હિન્દ ન્યુઝ, રાધનપુર
રાધનપુર નર્મદા નિગમની કેનાલમાં છેવાડાના ગામોમાં પાણી ન પહોંચતા અને કેનાલો તૂટવાની ઘટનાને લઈને ધારાસભ્ય દ્વારા મીટીંગ યોજાઇ
પાટણ જિલ્લા ના રાધનપુર વિસ્તારમાં નર્મદા નિગમની કેનાલમાં છેવાડાના ગામોમાં પાણી ન પહોંચતા અને કેનાલો તૂટવાની ઘટનાને લઈને ધારાસભ્ય એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે નર્મદા નિગમની કચેરી ખાતે નર્મદા નિગમના અધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી.જેમાં ખેડૂતોને પાણી મળી રહે કેનાલો તૂટે નહીં તેના માટે ખેડૂતોની માગણીને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય લવિંગજી સોલંકી નર્મદા નિગમની કચેરી ખાતે પહોંચ્યા હતા.જ્યાં નર્મદા નિગમના અધિકારીઓ સાથે મીટીંગ કરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર