હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં પ્રધાન મંત્રી કિશાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત પરિવારોને વાર્ષિક રૂ.૬૦૦૦ ની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. કેન્દ્ર સરકારની વર્તમાન સૂચના અનુસાર આ યોજનામાં સમાવિસ્ટ તમામ લાભાર્થીઓને ફરજીયાત આધાર ઈ-કે.વાય.સી. પૂર્ણ કરવાનું રહશે. જે ખેડૂતોને ઈ-કે.વાય.સી. નહી કરાવ્યું હોય તેમને હવે પછીથી સહાયના હપ્તા સરકાર તરફથી બેંક ખાતામાં જમા કરવામાં આવશે નહી. જિલ્લામાં ૩૬,૭૭૪ ખેડૂતોને ઇ-કે.વાય.સી. કરવાનું બાકી છે,આથી તેઓને આગામી ૧૩ મો હપ્તો નહિ મળી શકે. જે ખેડૂતોને ઈ-કે.વાય.સી. કરવાનું બાકી હોઈ તેઓએ તાત્કાલિક ધોરણે તા.૩૧/૧૨/૨૦૨૨ પહેલા પોતાના…
Read MoreDay: December 23, 2022
પ્રશાસન ગાંવ કી ઔર” અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ પ્રાંત કચેરી ખાતે વર્કશોપ યોજાયો
સુશાસન સપ્તાહ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ભારત સરકાર દ્વારા તા.૨૫ ડિસેમ્બરના દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં નકકી કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રવ્યાપી અભિયાન ‘સુશાસન સપ્તાહ પ્રશાસન ગાઉ કી ઔર-૨૦૨૨” થીમ અન્વયે ઉજવણી ચાલી રહી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રામીબેન વાજાના અધ્યક્ષસ્થાને પ્રાંત કચેરી, વેરાવળ ખાતે સુશાસન સપ્તાહ પ્રશાસન ગાંવ કી ઔર” અભિયાન ગુડ ગવર્નન્સ પ્રેકટીસ અંતર્ગત વર્કશોપ યોજાયો. આ તકે જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે દ્વારા પ્રાસંગિક ઉદબોધન આપવામાં આવ્યું હતું અને ગુડ ગવર્નન્સ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી. તેમજ આ વર્કશોપમાં તંત્રની વિશેષ સિદ્ધિ તથા જાહેર…
Read Moreજિલ્લા સેવા સદન ખાતે સુશાસન સપ્તાહ અંતર્ગત કાર્ય શિબિરનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, રાધનપુર રાજ્ય સરકાર દ્વારા તા.19.12.2022 થી તા.25.12.2022 દરમિયાન સુશાસન સપ્તાહ(GOOD GOVERNENCE) પ્રશાસન ગાંવ કી ઓર અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે આજરોજ જિલ્લા સેવા સદન ખાતે માન.નિવૃત કલેક્ટર જે.જી.હિંગરાજીયાના અધ્યક્ષ સ્થાને કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્ય શિબિરમાં જિલ્લા ખેતીવાડી કચેરી,જિલ્લા પંચાયત પાટણ, ઔધોગિક તાલીમ સંસ્થા-પાટણ, જિલ્લા આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત-પાટણની સુશાસનની બેસ્ટ પ્રેક્ટીસ પહેલનું પીપીટી પ્રેઝન્ટેશન સંલગ્ન અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતુ. આજરોજ પાટણ જિલ્લા સેવા સદનના નવા કોન્ફરન્સ હોલ ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં…
Read Moreરાધનપુર જીરાના 20 કિલોના 6000 રૂપિયા નો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોને જીરાના ભાવ સારા મળતા ભવ્ય ઉજવણી કરવામાં આવી. આજરોજ ખેડૂત દિવસના દિવસે રાધનપુર માર્કેટ યાર્ડમાં 20 કિલો જીરાના ભાવ 6000 રૂપિયા ને પાર થતા રાધનપુર માર્કેટ યાર્ડ ખાતે ફટાકડા ફોડી પેંડા વહેંચી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.તેમજ ખેડૂતો અને વેપારીઓ દ્વારા રાધનપુર માર્કેટ યાર્ડ ખાતે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોએ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે જે વચન આપ્યું હતું.કે ડબલ આવકનું એ સપનું આજે સાકર થતું દેખાયુ હતું. આજે જીરાના 20 કિલોના 6000 રૂપિયા નો ભાવ મળતો ખેડૂતોમાં ખુશીનો…
Read Moreવડાપ્રધાન નરેન્દ્રભાઇના નેતૃત્વમાં દેશ અને રાજ્યને અમૃતકાળમાં વિકાસની નવી ઊંચાઇઓ સર કરાવવાનું રાષ્ટ્રનિર્માણ દાયિત્વ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સમુદાય નિભાવે : મુખ્યમંત્રીનું પ્રેરક આહવાન
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સી.એ પ્રોફેશનલ્સ અને સી.એ સ્ટુડન્ટસને આહવાન કર્યુ છે કે, દેશના અમૃતકાળમાં ભારત અને ગુજરાતને વિકાસની નવી ઊંચાઇઓ સર કરાવવાનું રાષ્ટ્રનિર્માણ દાયિત્વ તેઓ નિભાવે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત આજે વિશ્વનું પાંચમા ક્રમનું અર્થતંત્ર બન્યું છે. આપણું લક્ષ્ય ભારતને ફાઇવ ટ્રિલીયન ડોલર ઇકોનોમી બનાવવાનું છે તે સિદ્ધ કરવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિષ્ઠાપૂર્વક યોગદાન આપી શકે તેમ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં સીએ સ્ટુડન્ટ્સ માટે આયોજીત નેશનલ કોન્ફરન્સ…
Read Moreનર્મદા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમિટીની યોજાયેલી બેઠક
હિન્દ ન્યુઝ, રાજપીપલા નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આજે રોડ સેફ્ટીને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવા ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક મળી હતી. જેમાં સ્ટેટ હાઈવે પર અકસ્માત ન સર્જાય તે માટે ગતિ અવરોધક તેમજ યોગ્ય સાઈન બોર્ડ લગાવવા તેમજ રોડ સેફ્ટીને વધુ અસરકારક બનાવવા અંગે જિલ્લા વિકાસ અધિકારીએ ઉપસ્થિત સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પુરુ પાડીને કેટલાંક રચનાત્મક સૂચનો કર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ વધુમાં રોડ સેફ્ટી અંગે શાળાના બાળકોને પાઠ્યપુસ્તકના જ્ઞાન સાથે સામાજિક…
Read Moreરાધનપુર તાલુકાના કામલપુર ગામ ખાતે વન વિભાગ દ્વારા ખેડૂત શિબિર યોજાઈ
હિન્દ ન્યુઝ, રાધનપુર કેવા પ્રકારની ખેતી કરવી કેટલો પાણીનો વપરાશ કરવો એમ અલગ અલગ પ્રકારની માહિતીઓ ખેતીવાડીના અધિકારી, વન વિભાગના અધિકારી દ્વારા ખેડૂતો ને માર્ગદર્શન અપાયું પાટણ જિલ્લા ના રાધનપુર તાલુકાના કામલપુર ગામ ખાતે વન વિભાગ દ્વારા ખેડૂત શિબિર યોજાઈ. જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી ની ઉપસ્થિતિમાં શિબીર યોજાઈ હતી.આ ખેડૂત લક્ષી શિબીર માં ખુબ મોટી સંખ્યામાં ખેડૂતો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોને જાગૃતિ લાવવા માટે વન વિભાગના અધિકારી રાજુભાઈ દ્વારા ભવ્ય મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ વૃક્ષોનું વાવેતર કરવા…
Read Moreરાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે ધારાસભ્ય લવિંગજી સોલંકી એ નર્મદા નિગમના અધિકારીઓ સાથે યોજી મીટીંગ
હિન્દ ન્યુઝ, રાધનપુર રાધનપુર નર્મદા નિગમની કેનાલમાં છેવાડાના ગામોમાં પાણી ન પહોંચતા અને કેનાલો તૂટવાની ઘટનાને લઈને ધારાસભ્ય દ્વારા મીટીંગ યોજાઇ પાટણ જિલ્લા ના રાધનપુર વિસ્તારમાં નર્મદા નિગમની કેનાલમાં છેવાડાના ગામોમાં પાણી ન પહોંચતા અને કેનાલો તૂટવાની ઘટનાને લઈને ધારાસભ્ય એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે નર્મદા નિગમની કચેરી ખાતે નર્મદા નિગમના અધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી.જેમાં ખેડૂતોને પાણી મળી રહે કેનાલો તૂટે નહીં તેના માટે ખેડૂતોની માગણીને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય લવિંગજી સોલંકી નર્મદા નિગમની કચેરી ખાતે પહોંચ્યા હતા.જ્યાં નર્મદા નિગમના અધિકારીઓ સાથે મીટીંગ કરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.…
Read Moreભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા.૨૨ મી ડિસેમ્બરે ભારતના ગણિતના મહાન વિદ્વાન શ્રીનિવાસન રામાનુજનના જન્મદિવસે રાષ્ટ્રીય ગણિત દિવસ નિમિતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, કલ્યાણ પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્રના સયુંકત ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું હતું. સાયન્સ સેન્ટરમાં રાષ્ટ્રીય ગણિત દિવસમા ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે ઓડિટોરિયમાં રાષ્ટ્રીય ગણિત દિવસ વિષે જાણકારી આપતી એક ફિલ્મનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે ઇનટ્રેક્ટિવ સેશનમાં એક સ્પર્ધાનુ પણ આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્ય્રક્રમ દરમ્યાન…
Read Moreમદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી- ભાવનગર અને શ્રી એમ.જે.કોલેજ ઑફ કોમર્સ- ભાવનગરનાં સંયુક્ત ઉપક્રમે ભરતીમેળાનું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી- ભાવનગર અને શ્રી એમ.જે.કોલેજ ઑફ કોમર્સ- ભાવનગરનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૧૫ એકમ (કંપની) માં મશીન ઓપરેટર, માર્કેટિંગ ઍક્સિકયુટીવ, સેલ્સ એક્સિયુટીવ, ઍડવાઇઝર, ટર્નર, ફીટર, મશીનિસ્ટ સ્ટોરકીપર, વેલ્ડર, ઓફિસ એક્સિક્યુટિવ, એકાઉટન્ટ વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં ૧૦ પાસ- ૧૨ પાસ, આઈ.ટી.આઈ, ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા.૨૫/૧૨/૨૦૨૨ (રવિવાર), સમયઃ સવારે ૧૦:૩૦ કલાકે, શ્રી એમ.જે.કોલેજ ઓફ કોમર્સ, વિદ્યાનગર, ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝયુમની ૩ (ત્રણ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા મદદનિશ…
Read More