પ્રજ્ઞાચક્ષુ સહિત વિકલાંગોને હવે ફરિયાદ નોંધવવા પોલીસ સ્ટેશન નહીં જવું પડે, પોલીસ ઘરે આવી નોંધી જશે – સુશાસન સપ્તાની અગત્યની ફળશ્રુતિ

હિન્દ ન્યુઝ, જામનગર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનસભર નેતૃત્વથી પ્રેરિત સંસદ સભ્ય પૂનમબેન માડમ જન જન પ્રત્યે સંવેદનાસબર અનેક કાર્યો મંજૂર કરાવતા રહ્યા છે જેની જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની જનતા સાક્ષી છે ત્યારે દિવ્યાંગો માટે વધુ એક સાનુકૂળતા સાંસદ પૂનમબેન એ કરાવી આપી છે

આશાદીપ વિકલાંગ કલ્યાણકારી દ્વારા સંસદ સભ્ય પૂનમબેન માડમ એ રજૂઆત કરવામાં આવી હતી કે વિકલાંગોને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જવામાં મુશ્કેલીઓ અને અડચણ પડે છે જે બાબતે કોઈ ઉકેલ આવે તો વિકલાંગોને સાનુકૂળતા થાય તેમ છે.

આ રજૂઆતની ગંભીરતાને ધ્યાને લઈને સાંસદ પૂનમબેન માડમ એ સુશાસન કેન્દ્રિત સૂચન એસ.પી પ્રેમસુખ ડેલુ ને કર્યું હતું. આ સૂચનને મહત્વપૂર્ણ ગણિ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ તાત્કાલિક નિર્ણય લીધો છે જે મુજબ હવે દિવ્યાંગો એ ફરિયાદ નોંધાવા પોલીસ સ્ટેશન એ નહીં આવવું પડે તેમના ઘરે જઈ પોલીસ તેઓની ફરિયાદ નોંધી ઉકેલી દિશામાં સંવેદનાસભર કાર્યવાહી કરશે. આ બાબતથી વિસ્તૃત પત્ર દ્વારા એસ.પી પ્રેમસુખ ડેલુ એ સાંસદ પૂનમબેન ને વાકેફ કર્યા છે હાલ જ્યારે શું શાસન સપ્તાહ ચાલે છે.

હાલ જ્યારે સુશાસન સપ્તાહ ચાલે છે ત્યારે નાગરિકોની સાનુકૂળતા માટે હંમેશા તત્પર રહેતા અને લોકપ્રિય સાંસદ પૂનમબેને મહત્વનો નિર્ણય જામનગર જિલ્લા પોલીસ વિભાગમાંથી કરાવતા દિવ્યાંગો માટે કાયમી સાનુકૂળતા થઈ હોય દિવ્યાંગોની સંસ્થાઓએ સાંસદ પૂનમબેન પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે. આ તાત્કાલિક નિર્ણય અંગે ટ્વિટ કરી સંસદ પૂનમબેન એ એસ.પી પ્રેમસુખ ડેલુ નો આભાર વ્યક્ત કરી સંવેદનશીલતા અંગે અભિનંદન પાઠવ્યા છે.

Related posts

Leave a Comment