દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: ૧૩/૧૨/૨૦૨૨ થી ૨૫/૧૨/૨૦૨૨ દરમિયાન કરવામાં આવેલ કામગીરીની વિગત

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: ૧૩/૧૨/૨૦૨૨ થી ૨૫/૧૨/૨૦૨૨ ની શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન,  અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમ કે, રસ્તા પર નડતર ૯૪ રેંકડી-કેબીનો  સાધુવાસવાણી રોડ, પુષ્કરધામ મેઈન રોડ, ચંદ્રેશનગર માર્કેટ,  ભિમનગર રોડ, મોવડી મેઈન રોડ, રેસકોર્ષ રોડ, જંકશન રોડ ફુલછાબ ચોક,   ગાયત્રીનગર, જ્યુબેલી માર્કેટ પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી  અન્ય ૭૯ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જંકશન રોડ, જામનગર રોડ, ઢેબર રોડ, પુષ્કરધામ…

Read More

સાંતલપુર: જોરાવરગઢ ગામ ખાતે ગામનાં લોકો 10 દિવસ થી ગંદુ, ડહોળુ પાણી પીવા મજબૂર

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લા ના સાંતલપુર તાલુકાના જોરાવરગઢ ગામમાં સરકારી પાઇપ લાઇનમાં છેલ્લા કેટલાક દિવસો થી ડહોળુ અને ગંદુ પાણી આવતું હોવાની બૂમરાડ ઉઠવા પામી છે. ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈજ કામગીરી આજદિન સુધીમાં થઈ નથી કામગીરી નાં કરાતા રોગચાળા ની ભીતિ સેવાઈ રહી છે. સાંતલપુર તાલુકાના મથક વારાહી થી 4 કિમી દૂર આવેલ જોરવરગઢ ગામનાં 700 ઉપરાંત ગ્રામજનો ને પાણી પૂરું પાડતી પાણી પુરવઠા વિભાગ ની પાઇપ લાઇનમાં થી ડહોળુ અને ગંદુ પાણી આવતું હોય ગ્રામજનો ડહોળુ અને ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે.…

Read More

રાજયના પ્રત્યેક નાગરિકને સરકારી યોજનાઓના લાભો સત્વરે પૂરા પાડવા એ જ અમારી પ્રાથમિકતા : પ્રજાની તમામ આશા-અપેક્ષાઓ પૂરી કરવાની નેમ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, ભુજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે, દરેક વ્યક્તિને સરળતાથી સરકારી સેવાઓના લાભ મળે તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે અને રહેશે જ. નાગરીકોની આશાઓ-અપેક્ષાઓનો અવાજ સાંભળી તેમની સમસ્યાઓ નિવારવા સરકાર પ્રજાની પડખે છે એવો ભાવ દરેક વ્યક્તિને જાગે તે જ સરકારની સફળતા અને ગુડ ગર્વનન્સ-સુશાસન છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલેભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીની સ્મૃતિમાં ગુડ ગવર્નન્સ ડે-સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગર ખાતેથી આજે ગુડ ગવર્નન્સના ઇનિશીએટીવના ભાગરૂપે વિવિધ વિભાગોના ૧૨ જેટલા પોર્ટલનું લોન્ચીંગ કર્યું હતું. તેમણે ઉમેર્યું કે, સુશાસન અને ઈ-ગવર્નન્સ એ કોઈ…

Read More

ભાવનગરમાં મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોતમભાઈ સોલંકીનો ભવ્ય રોડ શો યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરમાં આજરોજ મત્સ્યોદ્યોગ અને પશુપાલન રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી નો નારી ચોકડી થી મીરાકુંજ સુધીનો ભવ્ય રોડ યોજાયો હતો. આ રોડ શો દરમિયાન રાજ્યકક્ષાના મંત્રી પરસોતમભાઈ સોલંકી ને હાર પહેરાવી ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અલગ અલગ સ્થળોએ સ્ટેજ બનાવીને મંત્રી નું પુષ્પવર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રી દ્વારા ઉપસ્થિત લોકોનું અભિવાદન જીલવામાં આવ્યું હતું. નારી ચોકડી ખાતે મંત્રી નું સ્વાગત કરવામાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા સહિત બહોળી સંખ્યામાં જન મેદની ઉમટી પડી હતી. બ્યુરો ચીફ (ભાવનગર) : ડો. હકીમ ઝવેરી

Read More

પ્રજ્ઞાચક્ષુ સહિત વિકલાંગોને હવે ફરિયાદ નોંધવવા પોલીસ સ્ટેશન નહીં જવું પડે, પોલીસ ઘરે આવી નોંધી જશે – સુશાસન સપ્તાની અગત્યની ફળશ્રુતિ

હિન્દ ન્યુઝ, જામનગર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનસભર નેતૃત્વથી પ્રેરિત સંસદ સભ્ય પૂનમબેન માડમ જન જન પ્રત્યે સંવેદનાસબર અનેક કાર્યો મંજૂર કરાવતા રહ્યા છે જેની જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની જનતા સાક્ષી છે ત્યારે દિવ્યાંગો માટે વધુ એક સાનુકૂળતા સાંસદ પૂનમબેન એ કરાવી આપી છે આશાદીપ વિકલાંગ કલ્યાણકારી દ્વારા સંસદ સભ્ય પૂનમબેન માડમ એ રજૂઆત કરવામાં આવી હતી કે વિકલાંગોને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જવામાં મુશ્કેલીઓ અને અડચણ પડે છે જે બાબતે કોઈ ઉકેલ આવે તો વિકલાંગોને સાનુકૂળતા થાય તેમ છે. આ રજૂઆતની ગંભીરતાને ધ્યાને લઈને સાંસદ પૂનમબેન માડમ એ સુશાસન…

Read More

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન-રાજકોટ પ્રેરિત ‘અમૃત મહોત્સવ’ ને ખુલ્લો મુકતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન રાજકોટ પ્રેરિત ‘અમૃત મહોત્સવ’ને સહજાનંદનગર ખાતે ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે સ્વામિનારાયણ સંસ્થાના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે અમૃત મહોત્સવ સાથોસાથ ભારતની આઝાદીના ૭૫ વર્ષ અનુસંધાને અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જે એક સુભગ સમન્વય છે. સ્વામિનારાયણ ગુરુકુળની સંસ્થા વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથોસાથ મૂલ્યનિષ્ઠ સંસ્કારોનું સિંચન કરવાનું પણ ઉમદા કાર્ય કરી રહ્યું છે. અહીં વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવવાની સાથે ઉચ્ચ માનવ મૂલ્યો પણ પ્રાપ્ત કરે છે, જે વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં ખૂબ જ જરૂરી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. હાલ આપણે આઝાદીના…

Read More

સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો મહત્વનો નિર્ણય

હિન્દ ન્યુઝ, ગાંધીનગર         રાજ્યમાં હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ : ડરવાની નહીં પણ કાળજી સતર્કતા રાખવી જરૂરી : આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખભાઇ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં ગાંધીનગરથી આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ સહભાગી થયા પ્રિકોશન ડોઝનો જથ્થો વધારીને રાજ્યમાં ૧૦૦ ટકા વેક્સિનેશન થાય તે માટે સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરાશે તા. ૨૭મી ડિસેમ્બરે હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાશે ગુજરાતના અમદાવાદ અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓ માટે ૧૦૦ ટકા થર્મલ સ્ક્રીનીંગ કરાશે ગુજરાતમાં હાલ દૈનિક ૧૦,૦૦૦ ટેસ્ટીંગ થાય છે…

Read More

ભારતીય સંસ્કૃતિમાં આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ ચાલતી આવી છે, આયુર્વેદિક જડીબુટ્ટીથી રોગોને જડમૂળથી મટાડી શકાય છે – જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા

હિન્દ ન્યુઝ, રાજપીપલા ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયામકશ્રી આયુષની કચેરી-ગાંધીનગર તથા નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ રાજપીપલા દ્વારા આજરોજ નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાની અધ્યક્ષતા અને નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં રાજપીપલાની અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલના મેદાનમાં આયુષ મેળો અને આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. આ મેળામાં આયુર્વેદને લગતી અને તેની ચિકિત્સા પધ્ધતિ અંગે સમજ આપતા વિવિધ ૯ જેટલાં સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. અહીં ઓ.પી.ડી. સહિત દવાઓના વિતરણ અને આયુર્વેદિક ચિકિત્સા પધ્ધતિથી નિષ્ણાંત…

Read More

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેરમાં પશુઓ રાખવા સબંધી તથા ઘાસચારો વેચાણ કરવા સબબ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હાલ જાહેર રસ્તાઓ ઉપર માલિકીના તથા બિનવારસી રખડતા પશુઓની સંખ્યા વધી રહી છે. આ રખડતા પશુઓને કારણે જાહેર રસ્તાઓ ઉપર ગંદકી ફેલાય છે જેના કારણે જાહેર આરોગ્ય જોખમાય છે અને ટ્રાફિક વ્યવસ્થાને અડચણ ઉભી થાય છે તેમજ ગંભીર પ્રકારના અકસ્માતો થવાના કારણે જાહેર જનતાને ગંભીર ઇજાઓ તથા જાનનું જોખમ ઉભું થાય છે. આથી ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં વસવાટ કરતા પશુપાલનનો ધંધો કરતા પશુપાલકો તથા માલધારીઓને જાણ કરવાની કે ધી.જી.પી.એમ.સી. એકટની અનુસુચિ – ક, પ્રકરણ -૧૪ ના નિયમ -૨૨,૨૩,૨૪ અને કલમ -૩૭૬ ની જોગવાઇઓ મુજબ…

Read More

તળાજા આઈટીઆઈ દ્વારા ૧૪ પંપ ઓપરેટરોનો તાલીમવર્ગ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર તળાજા આઈટીઆઈ દ્વારા ૧૪ પંપ ઓપરેટરોને પ્રમાણપત્ર અને વાસ્મો દ્વારા ટુલકીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહેમાનોના વરદ હસ્તે પ્રમાણપત્ર અને ટુલકીટ આપી પંપ ઓપરેટરોને પ્રોત્સાહિત કરાયા હતા. તળાજા તાલુકાના વિવિધ ૧૪ જેટલા ગામોના પંપ ઓપરેટરો કે જેઓ ગામમાં પાણી વિતરણ કરવાની કામગીરી કરે છે તેઓને સર્ટીફીકેટ કોર્ષ ઈન પંપ મિકેનીકની તાલીમ ગવર્ન્મેન્ટ આઈટીઆઈ કોલેજ તળાજા દ્વારા પૂર્ણ થતાં પ્રમાણપત્ર અને વાસ્મો તરફથી રૂ. ૬૦૦૦ ની કિંમતના વિવિધ ઉપયોગી ૧૨ ટૂલ્સ સાથેની ટુલકીટ દરેક પંપ ઓપરેટરને આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકા તળાજાના ચીફ ઓફિસર કૃપેશભાઈ પટેલ,…

Read More