્રીગણેશ બંનેના સંયુક્ત દર્શન મેળવવાથી ભક્તોને દરેક કાર્યમાં સફળતા મળે…

Read More

શ્રાવણના ત્રીજા દિવસે શ્રી સોમનાથ મહાદેવને ભસ્મ શૃંગાર

હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રાવણના ત્રીજા દિવસે શુક્લ ત્રીજની તિથિ પર સોમનાથ મહાદેવને વિશેષ ભસ્મ દર્શન શ્રૃંગાર કરવામાં આવ્યો હતો સોમનાથ મહાદેવને ભસ્મ દર્શન શ્રૃંગાર એક પ્રાચીન પૂજાવિધિ છે. આ દરમિયાન શ્રી સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગને યજ્ઞભસ્મથી શણગારવામાં આવે છે.  શાસ્ત્રોમાં ભસ્મને વૈરાગ્ય અને નિર્મોહનું પ્રતિક કેહવાના આવેલ છે. માનવામાં આવે છે કે આ ભસ્મથી લેપ કરેલ શિવલિંગના દર્શનથી મનુષ્ય મોહમાયાના દંભ માંથી મુક્ત થઈ શિવત્વ ની અનુભૂતિ કરે છે.

Read More

केंद्र सरकार द्वारा हर साल चलाया जाने वाले जलशक्ति अभियान, 2024 के तहत दो दौरे किये जायेंगे

हिन्द न्यूज़, दीव         जल शक्ति अभियान के तहत दिल्ली से आये केंद्रीय नोडल अधिकारी पंकज श्रीवास्तव ने दूरदर्शन से बात करते हुए बताया कि जलशक्ति अभियान, 2024 केंद्र सरकार द्वारा इस वर्ष मार्च में शुरू किया गया । यह अभियान हर वर्ष मार्च से नवंबर के बीच चलाया जाता है । उन्होंने बताया कि केंद्र सरकार द्वारा हर साल चलाया जाने वाले अभियान के तहत दो दौरे किये जायेंगे । इससे संबंधित अगला दौरा नवंबर माह में किया जायेगा ।       इस अभियान के तहत…

Read More

આંકોલવાડી અને ધાવાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જિલ્લા પંચાયતના પ્રમુખના હસ્તે ORS અને ઝિંક કોર્નરનું લોકાર્પણ કરાયું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        આંકોલવાડી અને ધાવાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજૂલાબહેન મૂછારના હસ્તે ORS અને ઝિંક કોર્નરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.   ORS અને ઝિંક કોર્નર પરથી સાબુથી હાથ ધોવા, સ્તનપાન, ORS તૈયારી, રોટાવાયરસ રસીકરણ, સામુદાયિક સ્વચ્છતા અને સ્વચ્છ પીવાના પાણી સહિતની મહત્વપૂર્ણ માહિતી મળશે. ઝાડાને કારણે થતા બાળ મૃત્યુને શૂન્ય હાંસલ કરવાના અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા આરોગ્ય વિભાગના સહયોગથી પ્લાન ઈન્ડિયા દ્વારા અમલિત સેલ્ફ-કેર ફોર ન્યૂ મોમ્સ એન્ડ કિડ્સ અંડર ૫ પ્રોજેક્ટ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.    …

Read More

જિલ્લા તાલુકા પ્રમુખ કલ્પનાબહેન રાઠવાની અધ્યક્ષતામાં “મહિલા નેતૃત્વ દિવસ”ની ઉજવણી

નારી વંદના ઉત્સવનો ૪ દિવસ “મહિલા નેતૃત્વ દિવસ” હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      જિલ્લા તાલુકા પ્રમુખ કલ્પનાબહેન રાઠવાના અધ્યક્ષતામાં “મહિલા નેતૃત્વ દિવસ”ની ઉજવણી જિલ્લા પંચાયત હોલ કવાંટ રોડ છોટાઉદેપુર ખાતે કરવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્ર અને મહિલા અને બાળ અધિકારીની કચેરી, છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા “મહિલા નેતૃત્વ દિવસ” નિમિત્તે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર મહિલાઓનુ સન્માન કરવામાં આવ્યુ હતુ.  મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કિશોરીઓમાં નેતૃત્વના ગુણોનો વિકાસ થાય તેમજ પોતાના ગામના વિકાસમાં સક્રિય ભાગ લે તેવા ઉમદા હેતુથી “બાલિકા પંચાયત” નો નવતર પહેલ શરૂ કરેલ છે જેમાં જિલ્લાની…

Read More

છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે તડામાર તૈયારીઓ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      છોટાઉદેપુર જિલ્લામાં તા.૯/૦૮/૨૪ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વિધાનસભા મત વિસ્તાર મુજબ થનાર છે. જેમાં ૧૩૭-છોટાઉદેપુરમાં સ્વામી નારાયણ હોલ, ૧૩૮-જેતપુર પાવીમાં ગાયત્રી મંદિરની બાજુમાં, સેંડીવાસણા રોડ, કવાંટ અને ૧૩૯ – સંખેડામાં ડી.બી.પારેખ હાઇસ્કુલ ખાતે ઉજવણી કરવામાં આવશે.  આ કાર્યક્રમની ઉજવણીના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા કલેકટરએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિતે આદિવાસી પંરપરા અને સંસ્કૃતિ જળવાઇ રહે તે જોવા જણાવીને તમામ યોજનાઓના લાભાર્થી સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચવ્યું હતું. તેમણે તમામ નોડલ અધિકારીઓએ કરેલી કામગીરીની સમીક્ષા કરીને…

Read More

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને વિશેષ બિલ્વપત્ર શ્રૃંગાર કરાયો

હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રાવણ માસના પ્રથમ સોમવારની સંધ્યા પર સોમનાથ મહાદેવને વિશેષ બિલ્વપત્ર શૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવને શ્રાવણ શુક્લ પ્રતિપદા એટલેકે એકમ પર સોમનાથ મહાદેવને જન કલ્યાણની પ્રાર્થના સાથે બિલ્વપત્ર શૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવને બિલ્વપત્રોથી શૃંગાર કરવાની પ્રથા ખૂબ જ પ્રાચીન અને પવિત્ર માનવામાં આવે છે. બિલ્વપત્ર ભગવાન શિવને અત્યંત પ્રિય છે. અને તેમને બિલીપત્ર અર્પણ કરવાથી ભક્તોને ત્રણ જન્મના પાપ માંથી મુક્તિ મળે છે. બિલ્વપત્રને ત્રિદેવનું પ્રતિક માનવામાં આવે છે. તેના ત્રણ પર્ણમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતિનિધિત્વ કરે છે. બિલ્વપત્રમાં શાંતિ અને શુદ્ધિના ગુણો…

Read More

ગીર સોમનાથની જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વેરાવળ ખાતેના ખારવા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  રાજ્યભરમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવનાર છે, તે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાની જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ખારવા ક્રિકેટ ગ્રાઉન્ડ (કે.સી.સી ગ્રાઉન્ડ,)વેરાવળ ખાતે કરવામાં આવશે. જિલ્લા કક્ષાની ઉજવણીમાં મહિલા બાળ વિકાસ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા ધ્વજવંદન કરાવી રાષ્ટ્રધ્વજની સલામી ઝીલશે. સ્વાતંત્ર્ય પર્વ દિન ઉજવણી અને તેના ઉપલક્ષમાં યોજનાર ‘હર ઘર તિરંગા’ અભિયાનનાં સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.  આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ કચેરીના અધિકારીઓને સ્વાતંત્ર પર્વની ઉજવણી અવશરે કરવાની થતી…

Read More

સોમનાથમાં શ્રાવણના પેહલા સોમવારે પૂજન પુણ્ય અને પરમાનંદ નો માહોલ

હિન્દ ન્યુઝ, સોમનાથ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ અને તેમાં પણ પ્રથમ દિવસ જ સોમવાર હોય આજરોજ સોમનાથ મહાદેવના ચરણોમાં ભક્તોનો મહાસાગર ઉમટયો હતો. શિવજીની આરાધનાના મહા પર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજામાં જોડાયા હતા. ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી શ્રી જે.ડી પરમાર ના હસ્તે સૌપ્રથમ ધ્વજા પૂજા, પાલખી પૂજા કરી શ્રાવણ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સોમનાથ તીર્થની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારો…

Read More

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ માં પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિર માં ભક્તો ની ભીડ

હિન્દ ન્યુઝ, દીવ        કેન્દ્રશાસિત પ્રદેશ દીવ માં પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી. આ સોમનાથ મહાદેવ મંદિર 550 થી પણ વધુ પૌરાણિક મંદિર છે. શ્રાવણ માસ ના પ્રથમ દિવસે શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તો ની ભીડ જોવા મળે છે. વેહલી સવારે મંગલા આરતી ના દર્શન કરવા માટે મોટી સંખ્યા માં ભક્તો આવી પૂજા અર્ચના કરી. આ પૌરાણિક સોમનાથ મંદિર માં ભક્તો ની ખુબ શ્રદ્ધા જોવા મળે છે. શ્રાવણ મહિનાનંદ્રમિયાં મંદિરમાં રૂદ્રા અભિષેક તેમજ આખો મહિનો દીપમાળા નું આયોજન પણ પૂજારી શ્રી દ્વારા…

Read More