હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરમાં ચોમાસું-૨૦૨૪ ને ધ્યાનમાં રાખીને તાલીમ મેળવેલ જિલ્લાના આપદામિત્રો માટે આપદામિત્ર રીફ્રેશર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના આપદામિત્ર પ્રોજેક્ટ અને ભારત સરકારના નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (NDMA) ના અપસ્કેલીંગ આપદામિત્ર પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગર જિલ્લાના આપદામિત્રોને વર્ષ- ૨૦૧૮-૧૯ અને ૨૦૨૨-૨૩ દરમિયાન એસડીઆરએફ દ્વારા ડીઝાસ્ટર વિષયક ૧૨ દિવસની નિવાસી તાલીમ આપવામાં આવેલ હતી. જેના અનુસંધાનમાં ચોમાસું-૨૦૨૪ ને ધ્યાનમાં રાખીને તાલીમ મેળવેલ તમામ આપદામિત્રોને આફતોની પરિસ્થિતિમાં જીલ્લા વહીવટીતંત્રને મદદરૂપ થઇ શકે તે હેતુથી કલેકટર ઓફિસના ડિઝાસ્ટર વિભાગ દ્વારા એક દિવસીય રીફ્રેશર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાયર…
Read MoreMonth: August 2024
જિલ્લા વિકાસ અધિકારી જી. એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.એચ.સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લામાં જ્યાં જરૂર હોય ત્યાં સાઇનેજીસ લગાવવા, સ્કૂલોના બાળકોને લઈ જતાં વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવા, વિદ્યાર્થીઓના વાલીઓ સાથે મિટીંગ યોજવા,રોંગ સાઈડમાં વાહન ચલાવનાર વાહન ચાલકો, હેલ્મેટ પહેર્યા વિનાના વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી કરવા, જિલ્લામાં ફેટલ ડેથ થયાં હોય તેવી જગ્યાઓની જોઈન્ટ વિઝિટ કરવા તેમજ હિટ એન્ડ રનના કેસમાં ભોગ બનનારને નિયમોનુસાર મળવા પાત્ર સહાયની સમયસર ચૂકવણી કરવા જરૂરી સુચનો કર્યાં હતાં. આ…
Read Moreકાળાનાળા સર્કલને એપ્રોચ કરતા તમામ રસ્તાઓ પરનો વાહન વ્યવહાર બંધ કરવા તેમજ ડાયવર્ઝન રૂટ પરથી તમામ પ્રકારના વાહનો પસાર કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર શહેરમાં ચિત્તરંજન ચોકથી ભીડભંજન ચોક સુધી વ્હાઇટ ટોપીંગ રોડ બનાવવાનું કામ પ્રગતિમાં છે. જે પૈકી ઉપરોકત રોડના કામમાં કાળાનાળા સર્કલ ફરતે તથા સર્કલને જોડતા એપ્રોચ રોડનું કામ પુર્ણ કરવાના હેતુથી ટ્રાફીક નિયમન માટે વાહનોની અવર- જવર માટે વાહનો ડાયવર્ઝન રૂટ પરથી પસાર કરવા ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) હેઠળ તેમને મળેલી સત્તાની રૂએ તા.૧૮/૦૮/૨૦૨૪ થી તા.૨૭/૦૮/૨૦૨૪ સુધી કાળાનાળા સર્કલને એપ્રોચ કરતા તમામ રસ્તાઓ પરનો વાહન વ્યવહાર બંધ કરવા તેમજ ડાયવર્ઝન રૂટ પરથી તમામ પ્રકારના વાહનો પસાર કરવા નીચે મુજબનો…
Read More“એક રાખી દેશ કે જવાનો કે નામ”, દેશના સૈનિકોને ભાવનગરની ૧,૫૮૬ આંગણવાડીની બહેનોએ રાખડી મોકલી
હિન્દ ન્યુઝ, ભાવનગર દેશના સૈનિકો દરેક તહેવારો અને ઉત્સવો પોતાના ઘર પરિવારથી દૂર સરહદ પર મનાવતા હોય છે. ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આ સૈનિકો સરહદ પર રહીને પણ મનાવી શકે અને માતાઓ બહેનો તેમની સાથે જોડાયેલી છે એવો તેમને અહેસાસ આપવાનો સરાહનીય પ્રયોગ “એક રાખી દેશ કે જવાનો કે નામ” અંતર્ગત ગુજરાતે કર્યો છે. આ હેતુસર ભાવનગર જિલ્લાની ૧૫૮૬ આંગણવાડી કેન્દ્રની આંગણવાડીની બહેનોએ રાખડીઓનું રક્ષા કવચ દેશની સરહદે તૈનાત વીર જવાનોને મોકલી તેમના પ્રત્યેના સ્નેહની અનુભૂતિ કરાવી હતી.
