હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે ભાવનગરના મહિલા કોલેજ વિસ્તારમાં કૃષ્ણનગર સોસાયટી ખાતે આવેલ કૃષ્ણનગર ઉપાશ્રય ખાતે શ્રદ્ધાપૂર્વક દર્શન કરી પ્રબોધસુરી મહારાજના આશીર્વાદ મેળવ્યાં હતાં. આ દર્શન વેળાએ તેમની સાથે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સુ. વિભાવરીબેન દવે, મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધારીયા, ડેપ્યુટી મેયર કુમાર શાહ, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, મ્યુનિસિપલ કમિશનર એમ.એ. ગાંધી, કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, શહેર ભા.જ.પા.પ્રમુખ રાજીવ પંડ્યા સહિતનાં પદાધિકારીઓ- અધિકારીઓ તથા જૈન સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બ્યુરો ચીફ (ભાવનગર) હકીમ ઝવેરી
Read MoreMonth: January 2022
નવા મુવાડા બસ સ્ટેન્ડ થી નવા મુવાડા પટેલ ફળીયા સુધી રસ્તો બીસ્માર હાલતમાં
હિન્દ ન્યુઝ, કડાણા મહિસાગર જીલ્લા ના પાટનગર લુણાવાડા થી નવા મુવાડા બસ આવતી હોય ત્યારે નવા મુવાડા સ્ટેશન થી પટેલ ફળીયા સુધી કેવી રીતે જવુ એ ડ્રાઈવરો ને સમજાતુ નથી. આ રસ્તો છેલ્લા ત્રણ વર્ષ થી ન જોવી એવી હાલત માં છે. તાત્કાલિક સરકાર દ્વારા રસ્તા નુ સમારકામ કામ કરવામાં આવ્યુ ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાનુ કઈ પણ સમારકામ કરવામાં આવ્યુ નથી. જો રસ્તા નું સમારકામ ના કરવામાં આવે તો કોઈ મોટી દુર્ઘટના ઘટે તેવી ગામ લોકો માં ભીતિ સેવાય રહી છે. આ રસ્તો આશરે ૨,કિમિ જેટલો જ છે. શુ આટલો…
Read More૩૧ ડીસેમ્બરના રોજ દીવ તરફથી નશો કરી આવતા ઇસમોને પકડી પાડી કુલ -૫૮ ગુન્હા દાખલ કરતી કોડીનાર પોલીસ
હિન્દ ન્યુઝ, જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી તથા મદદનીશ પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ દ્વારા ૩૧ ડીસેમ્બર ઉજવણી કરી દીવથી નશો કરેલ હાલતમાં આવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સખત સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એસ.એન.ચુડાસમા ના માર્ગદર્શન હેઠળ થયેલ કાર્યવાહી મુજબ ૩૧ મી ડીસેમ્બરની ઉજવણી કરી દીવ તરફથી દારૂ પીધેલ હાલતમાં આવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ગઇ રાત્રીના કોડીનાર પોલીસ દ્વારા તમામ ઓપી / બીટ તથા સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા અલગ અલગ ટીમો બનાવી કોડીનાર પો.સ્ટે.…
Read Moreજિલ્લા વહીવટીતંત્ર દ્વારા પાટણ શહેરમાં માસ્ક ડ્રાઈવ યોજાઈ
હિન્દ ન્યુઝ, રાજ્યભરમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. એવા સમયે સાવચેતીમાં જ સલામતી છે એ સંદેશ આપવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પાટણ શહેરમાં જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા અને મદદનીશ કલેક્ટર સચીનકુમારની આગેવાનીમાં માસ્ક ડ્રાઈવ યોજાઈ હતી. શહેરના પાલિકા બજાર, રેલવે સ્ટેશન, બગવાડા દરવાજાથી શહેરના વિવિધ વિસ્તારોમાં કોરોનાથી બચવા જાગૃતિનો સંદેશ આપવા આ ડ્રાઈવ યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી તથા મદદનીશ કલેક્ટરએ દુકાનો, ગલ્લા, શાકભાજીની લારીઓ, જાહેર સ્થળ પર બેસેલ ફેરિયા તથા ત્યાં આવતા નાગરિકોને ફરજિયાત માસ્ક પહેરવા માટે જણાવ્યું હતું. તેઓએ દુકાનદારોને દુકાનની બહાર માસ્ક ફરજીયાત પહેરવા માટેનું…
