ભુજ આયુર્વેદ હોસ્પિટલ ખાતે ૪ ફેબ્રુઆરીના રોજ કુપોષણ નિવારણ તથા સુવર્ણપ્રાશન કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, ભુજ

        સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે તા. ૦૪/૦૨/૨૦૨૩ના શનિવારના રોજ પુષ્યનક્ષત્રના દિવસે ” સુવર્ણપ્રાશન કેમ્પ ” યોજાશે. જેમાં જન્મથી ૧૨ વર્ષની ઉંમર સુધીના બાળકોના શારિરીક તથા માનસિક વિકાસ અર્થે અતિ ઉત્તમ એવા “સુવર્ણ પ્રાશનનાં ટીપાં” નિઃશુલ્ક સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪:૦૦ થી ૫:૩૦ સુધી પીવડાવવામાં આવશે. તથા ” કુપોષણ નિવારણ કેમ્પ” કરવામાં આવશે જેમાં કુપોષિત નબળા બાળકોને તથા લોહીની ઉણપ ધરાવતા બાળકોને શકિતવર્ધક તેમજ રક્તવર્ધક આયુર્વેદિક તથા હોમિયોપેથી દવાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.

સુવર્ણપ્રાશનના ફાયદાઓ : 

        સુવર્ણપ્રાશન મેધા (બુધ્ધિ), અગ્નિ અને બળ વધારવાવાળું છે. તે આયુષ આપવાવાળું, કલ્યાણકારક, પુણ્યકારક, વૃષ્ય (શરીર સુદ્રઢ કરનાર), વર્ણ (શરીરના વર્ણને ઉજળો કરનાર ) તથા ગ્રહબાધાને દૂર કરવાવાળુ છે. સુવર્ણપ્રાશનથી બાળકનું રોગો થી રક્ષણ થાય છે અને તે છ માસમાં સૃતધર (સાંભળેલી વાતને યાદ રાખવાવાળું) બને છે, અર્થાત તેની સ્મરણશક્તિ ખૂબ જ વધે છે તેવું વૈધપંચકર્મ વર્ગ-૧, સરકારી આયુર્વેદ હોસ્પિટલની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment