એ.ઓ.પી. (એસોસિએશન ઓફ પર્શનસ)નાં પાણી દરના બાકી દર બાબત

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ રેસેડેન્સીયલ સોસાયટીઝ, રેસેડેન્સીયલ લો-રાઇઝ ફ્લેટ્સ, રેસેડેન્સીયલ હાઇ-રાઇઝ ફ્લેટ્સ, કોમર્શિયલ કોમ્પલેક્સમાં બિલ્ડિંગના હોદ્દેદારો/એઓપી (એસોસિએશન ઓફ પર્શનસ)ની માંગણીના આધારે યુનિટ (મકાન/ફ્લેટ/દુકાન/ઓફિસ)ની સંખ્યાના આધારે વોટર વર્ક્સ શાખા દ્વારા સમ્પ નળ-કનેકશન મંજુર કરી સ્થાનિકે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણી પુરૂ પાડવામાં આવે છે. પાણી કનેકશનના પાણી ચાર્જનું બીલ સોસાયટી/એઓપીના નામે અલગથી આપવામાં આવતું હોય છે. ઘણા ખરા કિસ્સાઓમાં રાજકોટ મહાનગરપાલિકાના ધ્યાનમાં એવુ આવેલ છે કે આવી સોસાયટીઓમાં હોદ્દેદારો/એઓપીમાં થતાં ફેરફારના કારણે કે અન્ય કારણોસર અલગથી આવતા પાણી ચાર્જની રકમ સમયસર ન ચૂકવાતાં આ રક્મ પર સરકારના નિયમાનુસાર દંડનીય વ્યાજ તેમજ નોટીસ ફી…

Read More

ભુજ આયુર્વેદ હોસ્પિટલ ખાતે ૪ ફેબ્રુઆરીના રોજ કુપોષણ નિવારણ તથા સુવર્ણપ્રાશન કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, ભુજ         સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે તા. ૦૪/૦૨/૨૦૨૩ના શનિવારના રોજ પુષ્યનક્ષત્રના દિવસે ” સુવર્ણપ્રાશન કેમ્પ ” યોજાશે. જેમાં જન્મથી ૧૨ વર્ષની ઉંમર સુધીના બાળકોના શારિરીક તથા માનસિક વિકાસ અર્થે અતિ ઉત્તમ એવા “સુવર્ણ પ્રાશનનાં ટીપાં” નિઃશુલ્ક સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪:૦૦ થી ૫:૩૦ સુધી પીવડાવવામાં આવશે. તથા ” કુપોષણ નિવારણ કેમ્પ” કરવામાં આવશે જેમાં કુપોષિત નબળા બાળકોને તથા લોહીની ઉણપ ધરાવતા બાળકોને શકિતવર્ધક તેમજ રક્તવર્ધક આયુર્વેદિક તથા હોમિયોપેથી દવાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. સુવર્ણપ્રાશનના ફાયદાઓ :          સુવર્ણપ્રાશન મેધા (બુધ્ધિ), અગ્નિ અને બળ વધારવાવાળું છે. તે આયુષ આપવાવાળું, કલ્યાણકારક, પુણ્યકારક, વૃષ્ય (શરીર સુદ્રઢ કરનાર), વર્ણ…

Read More

ગાંધીધામનો મુકેશ ગઢવી અકસ્માતગ્રસ્તોને આપી રહ્યો છે નવજીવન

હિન્દ ન્યુઝ, ભુજ અકસ્માતની સ્થિતિમાં સમયસર સારવારના અભાવે અનેક માનવ દિપ બુઝાઇ જતાં હોય છે. ઘાયલો માટે શરૂઆતના કલાકો ખુબ જ કિંમતી હોય છે. આ સમયે જો કોઇ મદદે આવીને તત્કાલ સ્થળ પર પ્રાથમિક સારવાર આપે કે હોસ્પિટલ સુધી પહોંચાડવાની સેવા કરે તો મહામુલું જીવન બચાવી શકાય છે. આ જ વિચારધારા સાથે એક યુવાન છેલ્લા કેટલાક સમયથી કામગીરી કરી રહ્યો છે. આ યુવાન ખરા અર્થમાં અકસ્માતગ્રસ્તો માટે મશીહાનું કામ કરી રહ્યો છે. પોતાનો કિંમતી સમય કે રોજીરોટીની પરવાકર્યા વિના માત્ર ને માત્ર માનવતાને પ્રાધાન્ય આપતો ગાંધીધામનો ૨૨ વર્ષીય વિરલો યુવાન…

Read More

ભાવનગર જિલ્લામાં તા. 3 ફેબ્રુઆરીના રોજ આશરે ૨૩૮ હેલ્થ અને વેલનેસ સેન્ટર અને ૪૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાબીટીસ નિદાન કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર   ભાવનગર જિલ્લામાં આગામી શુક્રવાર તા.૦૩/૦૨/૨૦૨૩ના રોજ જિલ્લાના આશરે ૨૩૮ જેટલા હેલ્થ અને વેલનેસ સેન્ટર અને ૪૮ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેમ્પેઇન મોડમાં ડાયાબીટીસ નિદાન કેમ્પ યોજાશે. કેમ્પનો સમય સવારના ૧૦ થી બપોરના ૪ વાગ્યા સુધીનો રહેશે. ૩૦ વર્ષથી મોટી ઉંમરના તમામ લોકો કે જેને ડાયાબીટીસ થવાની સંભાવનાઓ રહેલી છે તેઓની સત્વરે તપાસ કરાવી તાત્કાલીક નિદાન કરવામાં આવે તો આ રોગના કારણે થતી આડઅસરોથી જનમાનસને બચાવી તંદુરસ્ત જીવન આપી શકાય છે.   સરકારશ્રી દ્રારા ૧૦૦ દિવસના સંકલ્પો નિયત કરવામાં આવેલ છે. જે પૈકી આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગની…

Read More