Read Moreજિલ્લા વિકાસ અધિકારી જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી જી.એચ. સોલંકીનાં અધ્યક્ષ સ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરી આયોજન હોલ ખાતે મળી હતી. ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં તુમારોનો નિકાલ,પેન્શન કેસ, નાગરિક અધિકારી પત્રો, આર.ટી.આઈ.અરજીનો સમય મર્યાદામાં નિકાલ કરવાની સૂચના આપી હતી. આ ઉપરાંત રજૂ થયેલા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે જિલ્લા વિકાસ અધિકારી જી.એચ. સોલંકીએ સંબંધિત અધિકારીઓને સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી. ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં પોલીસ અધીક્ષક ડો. હર્ષદ પટેલ, નાયબ વન…
Read Moreવાત્સલ્ય સંસ્થા, દીવમાં રક્ષાબંધન તહેવાર ઉજવવામાં આવ્યો
હિન્દ ન્યુઝ, દીવ વાત્સલ્ય સંસ્થાના હોલમાં આગામી રક્ષાબંધન પર્વને અનુલક્ષીને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં દીવ જીલ્લા બાળ સુરક્ષા એકમ નાં મૈત્રીબેન ભટ્ટ, ચાઈલ્ડ હેલ્પલાઇન, દીવનાં રૂષીકેશ સાપરે અને બ્રહ્માકુમારી ગીતાબહેન ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત સંસ્થાના સેક્રેટરી ઉસ્માનભાઈ વોરા દ્વારા અને પ્રાસંગિક પ્રવચન બ્રહ્માકુમારી ગીતાબહેન દ્વારા કરવામાં આવ્યું. વાત્સલ્ય સંસ્થાની મનોદિવ્યાંગ બાળકીઓ દ્વારા બનાવવામાં આવેલી રાખડીઓ ઉપસ્થિતોને અને સંસ્થાના બાળકો ને બાંધી રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી હતી. …
Read Moreજે મળ્યું માણ્યું ઘણું, લેશ પણ ઓછા પણું લાગ્યું નથી, જિંદગી તારી કને મેં હક કરીને કોઈ દિવસ કંઈ પણ માંગ્યું નથી
હિન્દ ન્યુઝ, ધરમપુર જે મળ્યું, માણ્યું ધણું… કશું માંગ્યા વગર, કશાની કામના કર્યા વગર જે મળે, ગમતું કે અણગમતું, સુંદર કે અસુંદર, અનુકૂળ કે પ્રતિકુળ, કંઈ પણ મળે, જેનો પણ ભેટો થાય તે સઘળું સમર્પણ ભાવે સ્વીકારી લેવું; એટલું જ નહીં પણ એને માણવું એટલે કે એમાંથી આનંદ અનુભવવો, પછી તે સુખકર હોય કે દુઃખકર હોય. સુખકરને તો સૌ માણે પણ દુઃખમાં પણ કોઈ ઊંડાં તથ્યો કે સત્યો રહેલાં હોય તેને પામવાં, દુઃખની આરપાર જઈને એને જીરવવા અને અંદરથી કશુંક મૂલ્યવાન ખોળી કાઢવું એ જુદા…
Read Moreશ્રાવણ શુક્લ બારસ પર સોમનાથ મહાદેવને કરાયો પવિત્રા શ્રૃંગાર
હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રાવણ શુક્લ દ્વાદશી એટલેકે પવિત્રા બારશ નીમીત્તે ભગવાન સોમનાથજીને રંગબેરંગી પવિત્રા અર્પણ કરી મહાદેવનો પવિત્રા શૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રાવણ શુક્લ દ્વાદશીને વૈષ્ણવ ભક્તો દ્વારા પવિત્રા બારસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે શાસ્ત્રોનું કહેવું છે કે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ એક છે, બંનેનો એકબીજા પ્રત્યેનો અનુરાગ આ શ્લોકમાં જાણવા મળે છે જે કહે છે કે “शिवाय विष्णु रूपाय शिव रूपाय विष्णवे शिवस्य हृदयं विष्णुं विष्णोश्च हृदयं शिवः ||” ભગવાન શિવ વિષ્ણુનું સ્વરૂપ છે, અને ભગવાન વિષ્ણુ ભગવાન શિવનું સ્વરૂપ છે, ભગવાન શિવના હ્રદયમાં…
Read More૧૫ ઓગષ્ટના રોજ બાલભવન સ્કેટીંગ રીંક ખાતે ૭૭ બાળકોએ ૭૭ મિનિટ સુધી નોનસ્ટોપ સ્કેટીંગ કરી દેશને અનોખા રૂપમાં સલામી આપી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ ખાતે પુજા હોબી સેન્ટર, પોદાર પ્રેપ સ્કૂલ તથા બાલભવન અને ગુજરાત રોલર બાસ્કેટબોલના સંયુક્ત આયોજનથી સૌપ્રથમવાર દેશને સમર્પિત કરતા બાળકો આઝાદીને નમ સ્વરૂપે ક્રાંતિવીરોને યાદ કરતો ૭૭ મિનિટનો સ્કેટીંગનો અદભૂત શો બાલભવન સ્કેટીંગ રીંક ખાતે ભવ્ય રીતે ઊજવવામાં આવ્યો. ૪ થી ૧૮ વર્ષના બાળકો તથા યુવાનો દ્વારા આમંત્રિત મહેમાનો તથા અસંખ્ય વાલીઓની હાજરીમાં આ ભવ્ય પ્રોગ્રામ યોજાઈ ગયો. બાલભવનમાં માનદમંત્રી મનસુખભાઈ જોષી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું ત્યારે માનનીય મહેમાનો હિન્દ ન્યુઝ અખબાર નાં તંત્રીશ્રી ડો. સીમાબેન પટેલ…
Read Moreશ્રાવણ શુકલ એકાદશી પર સોમનાથ મહાદેવને ચંદનનાલેપથી શૃંગાર
હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રાવણ શુક્લ એકાદશી પર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને ચંદનના લેપથી વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. હિંદુ ધર્મમાં ચંદનને શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે. ચંદનની શીતળતા અને સુગંધ ભક્તોની આધ્યાત્મિક અનુભૂતિમાં વૃદ્ધિ કરે છે. ચંદન મનને શાતા આપે છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં સહાય કરે છે. સોમનાથ મંદિરમાં એકાદશી પર ભગવાન શિવને મંદિરમાં જ તૈયાર કરાયેલ શુદ્ધ ચંદનનો લેપ શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે લગાવવામાં આવ્યો હતો. સમગ્ર વિશ્વમાં શાંતિ બની રહે અને તમામ મનુષ્યના મસ્તિષ્કમાં શિવરૂપે કલ્યાણ સ્થાપિત થાય તેવી પ્રાર્થના સાથે આ શૃંગાર કરવામાં આવે…
Read More