Read Moreહેલિકોપ્ટર જોય રાઇડ થકી અમદાવાદના પ્રખ્યાત સ્થળોના આકાશદર્શન યોજનાનો શુભારંભ કરાવતા નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશભાઈ મોદી
હિન્દ ન્યુઝ, અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોટર એરોડ્રામ પરથી રાજ્યના નાગરિક હવાઇ ઉડ્ડયન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ હેલિકોપ્ટર જોય રાઈડ સેવાનો શુભારંભ કરાવતા કહ્યું કે હવે નાગરિકો એરિયલ વ્યૂથી અમદાવાદનો નજારો માણી શકશે. તેમણે આ હવાઇ સેવાનો ઇમરજન્સીના સંજોગોમાં પણ ઉપયોગ કરી શકાશે તેમ પણ જણાવ્યું હતું. મોદીએ કહ્યું કે અગાઉ બસ સેવાના માધ્યમથી નાગરિકો શહેર દર્શન કરતા હતા, પણ હવાઇ સેવા એ આધુનિક જમાનાની માંગ છે અને તેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા આ દિશામાં આયોજન અને અમલ કરવામાં આવી રહ્યો છે. આ અવસરે મંત્રીના હસ્તે જોયરાઈડના પેસેન્જરને બોર્ડિંગ પાસ…
Read Moreકોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ અંગે જિલ્લા કલેકટરએ સમીક્ષા કરી
હિન્દ ન્યુઝ, પાટણ રાજયમાં વિવિધ જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહયો છે. કોરોનાના ઓમિક્રોન વેરીયન્ટથી લોકો સંક્રમિત થઇ રહયા છે. ત્યારે પાટણ જિલ્લા કલેકટર સુપ્રીતસિંધ ગુલાટીએ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને કોરોનાની તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. જિલ્લા કલેકટર સુપ્રીતસિંધ ગુલાટીએ ઉપસ્થિત અધિકારીઓને જો પાટણ જિલ્લામાં કોરોનાના કેસ વધેતો એના નિયંત્રણ માટે પ્રારંભથી જ લેવાના થતા પગલાંઓની ચર્ચા કરી હતી. જેમાં તેઓએ અત્યારથી જ પરિસ્થિતીને અનુરૂપ કોઇપણ ઢીલાશ રાખ્યા વિના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં કરવાની થતી કામગીરી જણાવી હતી. શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો કેસ સામે…
Read Moreરાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે ભાવનગર જિલ્લાની એક દિવસીય મુલાકાતે
હિન્દ ન્યુઝ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે ભાવનગર જિલ્લાના એક દિવસીય મુલાકાતે પધારશે. ભાવનગર જિલ્લાની એક દિવસીય મુલાકાતમાં તેઓ ભાવનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત તેઓ સિહોર અને પાલિતાણા ખાતે પણ મુલાકાત લેનાર છે. તેઓ સવારે ૧૦-૦૦ કલાકે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચશે જ્યાં તેમનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ તેઓ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરાયેલ ‘માવતર ઓલમ્પિક-૨૦૨૨’ ના કાર્યક્રમમાં સહભાગી થશે. તેઓ ત્યારબાદ જૈન સોશ્યલ ગૃપ ઇન્ટરનેશનલ ફેડરેશન સૌરાષ્ટ્ર રિજિયન દ્વારા સેન્ટ મેરી સ્કૂલ, શિવાજી સર્કલ ખાતે આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટની મુલાકાત લઇ ખેલાડીઓને…
Read More“ટીબી હારેગા ભારત જીતેગા” અમદાવાદને ટીબી મુક્ત કરવાના અભિયાનમાં લોકો જોડાય એ જરૂરી : સાંસદ ડો. કિરીટભાઈ સોલંકી
હિન્દ ન્યુઝ, સામજિક અને સેવાભાવી સંસ્થાઓના સહકારથી અમદાવાદ શહેર અને જિલ્લાને ટીબી મુક્ત કરવાના અભિયાનમાં સાંસદ ડો. કિરીટભાઈ સોલંકીએ જણાવ્યું કે ટીબી એટલે ક્ષય રોગ એક જમાનામાં એને રાજરોગ માનવામાં આવતો હતો. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટીબીને હરાવવા માટે “ટીબી હારેગા ભારત જીતેગા” એ પ્રકારનો સંકલ્પ કર્યો છે. જયારે WHO એ સમગ્ર વિશ્વમાંથી એક ટાર્ગેટ મુક્યો છે કે વર્ષ ૨૦૩૦ સુધીમાં સમગ્ર વિશ્વમાંથી ટીબી નાબુદ કરીશું ત્યારે આપણા દેશના વડાપ્રધાનનો ધ્યેય છે કે વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતને ટીબી મુક્ત કરીશું. એ માટે સરકાર સાથે જન ભાગીદારીથી આપણે ગામ, શહેર…
Read Moreબદલાતા સમયમાં હવાઈ મુસાફરીનાં માંગ વધી છે – રાજયના નાગરિકોને હવાઈક્ષેત્રે મહત્તમ કનેકટીવિટી પુરી પાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે – નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશભાઈ મોદી
હિન્દ ન્યુઝ, નાગરિક હવાઈ ઉડ્ડ્યન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું છે કે બદલાતા સમયમાં હવાઈ મુસાફરીનીં માંગ વધી છે. એક સમય હતો કે જ્યારે લોકો માત્ર રેલ કે બસ સેવા પર જ નિર્ભર રહેતા હતા, પણ આજે ઝડપી યુગમાં લોકોની માંગ અને જરૂરિયત વધી છે. સાથે સાથે ઉધ્યોગ-ધંધા વધવાની સાથે વિકાસની ઝડપ પણ વધી છે ત્યારે યાતાયાતની સુવિધામાં હવાઈ સેવાનો ઉપયોગ પણ વધ્યો છે. આ પરિપ્રેક્ષ્યમાં રાજયના નાગરિકોને હવાઈક્ષેત્રે કનેક્ટિવિટી પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, એમ તેમણે ઉમેર્યું હતું. રાજ્ય સરકારના ગુજસેલ તથા વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરત એરપોર્ટથી આંતરરાજ્ય…
Read More૨૨૫ બેડની અધત્તન સુવિધાયુક્ત કોઠીયા મલ્ટી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ
હિન્દ ન્યુઝ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના નિકોલ ખાતે કોઠીયા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના લોકાર્પણ પ્રસંગે જનસમૂહને સંબોધતા કહ્યું કે, કોવીડની વર્તમાન સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે ૩જી જાન્યુઆરીથી ૧૫ થી ૧૮ની વયના બાળકોના રસીકરણ માટે ખાસ મેગા ડ્રાઈવનું આયોજન કર્યું છે. તેમણે ગુજરાતમાં રસીકરણ માટે રાજ્ય સરકારની પૂર્વતૈયારીઓ અંગે વાત કરતાં જણાવ્યું કે, આગામી ૧૦ જાન્યુઆરીથી રાજ્યમાં આરોગ્યકર્મીઓ અને ફ્રંટલાઈન વર્કર્સને સુરક્ષા-કવચ પુરુ પાડવા રસીકરણ હાથ ધરાશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ૧૫ થી ૧૮ની વયના રાજ્યના ૩૫ લાખથી વધુ બાળકોને રસી આપવા માટે રાજ્ય સરકારે…
Read More