હિન્દ ન્યૂઝ, ભાવનગર ગતરોજ તારાપોર ચોકડી નજીક ભાવનગર, વરતેજના એક પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં ડ્રાઈવર સહિત ૯ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્ર ખાતે કૌટુંબિક પ્રસંગ પૂરો કરી પરત ફરી રહેલા ઘાંચી પરિવારને આ ભયંકર અકસ્માત નડ્યો હતો. જેમાં માર્યા ગયેલા તમામ હતભાગી લોકોના પરિવારજનોને મોરારિબાપુ દ્વારા શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે રૂપિયા ૫ હજારની સહાનુભૂતિ રાશી મોકલવામાં આવેલ છે. જેની કુલ રકમ રૂા. ૪૫ હાજર થાય છે. તમામ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય મોરારિબાપુએ પ્રાર્થના કરી છે. ભાવનગરના રામકથાના શ્રોતા દ્વારા આ રાશી પહોંચતી કરવામાં આવશે. બ્યુરોચીફ…
Read MoreMonth: June 2021
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના માણેકવાડા પોલીસ ચોકીએ પોલીસ બંદોબસ્ત
હિન્દ ન્યૂઝ, બગસરા અમરેલી જિલ્લાના બગસરા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા આજરોજ માણેકવાડા પોલીસ ચોકીએ વાહન ચેકિંગ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. માણેકવાડા પોલીસ ચોકીએ જુનાગઢ તરફથી આવતાં દરેક વાહનો તેમજ જેતપુર રોડ પરથી આવતા દરેક વાહનોનું સદંતર ચેકિંગ કરવામાં આવતું હતું. દરેક વાહન ચાલકોને અને વાહનોને સરકારી ગાઈડ લાઈન મુજબ ચાલે છે કે કેમ તેની તપાસ કરવામાં આવતી હતી. આ બંદોબસ્ત મા બગસરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એચ કે મકવાણા ના માર્ગદર્શન હેઠળ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ બંદોબસ્ત માં ટ્રાફિક પોલીસ ગામ રક્ષક દળ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા પૂરતું ધ્યાન આપવામાં…
Read Moreટંકારામાં જમીન પચાવી પાડવાની અરજી કરનાર યુવાનને જાનથી મારી નાખવાની ધમકી
હિન્દ ન્યૂઝ, મોરબી ટંકારામાં જમીન પચાવી પાડવા બાબતે અરજીને પગલે ચાર ઇસમોએ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય જે બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ટંકારાના ગજડી ગામના રહેવાસી પ્રકાશ કાળુભાઈ ડાંગર આહીર (ઉ.વ.૩૮) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેને ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ હેઠળ અરજી કરેલ હોય જે અન્વયે તપાસમાં આવતા પ્રકાશ ડાંગરને ગજડી ઘુનડાને જોડતા રસ્તા પર બોલાવી આરોપીઓ વાસીયાંગ પુનાભાઈ ડાંગર, ભગવાનભાઈ પુનાભાઈ ડાંગર, પ્રકાશ પુનાભાઈ ડાંગર અને રાયધન મેસુરભાઈ સોઢીયા રહે બધા ગજડી તા. ટંકારા વાળાએ ગાળો આપી…
Read Moreમાંગરોળ માળિયાના ધારાસભ્ય બાબુભાઈ વાજાના પ્રતિનિધિ ગડુ શેરબાગના સરપંચ રમેશભાઈ વાજા સાથે કાનભાઈ જોરા દ્રારા કામની રજુઆત સંદર્ભે સ્થળ પર જઈ રૂબરૂ આગેવાનો સાથે મુલાકાતે
હિન્દ ન્યૂઝ, માંગરોળ (૧) બે ખીજડી રસ્તા પર નવો નોન પ્લાન રસ્તો મંજુર કરાવવાની રજુઆત બાબતે. (૨)કોટડા ગામે રાજાશાહી વખતનો ચેકડેમ ટુટી ગયેલ છે તે જગ્યાએ નવા ચેકડેમની રજૂઆત બાબતે. (૩)જેતખંભથી શેપા તરફ જતા રોડમાં નોલી નદી પર આવેલા જેતખંભ કોઝવે પર વેરીંગ કોટ કરવા બાબતે. ઉપરોક્ત રજુઆતો અંગે સ્થળ પર જઈ ઓજી વિસ્તારના અને કોટડાગામ ના આગેવાનોને રૂબરૂ મળી રજુઆતો સાંભળી આ તકે ઈબ્રાહીમભાઈ પડાયા, માજી તાલુકા પંચાયત ઉપ પ્રમુખ માંગરોળ, હાજીભાઈ સુલેમાનભાઈ જેઠવા તાલુકા પંચાયત સદસ્ય, હુસેનભાઈ ઈબ્રાહીમભાઈ કરૂડ, હારૂનભાઈ કાસમભાઈ બેરા, મુસાભાઈ કાસમભાઈ બેરા, ઈકબાલભાઈ કાલવાત ભચુ,…
Read Moreજિલ્લામા ૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૪૮ દર્દીઓ બન્યા કોરોનામુક્ત
હિન્દ ન્યૂઝ, ભાવનગર ભાવનગર જિલ્લામા ગતરોજ ૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧,૩૮૫ થવા પામી છે. જેમા ભાવનગર શહેરમાં ૧ પુરૂષ તેમજ તાલુકાઓમાં ૨ પુરૂષ અને ૧ સ્ત્રી મળી કુલ ૪ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૨ અને તાલુકાઓમાં ૪૬ કેસ મળી કુલ ૪૮ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા…
Read Moreભારતીય સેનામાં મહિલાઓ માટે ભરતી પ્રક્રિયાનું આયોજન
હિન્દ ન્યૂઝ, ભાવનગર ભારતીય સેનામાં ઉત્તમ કારકિર્દી ધડવા ઈચ્છુંક મહિલા ઉમેદવારો માટે સોલજર જનરલ ડ્યૂટી (વુમન મિલિટ્રી પોલિસ) ની ભરતી જાહેરાત પ્રસિધ્ધ થયેલ છે. જેમાં શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૦ પાસ ૪૫% સાથે તેમજ દરેક વિષયમાં ૩૩% જરૂરી. જન્મ તારીખ તા.૦૧/૧૦/૨૦૦૦ થી તા.૦૧/૦૪/૨૦૦૪ બન્ને તારીખ સહિત અથવા વચ્ચે હોવી જોઈએ. લઘુત્તમ ઉંચાઈ ૧૫૨ સે.મી. વજન આર્મી મેડીકલ સ્ટાન્ડર્ડ મુજબ રહેશે. વધુ માહિતી માટે તેમજ ભાગ લેવા ઈચ્છુંક મહિલા ઉમેદવારોએ તા.૦૬/૦૬/૨૦૨૧ થી તા.૨૦/૦૭/૨૦૨૧ સુધીમાં ભારતીય સેનાની ઓફીશ્યલ વેબસાઈટ: www.joinindianarmy.nic.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેશે તેમ મદદનીશ નિયામક(રોજગાર), ભાવનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. બ્યુરોચીફ…
Read Moreભાવનગર જિલ્લામાં સુપર સ્પ્રેડરોને વેક્સિન પ્રાથમિકતાના ધોરણે આપવામાં આવશે
હિન્દ ન્યૂઝ, ભાવનગર રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં કોવિડ ૧૯ ની તાજેતરની સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઇ આગામી તા. ૨૬-૦૬-૨૦૨૧ સુધીના સમયગાળા માટે નિયંત્રણ અમલમાં મુકવામાં આવેલ છે. જે ધ્યાને લઇ કોવિડ ૧૯ ના સંક્રમણ અને અટકાયતના પગલાના ભાગરૂપે જિલ્લાના સમગ્ર વિસ્તારમાં એવા વ્યક્તિઓ કે જ્યાંથી કોવિડ ૧૯ સંક્રમણ ના ફેલાવો થાય એવી સંભાવના હોય તેથી તેમનો ડેટાબેઝ તૈયાર કરી કે લોકોને વેક્સિનેશન માટે પ્રાથમિકતા આપવી ખૂબ જ જરૂરી જણાઇ રહ્યું છે. જેમાં શાકભાજીના છૂટક તથા જથ્થાબંધ વિક્રેતા, હોટલો તેમજ રેસ્ટોરન્ટમાં કામ કરતાં…
Read Moreગીર-સોમનાથ મુસ્લિમ સેવા સમાજ ના પ્રમુખ દ્વારા SMD ફર્નીચર ના શો રૂમ નું ઉધઘાટન કરવામાં આવ્યું
હિન્દ ન્યૂઝ, વેરાવળ વેરાવળ શહેરના મધ્યમાં આવેલ તાલાલા નાકા થી આગળ SMD ફર્નીચર ના શો રૂમ નું ગીર-સોમનાથ જિલ્લાના મુસ્લિમ સમાજ ના પ્રથમ પ્રમુખ ના હસ્તે ઉધઘાટન કરવામાં આવ્યું. વેરાવળ શહેર કોરોના ની ઝપેટમાં થી બહાર આવી રહ્યું છે ત્યારે લોકો પોતાના નિયમીત જીવનમાં પાછા ફરે અને રોજગારી કમાવે તેમજ લોકોને સસ્તું અને શ્રેષ્ઠ ફર્નીચર મળી રહે તે હેતુ થી આ શો રૂમ નું ઉધઘાટન થયું. ફર્નીચર ના શો રૂમ ના માલિક સાજીદભાઈ એ જણાવ્યું કે લોકોને રોજગારી મળે અને વેરાવળ શહેરના લોકોને સરસ મજાનું ફર્નીચર મળે તે હેતુ સહ…
Read Moreમોડાસાના તારક પટેલ ની ઉત્તર ઝોન મા કન્વીનર તરીકે નિમણૂક
હિન્દ ન્યૂઝ, મોડાસાના ફેડરેશન ઓફ બુક એન્ડ સ્ટેશનરી મેન્યુફેક્ચર એસોસિએશન ગુજરાત મા તાજેતરમાં ફેડરેશન ઓફ ગુજરાત બુક એન્ડ સ્ટેશનરી એસોસિએશન સમગ્ર ગુજરાતના ૧૨૦૦૦ થી પણ વધુ રિટેલરો તથા 30થી પણ વધુ એસોસિએશન સાથે સંકળાયેલ રજીસ્ટર્ડ સંસ્થા હોય સ્ટેશનરી વેપારીને કોઈ પણ પ્રશ્ન હોય તેના નિરાકરણ માટે ફેડરેશન હંમેશા તત્પર રહેતી હોય છે. આ એસોસિયેશન સાથે સંકળાયેલ પબ્લિશર્સ નોટબુક મેન્યુફેક્ચર સ્ટેશનરી મેન્યુફેક્ચર સાથે વર્ષોનો નાતો રહેલ છે. એસોસિએશનના કોઈપણ વેપારીને ધંધાની ગેરસમજ ઊભી થાય તો તેવા સંજોગોમાં આ એસોસિએશન ને સાથે રાખી કંપનીઓ સાથે મતભેદ ઉકેલવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ આપ…
Read Moreવાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક જુના મનદુઃખનો ખાર રાખી યુવાન પર પર ત્રણ શખ્સોનો હુમલો
હિન્દ ન્યૂઝ, મોરબી વાંકાનેરના ઢુવા ગામ નજીક જુના મનદુઃખનો ખાર રાખી ગાડીમાં આવેલા ત્રણ શખ્સોએ યુવાન પર લોખંડના પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી ભોગ બનેલા યુવાને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીનાં મકનસર ગામ ખાતે રહેતા હરજીભાઈ મુંઘવા (ઉ.વ. 45)એ આરોપી સનાભાઇ કરશનભાઇ ગમારા (રહે. રફાળેશ્વર), બુટાભાઇ નોઘાભાઇ ગમારા (રહે. રફાળેશ્વર) અને કાનાભાઇ ખરગિયા (રહે મચ્છોનગર, રફાળેશ્વર) ની સામે વાંકાનેર તાલુકા પોલીસમાં…
Read More