હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાની ચારેય વિધાનસભા વિસ્તારની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. ૮ ડિસેમ્બરના રોજ એન.જે.સોનેચા ઈન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ૪ વિધાનસભા બેઠકોની મતગણતરીનું કાર્ય શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થતાં કલેક્ટર રાજદેવસિંહ ગોહિલે અધિકારીઓ-કર્મચારીઓનો આભાર માન્યો હતો. ઉચ્ચ અધિકારી તેમજ કર્મચારીઓના સઘન પ્રયાસો થકી ચૂંટણીની કામગીરી જેવી કે, ૫૦થી વધુ પ્રકારનું અલગ-અલગ ચૂંટણી સાહિત્ય તાલુકાકક્ષાએ પહોંચાડવું, નિમણૂક પામેલ કર્મચારીઓને તાલિમ આપવી, જિલ્લાકક્ષાએ આવતી ફરિયાદોનું નિવારણ, મીડિયા મોનિટરિંગ અને સી-વિજિલ રૂમ તૈયાર કરવો, ચૂંટણીમાં ઉપયોગમાં…
Read MoreDay: December 15, 2022
ગીર સોમનાથ જિલ્લામાં જૂના વાહનોની લે-વેંચ તથા ભાડે આપતા વેપારીઓએ રજીસ્ટર નિભાવવુ ફરજીયાત
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં બહારના રાજયોમાંથી તેમજ દેશ બહારથી આવતા અસામાજીક તત્વો રજીસ્ટર્ડ ન થતા હોય તેવા સાયકલ/મોપેડ/અન્ય વાહનો ખરીદી/લે-વેચ અથવા ભાડેથી મેળવી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈ ત્રાસવાદી પ્રવૃતિઓને અંજામ આપતા હોય છે. જેથી રજીસ્ટર્ડ ન થતા હોય તેવા સાયકલ/મોપેડ/અન્ય વાહનોનું વેચાણ કરનાર તથા આવા જુના વાહનોની લે–વેચ કરનાર તથા આવા વાહનો ભાડે આપનાર વેપારીઓ ઉપર નિયંત્રણો મુકવા જરૂરી જણાતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.વી.લીંબાસીયા દ્વારા જાહેરનામું બહાર પાડી ગીર સોમનાથમાં આધાર પુરાવાઓ વગરના વાહનોની લે વેચ અને ભાડે આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. …
Read Moreલડાઇના વિદ્યાર્થીઓએ ગ્રામજનો પાસેથી રૂ.૫૧ હજાર એકત્ર કરી સૈનિક કલ્યાણ કચેરી ભુજને સુપ્રત કર્યા
હિન્દ ન્યુઝ, ભુજ આપણા જવાનો દેશ સેવાની ભાવના અપનાવી લડાઈના મોરચે પોતાના પ્રાણની પરવા કર્યા વિના કલ્પના ન કરી શકાય તેવી પરિસ્થિતિમાં અદભૂત ખમીર બતાવી પવિત્ર માતૃભુમિના રક્ષણ કરે છે. ભારત દેશને અખંડિત રાખવા, આપણા ખમીરવંતા આદર્શોનું રક્ષણ કરવા, આપણને હર ક્ષેત્રે વિજયી બનાવી તથા આપણા મસ્તક ઉન્નત રાખવા સૈનિકો પોતે બધાજ દુ:ખો ભોગવીને આપણને સ્વતંત્રતાનું સુખ આપવા તૈયાર હોય છે, તેઓના તથા શહીદોના નિરાધાર પરિવારોની યોગ્ય કદર કરનાર સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા, લોડાઈના વિદ્યાર્થીઓએ સ્થાનિક ગ્રામજનોનો સંપર્ક કરી એક જ દિવસમાં રૂ. ૫૧,૦૦૦/- (રૂપિયા એકાવન…
Read Moreશ્રી સરદાર વલ્લભભાઇ પટેલ ની સંકલ્પ ભૂમિ સોમનાથ ખાતે તેમના નિર્વાણ દિને સરદાર વંદના અને પૂષ્પાંજલી કરવામાં આવેલ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 13 નવેમ્બર 1947,ના દિવસે સમુદ્ર જળ હાથમાં રાખી સોમનાથ મંદિર ના પૂનઃનિર્માણ નો સંકલ્પ સરદાર વલ્લભ ભાઇ પટેલ દ્વારા લેવામાં આવેલ, કાળક્રમે સરદાર નવનિર્મિત સોમનાથ મંદિર તૈયાર થયું ત્યારે સરદાર આપણી સૌ વચ્ચે થી વિદાય લઇ ચુક્યા હતા, પણ સોમનાથ મહાદેવના નિત્ય દર્શન સરદારની આંખો કરી શકે તે માટે ખાસ સરદાર ની પ્રતિમા સોમનાથ મંદિર ના પ્રાંગણ માં સ્થાપીત કરવામાં આવેલ છે. આજરોજ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ શ્રી ના નિર્વાણ દિન નીમીત્તે સરદાર વંદના અને પૂષ્પાંજલી કરવામાં આવી. જેમાં શ્રી…
Read Moreસમય ની સાથે તાલ મીલાવવા માટે ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી કટિબદ્ધ
હિન્દ ન્યુઝ, ભાવનગર આજના સમયમાં બદલાયેલી શિક્ષણની વ્યાખ્યા સાથે સતત બદલાતી શિક્ષણ ની મૂલ્ય સાપેક્ષતા ને ધ્યાને લઈને “એજ્યુકેશન ફોર ઓલ” ના ધ્યેય સાથે આગળ ધપી રહેલી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડો.) અમીબેન ઉપાધ્યાય ભાવનગર રિજ્યોનલ સેન્ટર હેઠળના ભાવનગર, અમરેલી અને બોટાદમાં કાર્યરત યુનિવર્સિટીના કોલેજ કેન્દ્રોના સંચાલકો, પ્રાધ્યાપકો,અધ્યાપકો તમામને સમાન શિક્ષણનો લાભ આપવા માટે સતત પ્રયત્નશીલ રહેવા માર્ગદર્શન આપ્યું હતું. ભાવનગર શહેરના વાઘાવાડી રોડ સ્થિત મ. કૃ. ભાવ.યુનિ.ના જુના કેમ્પસમાં આવેલ શામળદાસ કોલેજ નજીકના પ્રિન્સિપાલ બંગલો ખાતે કાર્યરત થયેલાં ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.ના રિજ્યોનલ સેન્ટરની યુનિ.ના કા.કુલપતિ પ્રો.(ડૉ.) અમીબેન ઉપાધ્યાયે મુલાકાત…
Read More