તારાપોર ચોકડી નજીકના અકસ્માતમાં માર્યા ગયેલા ભાવનગરના મૃતકોને મોરારીબાપુ તરફ થી ૪૫ હજારની સહાય

હિન્દ ન્યૂઝ, ભાવનગર

     ગતરોજ તારાપોર ચોકડી નજીક ભાવનગર, વરતેજના એક પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં ડ્રાઈવર સહિત ૯ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્ર ખાતે કૌટુંબિક પ્રસંગ પૂરો કરી પરત ફરી રહેલા ઘાંચી પરિવારને આ ભયંકર અકસ્માત નડ્યો હતો. જેમાં માર્યા ગયેલા તમામ હતભાગી લોકોના પરિવારજનોને મોરારિબાપુ દ્વારા શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે રૂપિયા ૫ હજારની સહાનુભૂતિ રાશી મોકલવામાં આવેલ છે. જેની કુલ રકમ રૂા. ૪૫ હાજર થાય છે. તમામ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય મોરારિબાપુએ પ્રાર્થના કરી છે. ભાવનગરના રામકથાના શ્રોતા દ્વારા આ રાશી પહોંચતી કરવામાં આવશે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment